AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચેતી જજો : આ શહેરમાં આઠ બાળકોના મોતથી માતમ, 2 રૂપિયાની ‘પેપ્સી’ બની કાળ !

Rajasthan: સિરોહીમાં (sirohi) શુક્રવારે સાંજે અજ્ઞાત રોગના કારણે સારવાર દરમિયાન વધુ એક બાળકનું મોત થતાં બાળકોના મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. જો કે મેડિકલ વિભાગ સ્થિતિ નિયંત્રણમાં હોવાનો રાગ આલાપી રહી છે.

ચેતી જજો : આ શહેરમાં આઠ બાળકોના મોતથી માતમ, 2 રૂપિયાની 'પેપ્સી' બની કાળ !
File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 1:49 PM
Share

રાજસ્થાનના (rajasthan) સિરોહીમાં (sirohi) છેલ્લા કેટલાક દિવસોથી સતત બાળકોના મોતથી  (children death) સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. જિલ્લામાં બાળકોના મોતનો સિલસિલો યથાવત છે. ગત શુક્રવારે સાંજે સારવાર દરમિયાન વધુ એક બાળકનું મોત નિપજતાં અત્યાર સુધીમાં બાળકોનો મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. જો કે મેડિકલ વિભાગનું  (health department) કહેવું છે કે સ્થિતિ હવે નિયંત્રણમાં છે, પરંતુ બાળકોના મોત પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી. બીજી તરફ ડોકટરોની ટીમ ઘરે- ઘરે સર્વે (medical team survey) કરી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 500થી વધુ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ભૂતકાળમાં સ્વરૂપગંજના ફુલાબાઈ ખેડા ગામમાં અજ્ઞાત રોગને કારણે 8 બાળકોના મોત થયા હતા, જે બાદ આ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો.

હાલ પ્રાથમિક તપાસ બાદ આરોગ્ય વિભાગની ટીમનું કહેવું છે કે આ તમામ બાળકોના મોત કોઈક પીણું પીવાથી થયા છે, ત્યારબાદ વહીવટીતંત્રે આ વિસ્તારની ઘણી દુકાનોમાંથી આઈસ્ક્રીમ અને પીણાના સેમ્પલ લઈને સપ્લાય બંધ કરી દીધો છે. સાથે જ પીડિતાના પરિવારજનોનું કહેવું છે કે, પેપ્સી પીધા બાદ બાળકોને લોહીની ઉલટીઓ થઈ હતી.

ગેરકાયદેસર રીતે પીણાંનું વેચાણ

બાળકોના મૃત્યુ બાદ બાળકોના સંબંધીઓએ મેડિકલ વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું કે બે રૂપિયામાં વેચાતું પીણું જેને સ્થાનિક ભાષામાં ‘પેપ્સી’ કહે છે, તે પીધા પછી જ બાળકોની તબિયત બગડી હતી. આ સાથે ડો.રામસિંહ યાદવના રિપોર્ટના આધારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ પાણીમાંથી બનેલા કોઈપણ પદાર્થને મૃત્યુનું કારણ માનવામાં આવી રહ્યું છે.

બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે સિરોહીમાં જોધપુર ડિવિઝન અને જયપુર ડિવિઝનની 7 ટીમો ફુલાબાઈ ખેડામાં ડોર-ટુ-ડોર સર્વે કરી રહી છે, પરંતુ હજુ પણ રોગને શોધવામાં નિષ્ફળતા મળી રહી છે. બીજી તરફ આઠ બાળકોના મોત થતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મેડિકલ અને હેલ્થ ડિપાર્ટમેન્ટના જોઈન્ટ ડાયરેક્ટર ડૉ. જોગેશ્વર પ્રસાદે કહ્યું હતું કે તમામ બાળકોના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Jahangirpuri Violence: જહાંગીરપુરીની મસ્જિદ પાસે જુલૂસ પહોંચતા જ થયો પથ્થરમારો, FIRમાં થયો ખુલાસો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">