રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો, જે તમે ક્યારે સાંભળ્યો નહીં હોય, વાંચો આ અહેવાલ

રામમંદિરના નિર્માણ માટે દેશભરથી લોકો પોતાનો ફાળો આપી રહ્યા છે પરંતુ જોધપુરમાં રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો સામે આવ્યો છે

રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો, જે તમે ક્યારે સાંભળ્યો નહીં હોય, વાંચો આ અહેવાલ
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 16, 2021 | 11:03 PM

રામમંદિરના નિર્માણ માટે દેશભરથી લોકો પોતાનો ફાળો આપી રહ્યા છે પરંતુ જોધપુરમાં રામભક્તિમાં સમર્પિત એક એવો કિસ્સો સામે આવ્યો છે જે તમે ક્યારે સાંભળ્યો નહીં હોય. જોધપુરની રહેવાસી આશા નામની એક મહિલા હવે તો આ દુનિયામાં નથી. પરંતુ તેણે મરતા પહેલા પોતાના બધા દાગીના રામ મંદિરના નામે કરી દીધા, તેમની આખરી ઇચ્છા હતી કે તેની અંતિમક્રિયા પહેલા આ તેના દાગીનાઓ રામ મંદિરના નિર્માણના કામમાં આવે.

જોધપુરમાં રામ મંદિરના નિર્માણ માટે સમર્પણ નિધી એકઠી કરનાર પ્રાંત પ્રચારક હેમંતને 4 ફેબ્રુઆરીના રોજ એક ફોન આવ્યો. સામે વિજયસિંહ નામના વ્યાક્તિનો અવાજ હતો. તેમણે કહ્યુ કે મારી પત્ની આશા રામમંદિરના નિર્માણ માટે પોતાના બધા દાગીના આપવા માંગતી હતી. આજે એ અમને છોડીને હંમેશા માટે જતી રહી છે. આટલું બોલતા જ વિજયસિંહનો અવાજ ભારે થઇ ગયો અને તેઓ વધુ કંઇ પણ બોલી ન શક્યા, પછી રડતાં અવાજે જણાવ્યુ કે તમે આવો અને અંત્યેષ્ઠિ પહેલા આ ઘરેણાંઓ લઇ જાઓ કારણ કે તેની ઇચ્છા હતી કે આ ઘરેણાં ભગવાન શ્રી રામને અર્પણ કરવામાં આવે. આ સાંભળીને પ્રાંત પ્રચારક હેમંત સન્ન રહી ગયા અને તેમણે કહ્યુ તમે અંત્યેષ્ઠિની તૈયારી કરો અમે તેમની છેલ્લી ઇચ્છા પુરી કરીશુ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આશાએ 1 ફેબ્રુઆરીના રોજ પોતાના પતિ અને દિકરાને જાણાવ્યુ હતુ કે તે પોતાના બધા દાગીના રામમંદિરના નિર્માણ માટે આપવા માંગે છે, આ સાંભળતા જ દિકરાએ કહ્યુ કે હુ તપાસ કરી લઉં છુ કે આ ઘરેણાં કોને અને કઇ રીતે આપવાના હોય છે ત્યારબાદ પરિવારે જ્યારે ઘરેણાં આપવાની વાત કરી તો નિયમોને કારણે ઘરેણાં સ્વીકારવાની તેમને મનાઇ ફરમાવવામાં આવી. બાદમાં પરિવારે 15 તોલા સોનું અને 23 ગ્રામ ચાંદીને વેચીને 7,08,521 રૂપિયા પ્રાપ્ત કર્યા અને રામમંદિરના નિર્માણ માટે દાનમાં આપી દીધા.

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">