હવે મુંબઈથી શેરડી અને સોલાપુર સુધી દોડશે વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને તેનું ભાડુ

ભારતીય રેલવે મુજબ મુંબઈ-શેરડી અને મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન સિદ્ધેશ્વર, અક્કલકોટ, તુલજાપુર, સોલાપુરની પાસે પંઢરપુર અને પૂણેની પાસે આલંદીના તીર્થ શહેરોને ઝડપથી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

હવે મુંબઈથી શેરડી અને સોલાપુર સુધી દોડશે વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને તેનું ભાડુ
Vande Bharat ExpressImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 2:46 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ-સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. ભારતીય રેલવેની 9મી અને 10મી વંદે ભારત એક્સપ્રેસ સિદ્ધેશ્વર, શેરડી અને ત્ર્યંબકેશ્વરના તીર્થ નગરોને જોડશે. વડાપ્રધાન મોદી આજે બપોરે 3 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. વંદે ભારત એક્સપ્રેસ એક સેમી-હાઈસ્પીડ એસી ચેયર કાર ટ્રેન સેવા છે.

આ છે વંદે ભારતનો સમય

  1. ટ્રેન નંબર 22223 મુંબઈ-સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસ સીએસએમટીથી સવારે 6.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને 5 કલાક 20 મિનિટમાં 11.40 વાગ્યે સાઈનગર શેરડી પહોંચશે. આ દાદર,થાણે અને નાસિક રોડ પર રોકાશે.
  2. યાત્રાથી પરત ફરતા ટ્રેન નંબર 22224 સાઈનગર શેરડી-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ સાયનગર શેરડીથી સાંજે 5.25 વાગ્યે પ્રસ્થાન કરશે અને 5 કલાક 25 મિનિટમાં રાત્રે 10.50 વાગ્યે મુંબઈ પહોંચશે.
  3. મુંબઈ સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસ મુંબઈને મહારાષ્ટ્રના તીર્થ કેન્દ્રો જેવા નાસિક, ત્ર્યંબકેશ્વર અને સાઈનગર શેરડીથી જોડશે.
  4. ટ્રેન નંબર 22226 સોલાપુર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ સોલાપુરથી સવારે 6.05 વાગ્યે પ્રસ્થાન કરશે અને 6 કલાક 30 મિનિટમાં 12.35 વાગ્યે મુંબઈ પહોંચશે. રસ્તામાં આ કુર્દુવાડી, પૂણે, કલ્યાણ અને દાદરમાં રોકાશે.
  5. દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
    શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
    Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
    એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ
    Garlic Benefits : રોજ લસણની બે કળી ખાલી પેટ ખાવાના ચમત્કારિક ફાયદા
    આ છે હિંદુ ધર્મનું સૌથી નાનું અને પ્રસિદ્ધ પુસ્તક, ફક્ત વાંચવાથી દુર થાય છે મુસીબત !
  6. ટ્રેન નંબર 22225 મુંબઈ સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ સીએસએમટીથી સાંજે 4.05 વાગ્યે ચાલશે અને 6 કલાક 35 મિનિટમાં રાત્રે 10.40 વાગ્યે સોલાપુર પહોંચશે. બંને ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ ચાલશે.

આ પણ વાંચો: BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યુ- આ સુનાવણી યોગ્ય નથી

જાણો કેટલું હશે ભાડુ?

  1. મુંબઈ-શેરડી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરનારા યાત્રીઓને ચેયર કાર અને એક્ઝિક્યુટીવ ચેયર કાર સીટો માટે 975 રૂપિયા અને 1840 રૂપિયા ચૂકવવા પડશે આ ભાડામાં ફૂડ સામેલ છે.
  2. જો તમે ઓન-બોર્ડ કેટરિંગનો વિકલ્પ પસંદ નથી કરતા તો તમને ચેયરકાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટો માટે 840 રૂપિયા અને 1670 રૂપિયા ચૂકવવા પડશે.
  3. ત્યારે સાઈનગર શેરડીથી મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનું ભાડુ ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કારનું 1130 રૂપિયા અને 2020 રૂપિયા હશે. તેમાં ફૂડ પણ સામેલ છે.
  4. મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટ માટે 1300 રૂપિયા અને 2365 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં ફૂડ પણ સામેલ છે.
  5. જો તમે ઓન-બોર્ડ કેટરિંગનો વિકલ્પ પસંદ કરતા નથી તો તમારે ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટ માટે 1010 રૂપિયા અને 2015 રૂપિયા ભાડુ ચૂકવવુ પડશે.
  6. સોલાપુરથી સોલાપુર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનું ભાડુ ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કારનું ભાડુ 1150 રૂપિયા અને 2185 રૂપિયા હશે. તેમાં ફૂડ પણ સામેલ છે.
  7. જો તમે કેટરિંગ વગર ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર પસંદ કરશો તો તમારે 1010 રૂપિયા અને 2015 રૂપિયા ભાડુ ચૂકવવુ પડશે.

મુંબઈ-શેરડી અને મુંબઈ સોલાપુર વંદે ભારત ટ્રેનનું શેડ્યુલ

ભારતીય રેલવે મુજબ મુંબઈ-શેરડી અને મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન સિદ્ધેશ્વર, અક્કલકોટ, તુલજાપુર, સોલાપુરની પાસે પંઢરપુર અને પૂણેની પાસે આલંદીના તીર્થ શહેરોને ઝડપથી કનેક્ટિવિટી પ્રદાન કરશે. નવી વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોને યાત્રાના સમયમાં 1 કલાક 30 મિનિટ બચાવવામાં મદદ કરશે, કારણ કે આ માર્ગ પર સૌથી ઝડપી ટ્રેન હાલમાં 7 કલાક 55 મિનિટનો સમય લે છે.

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
આગામી 48 કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
Rain Update : ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
આ રાશિના જાતકો પૈસાની લેવડ-દેવડમાં રાખે સાવધાની
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
g clip-path="url(#clip0_868_265)">