દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી (AAP)ને ગોવામાં (Goa) રાજ્ય પક્ષનો દરજ્જો આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે આ જાહેરાત કરી છે. તેમણે આ અંગે આમ આદમી પાર્ટીને પત્ર પણ લખ્યો છે. AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) પણ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ દરમિયાન કેજરીવાલે પાર્ટી કાર્યકર્તાઓને શુભકામનાઓ પણ આપી છે. ગોવામાં આમ આદમી પાર્ટીને રાજ્ય પક્ષનો દરજ્જો મળ્યા બાદ AAP રાષ્ટ્રીય પક્ષ બનવાથી એક પગલું દૂર છે. દિલ્હી અને પંજાબ પછી ગોવા ત્રીજું રાજ્ય છે જ્યાં AAPને રાજ્ય પક્ષ જાહેર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, જો AAPને વધુ એક રાજ્યમાં રાજ્ય પક્ષનો દરજ્જો મળે છે, તો AAPને રાષ્ટ્રીય પક્ષ બની જશે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ ઉપલબ્ધિની માહિતી આપી છે. તેમણે લખ્યું, દિલ્હી અને પંજાબ બાદ હવે ગોવામાં પણ આમ આદમી પાર્ટીને રાજ્યની પાર્ટીનો દરજ્જો મળ્યો છે. જો વધુ એક કિસ્સામાં આવું થશે તો અમે સત્તાવાર રીતે રાષ્ટ્રીય પક્ષ બનીશું. હું પાર્ટીના દરેક કાર્યકર્તાને તેમની મહેનત માટે શુભેચ્છા પાઠવું છું. AAPની વિચારધારામાં વિશ્વાસ દર્શાવવા બદલ હું લોકોનો પણ આભાર માનું છું.
After Del n Punjab, AAP is now a state recognised party in Goa too. If we get recognised in one more state, we will officially be declared as a “national party”
I congratulate each and every volunteer for their hard work. I thank the people for posing faith in AAP n its ideology pic.twitter.com/7UmsIixF0v
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 9, 2022
ચૂંટણી પંચે પત્રમાં કહ્યું છે કે આમ આદમી પાર્ટીએ ગોવામાં રાજ્ય પક્ષનો દરજ્જો મેળવવા માટે ચૂંટણી પ્રતીકો (આરક્ષણ અને ફાળવણી) ઓર્ડર, 1968ના પેરા 6Aની તમામ જોગવાઈઓને પૂર્ણ કરી છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા પત્રમાં આ વર્ષે ગોવામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સારા પ્રદર્શનની પ્રશંસા કરવામાં આવી છે. હકીકતમાં, ગોવામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બે બેઠકો જીતી હતી. આમ આદમી પાર્ટીનો વોટ શેર 6.77 ટકા હતો. જ્યારે રાજ્યમાં ભાજપને 20 બેઠકો મળી છે. ભાજપનો વોટ શેર 33.31 ટકા હતો. જ્યારે કોંગ્રેસે 11 બેઠકો કબજે કરી હતી. આ ચૂંટણીમાં અપક્ષને 3 બેઠકો મળી હતી.
Published On - 1:56 pm, Tue, 9 August 22