AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધીને મળ્યા બાદ સંજય રાઉતનું નિવેદન, કોંગ્રેસ નહીં તો ભાજપ સામે અન્ય કોઈ મોરચાનો અર્થ જ નથી

આ બેઠક પછી સંજય રાઉતે મીડિયાને જે કહ્યું તેનાથી બિન-કોંગ્રેસી પક્ષોને એકત્ર કરીને ભાજપ વિરુદ્ધ ગઠબંધનની મમતા બેનર્જીની આશાને ફટકો પડ્યો છે.

રાહુલ ગાંધીને મળ્યા બાદ સંજય રાઉતનું નિવેદન, કોંગ્રેસ નહીં તો ભાજપ સામે અન્ય કોઈ મોરચાનો અર્થ જ નથી
Sanjay Raut
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 7:14 PM
Share

સંજય રાઉત (Sanjay Raut) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) વચ્ચેની મહત્વપૂર્ણ બેઠક મંગળવારે (7 ડિસેમ્બર) શિવસેનાના યુપીએમાં જોડાવાની સંભાવના વિશે સતત ચર્ચાઓ વચ્ચે સમાપ્ત થઈ. લગભગ બે કલાક ચાલેલી આ બેઠક સાંજે 6:45 કલાકે પૂરી થઈ હતી. આ બેઠક પછી સંજય રાઉતે મીડિયાને જે કહ્યું તેનાથી બિન-કોંગ્રેસી પક્ષોને એકત્ર કરીને ભાજપ વિરુદ્ધ ગઠબંધનની મમતા બેનર્જીની આશાને ફટકો પડ્યો છે.

બેઠક બાદ સંજય રાઉતે સ્પષ્ટ કહ્યું કે, કોંગ્રેસ (Congress) વગર બીજેપી વિરુદ્ધ કોઈ ગઠબંધન કામ કરી શકે નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો આવું ગઠબંધન થશે તો કોંગ્રેસ સાથે પણ એક ગઠબંધન થશે અને તેનાથી ભાજપને જ ફાયદો થશે. સંજય રાઉતે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, મે રાહુલ ગાંધી સાથે લાંબી વાતચીત કરી, જે વાતચીત થઈ છે તેનો સંદેશ એ છે કે બધુ બરાબર છે. રાહુલ ગાંધી સાથે જે કંઈ પણ થયું છે, તે પહેલા હું મારી પાર્ટીના વડાને કહીશ. હું ઉદ્ધવજીને કહીશ, હું આદિત્યજીને કહીશ અને પછી હું તમને કહીશ.

જો અલગ ફ્રંટ બને તો શું કોંગ્રેસ ફ્રંટ નહીં બનાવે ? તેમણે કહ્યું કે, કોઈ ફ્રંટ બનાવશે તો અન્ય કોઈ ફ્રંટ પણ કોંગ્રેસના નેતૃત્વમાં કામ કરશે ને ? તો પછી કોને ફાયદો થશે ? તો વિરોધ નબળો પડશે ને ? ત્રીજો મોરચો, ચોથો મોરચો આ કોઈ વાત જ નથી. ફક્ત એક જ ફ્રંટ હોવો જોઈએ. કોંગ્રેસને અલગ રાખીને મોરચો બનાવવાનો કોઈ અર્થ જ નથી.

ત્રીજા, ચોથા મોરચાનો કોઈ અર્થ નથી, માત્ર એક જ મોરચો બનાવવો જોઈએ શરદ પવાર મમતા બેનર્જીના (Mamata Banerjee) અભિપ્રાય સાથે સહમત નથી. તેઓ સતત કહેતા આવ્યા છે કે, કોંગ્રેસને અલગ રાખીને કોઈ ગઠબંધન નહીં ચાલે. તેણે મમતા બેનર્જીની સામે પણ આ વાત કહી. પરંતુ ગયા અઠવાડિયે મુંબઈની મુલાકાત દરમિયાન મમતા બેનર્જીએ મીડિયાને કહ્યું હતું કે, આજે યુપીએ ક્યાં છે? રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે, એક વર્ષમાં અડધો સમય વિદેશમાં વિતાવીને રાજનીતિ ન થાય.

સંજય રાઉતે વિપક્ષી પાર્ટીઓમાં ભાગલા પડવાના સવાલ પર કહી આ વાત પત્રકારોએ સંજય રાઉતને પૂછ્યું કે શું વિપક્ષમાં ભાગલા પડી ગયા છે? મમતાજી જુદી વાત કરે છે, શરદ પવાર જુદી વાત કરે છે? આ અંગે સંજય રાઉતે કહ્યું કે, મેં અગાઉ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ વિના ભાજપ સામે મજબૂત વિપક્ષ શક્ય નથી. રાહુલજી મુંબઈ આવી રહ્યા છે. મેં રાહુલજીને કહ્યું છે કે હવે તમારે આ બાબતે આગેવાની લેવી જોઈએ. શરદ પવાર સૌથી અનુભવી નેતા છે. તેઓ જે નિર્ણયો લે છે, તે સમજી વિચારીને લે છે.

આ પણ વાંચો : લાલ કા ઈન્કિલાબ હોગા, બાઈસ મે બદલાવ હોગા ! લાલ ટોપી જ ભાજપને સત્તાથી દૂર કરશે, પીએમ મોદીના નિવેદન પર અખિલેશ યાદવનો પલટવાર

આ પણ વાંચો : કેન્દ્ર સરકાર-ખેડૂત સંગઠનો MSP અને મૃત ખેડૂતોના વળતર પર સહમત, આવતીકાલે SKM ની બેઠકમાં આંદોલન અંગે લેવામાં આવશે નિર્ણય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">