AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parliament Winter Session: કોંગ્રેસ, શિવસેના, TMC, CPI, CPM સહિત 12 રાજ્યસભા સાંસદ વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ

12 Rajya Sabha MPs Suspended: વિપક્ષી પાર્ટીઓના 12 સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Parliament Winter Session: કોંગ્રેસ, શિવસેના, TMC, CPI, CPM સહિત 12 રાજ્યસભા સાંસદ વર્તમાન શિયાળુ સત્રમાંથી સસ્પેન્ડ
Rajya Sabha (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2021 | 4:37 PM
Share

સંસદના વર્તમાન શિયાળુ સત્રમાંથી વિરોધ પક્ષના 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જે સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જેમાં સંસદમાં 11 ઓગસ્ટે થયેલા હંગામાના કારણે કોંગ્રેસ, TMC, CPI, CPM અને શિવસેનાના 12 સાંસદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસ(Congress)ના 6, TMC 2 અને શિવસેના(Shiv Sena)ના 2, સીપીઆઈ(CBI) 1, સીપીએમ(CPM) 1 છે.

વિપક્ષી પાર્ટીઓના 12 સાંસદોને સમગ્ર શિયાળુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાં ઈલામારામ કરીમ (CPM), ફૂલો દેવી નેતામ, છાયા વર્મા, આર બોરા, રાજામણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ), બિનોય વિશ્વમ (CPI), ડોલા સેન અને શાંતા છેત્રી (TMC), પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ (શિવસેના).

સસ્પેન્શન પર સાંસદે શું કહ્યું ?

ગત ચોમાસુ સત્ર દરમિયાન થયેલા હોબાળાને કારણે આ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ રાજ્યસભામાં આ માહિતી આપી છે. રાજ્યસભામાંથી સસ્પેન્ડ થવા પર શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું છે કે અમારો પક્ષ જાણ્યા વિના આ કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે તમે સીસીટીવી ફૂટેજ જોશો તો ખબર પડશે કે પુરુષ માર્શલ મહિલા સાંસદોને માર મારી રહ્યા છે. આ બધું એક તરફ અને તમારો નિર્ણય બીજી તરફ? આ કેવું અસંસદીય વર્તન છે?

કોંગ્રેસ સાંસદ છાયા વર્માએ કહ્યું કે આ સસ્પેન્શન અયોગ્ય અને અન્યાયી છે. અન્ય પક્ષોના ઘણા સભ્યોએ પણ હંગામો કર્યો પરંતુ સ્પીકરે મને સસ્પેન્ડ કરી દીધી. પીએમ મોદી જે ઈચ્છે છે તે કરી રહ્યા છે કારણ કે તેમની પાસે વિશાળ બહુમતી છે.

કોંગ્રેસના સાંસદ રિપુન બોરાએ કહ્યું કે આ સંપૂર્ણપણે અલોકતાંત્રિક છે. લોકશાહી અને બંધારણની હત્યા થઈ છે. અમને સાંભળવાની તક આપવામાં આવી નથી. આ એકતરફી, પક્ષપાતી, બદલો લેવાનો નિર્ણય છે. વિપક્ષી દળોની સલાહ લેવામાં આવી ન હતી.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં હંગામા દરમિયાન ધક્કા-મુક્કી કરવા અને ગૃહની મર્યાદાનું કથિત રૂપે ઉલ્લંઘનના આક્ષેપ બાદ રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુએ આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિની ભલામણોના આધારે આજે આ સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે અને તે 23 ડિસેમ્બર સુધી ચાલશે.

ભાજપે કર્યું સ્વાગત

રાજ્યસભામાંથી 12 સાંસદોને સસ્પેન્ડ કરવા પર ભાજપના સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે છેલ્લા સત્રના છેલ્લા દિવસે વિપક્ષે જે રીતે હંગામો મચાવ્યો હતો તે મેં મારા સંસદીય જીવનમાં આવી અરાજકતા જોઈ નથી. આ એક આવકારદાયક પગલું છે અને જે લોકો નિયમો અને નિયમોનું પાલન નથી કરતા તેમને આ સંદેશો જવો જોઈએ.

આ પણ વાંચો: Farm Laws Repeal Bill 2021 : લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિ કાયદા પરત ખેંચવા માટેનું બિલ પાસ, લોકસભા આવતીકાલ સવાર સુધી સ્થગિત

આ પણ વાંચો: યુદ્ધ તો જીત્યું પરંતુ દેશ ચલાવામાં છૂટી રહ્યો છે પરસેવો, તાલિબાને યુરોપિયન યૂનિયન પાસે ઝોળી ફેલાવી

Follow Us
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
કોના ભાગ્યમાં છે 'ધનલાભ' અને કોને મળશે 'માનસિક શાંતિ'?
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
g clip-path="url(#clip0_868_265)">