8 તો માત્ર ટ્રેલર, 42 હજુ બાકી: 5 વર્ષ પછી ભારતની ધરતી પર દોડશે 50 ચિત્તા

શરૂઆતમાં 8 ચિત્તા કુનો (Kuno National Park) સુધી પહોંચી ગયા છે. આગામી પાંચ વર્ષમાં ચિત્તાઓની સંખ્યા વધારીને 50 કરવાની તૈયારી છે, એટલે કે આ પ્રક્રિયામાંથી હજુ વધુ ચિત્તાની આવવા માટે તૈયારી ચાલી રહી છે.

8 તો માત્ર ટ્રેલર, 42 હજુ બાકી: 5 વર્ષ પછી ભારતની ધરતી પર દોડશે 50 ચિત્તા
CheetahImage Credit source: TV9 Digital
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2022 | 3:18 PM

લગભગ 70 વર્ષ બાદ ચિત્તા (Cheetah) ફરી એકવાર ભારતની ધરતી પર ઉતર્યા છે. દેશના હૃદય મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આવેલા આ ચિત્તાઓ પર ભારતમાં લુપ્ત થયેલી પ્રજાતિઓની સંખ્યામાં ફરી વધારો કરવાની જવાબદારી રહેશે. જો કે આ ચિત્તાઓ નવેમ્બર 2021માં જ ભારતમાં પહોંચવાના હતા, પરંતુ કોરોના મહામારીએ અવરોધ ઉભો કર્યો અને ચિત્તાઓ સુધી પહોંચવાની પ્રક્રિયા ધીમી પડી. શરૂઆતમાં 8 ચિત્તા કુનો (Kuno National Park) સુધી પહોંચી ગયા છે. આગામી પાંચ વર્ષમાં ચિત્તાઓની સંખ્યા વધારીને 50 કરવાની તૈયારી છે, એટલે કે આ પ્રક્રિયામાંથી હજુ વધુ ચિત્તાની આવવા માટે તૈયારી ચાલી રહી છે.

આ સંદર્ભમાં જાન્યુઆરીમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે 19મી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની બેઠકમાં કહ્યું હતું કે, “સ્વતંત્ર ભારતમાં લુપ્ત જાહેર કરાયેલો ચિત્તો ફરી એકવાર પાછો આવી રહ્યો છે.” પ્રોજેક્ટ ચિત્તા વિશે માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે 10-12 યુવાન ચિત્તા લાવવામાં આવશે, જે ફાઉન્ડર સ્ટોક હશે.

ચિત્તા પાછા ફરવા માટે તૈયાર

નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ની 19મી બેઠકમાં એક્શન પ્લાનની શરૂઆત કરતા કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે સ્વતંત્ર ભારતમાં લુપ્ત થઈ ગયેલા ચિત્તા હવે પાછા આવવા માટે તૈયાર છે. એનટીસીએના એક અધિકારીએ અગાઉ કહ્યું હતું કે કોવિડ-19ને કારણે ચિત્તાને પરત લાવવાની યોજના અટકી ગઈ હતી.

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

કુનો નેશનલ પાર્ક જ શા માટે કરવામાં આવ્યો પસંદ

તેમણે ધ્યાન દોર્યું હતું કે ભારતના પાંચ મધ્ય રાજ્યોમાં 10 સર્વે સાઇટ્સમાંથી મધ્ય પ્રદેશમાં કુનો પાલપુર નેશનલ પાર્ક (KNP) ને તેના યોગ્ય રહેઠાણ અને પર્યાપ્ત શિકાર આધારને કારણે ચિત્તા સંરક્ષણની શરૂઆત માટે અગ્રતા સૂચિમાં મૂકવામાં આવ્યું હતું. આબોહવા, પર્વતીય અને ઘાસવાળા પ્રદેશો સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે ચિત્તાને શું ભાવે છે? તેમની શિકારની સ્ટાઈલ, તેમની દોડવાની ગતિ વગેરેને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ચિત્તાને ભારતમાં લાવવાનું કારણ વન્ય જીવન અને વન્ય જીવનના આવાસને પુનર્જીવિત કરવા તથા વિવિધતા લાવવાના પ્રયાસનો એક ભાગ છે.

મહામારીના કારણે પાટા પરથી ઉતરી યોજના

એક અધિકારીએ જણાવ્યું કે વિશ્વનું સૌથી ઝડપી પ્રાણી ચિત્તા નવેમ્બર 2021માં જ મધ્યપ્રદેશમાં આવવાની અપેક્ષા હતી, પરંતુ રોગચાળાને કારણે યોજના પાટા પરથી ઉતરી ગઈ. કેન્દ્રીય મંત્રીએ બુધવારે એક વોટર એટલાસ પણ બહાર પાડ્યું, જેમાં ભારતના વાઘોવાળા વિસ્તારમાં તમામ જળ સંસ્થાઓને મેપ કરવામાં આવ્યા છે. એટલાસમાં શિવાલિક ટેકરીઓ અને ગંગાના મેદાની લેન્ડસ્કેપ, સેન્ટ્રલ ઈન્ડિયન લેન્ડસ્કેપ અને ઈસ્ટર્ન ઘાટ્સ, વેસ્ટર્ન ઘાટ લેન્ડસ્કેપ, ઈશાન ઈસ્ટર્ન હિલ્સ અને બ્રહ્મપુત્રા ફ્લડ પ્લેઈન અને સુંદરવન સહિતના ઘણા પ્રદેશો વિશે માહિતી છે.

જળ સુરક્ષા માટે મહત્વપૂર્ણ

તેમણે કહ્યું કે અમારી પાસે દેશમાં 51 વાઘ અનામત છે અને વધુ વિસ્તારોને વાઘ અનામત નેટવર્ક હેઠળ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે વાઘ અનામત માત્ર વાઘ માટે જ નથી કારણ કે આ વિસ્તારોમાંથી 35થી વધુ નદીઓ નીકળે છે જે જળ સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે વાઘ અનામત અને ઈકો-ટુરીઝમના સંરક્ષણ માટે સ્થાનિક સમુદાયોની ભાગીદારી માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ કહ્યું કે ભારત તે દેશોમાંથી એક છે, જે પર્યાવરણીય ભૂલોને દૂર કરવામાં માને છે. ભૂલ સુધારવી જોઈએ. વધુ પડતા શિકારને કારણે ભારતમાં ચિત્તા લુપ્ત થઈ ગયા. અમે ચિત્તાઓને પરત લાવવાનો નિર્ણય લીધો છે, આ ભૂલ સુધારવામાં આવી રહી છે.

પીએમ મોદી પહોંચ્યા કુનો પાર્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના જન્મદિવસ પર મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવી રહેલા આઠ ચિત્તાઓને રિલીઝ કરવા જઈ રહ્યા છે. તેમાંથી પાંચ માદા અને ત્રણ નર ચિત્તા છે. શિકાર, રહેઠાણની ખોટને કારણે, ચિત્તા ભારતમાંથી સંપૂર્ણપણે લુપ્ત થઈ ગયા હતા. સરકારે 1952માં આ પ્રાણીને લુપ્ત જાહેર કર્યું હતું.

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">