AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે મુંબઈથી શેરડી અને સોલાપુર સુધી દોડશે વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને તેનું ભાડુ

ભારતીય રેલવે મુજબ મુંબઈ-શેરડી અને મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન સિદ્ધેશ્વર, અક્કલકોટ, તુલજાપુર, સોલાપુરની પાસે પંઢરપુર અને પૂણેની પાસે આલંદીના તીર્થ શહેરોને ઝડપથી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

હવે મુંબઈથી શેરડી અને સોલાપુર સુધી દોડશે વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને તેનું ભાડુ
Vande Bharat ExpressImage Credit source: File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2023 | 2:46 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ અને મુંબઈ-સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી બતાવી. ભારતીય રેલવેની 9મી અને 10મી વંદે ભારત એક્સપ્રેસ સિદ્ધેશ્વર, શેરડી અને ત્ર્યંબકેશ્વરના તીર્થ નગરોને જોડશે. વડાપ્રધાન મોદી આજે બપોરે 3 વાગ્યે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી બે ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. વંદે ભારત એક્સપ્રેસ એક સેમી-હાઈસ્પીડ એસી ચેયર કાર ટ્રેન સેવા છે.

આ છે વંદે ભારતનો સમય

  1. ટ્રેન નંબર 22223 મુંબઈ-સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસ સીએસએમટીથી સવારે 6.20 વાગ્યે પ્રસ્થાન કરશે અને 5 કલાક 20 મિનિટમાં 11.40 વાગ્યે સાઈનગર શેરડી પહોંચશે. આ દાદર,થાણે અને નાસિક રોડ પર રોકાશે.
  2. યાત્રાથી પરત ફરતા ટ્રેન નંબર 22224 સાઈનગર શેરડી-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ સાયનગર શેરડીથી સાંજે 5.25 વાગ્યે પ્રસ્થાન કરશે અને 5 કલાક 25 મિનિટમાં રાત્રે 10.50 વાગ્યે મુંબઈ પહોંચશે.
  3. મુંબઈ સાઈનગર શેરડી વંદે ભારત એક્સપ્રેસ મુંબઈને મહારાષ્ટ્રના તીર્થ કેન્દ્રો જેવા નાસિક, ત્ર્યંબકેશ્વર અને સાઈનગર શેરડીથી જોડશે.
  4. ટ્રેન નંબર 22226 સોલાપુર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ સોલાપુરથી સવારે 6.05 વાગ્યે પ્રસ્થાન કરશે અને 6 કલાક 30 મિનિટમાં 12.35 વાગ્યે મુંબઈ પહોંચશે. રસ્તામાં આ કુર્દુવાડી, પૂણે, કલ્યાણ અને દાદરમાં રોકાશે.
  5. ટ્રેન નંબર 22225 મુંબઈ સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ સીએસએમટીથી સાંજે 4.05 વાગ્યે ચાલશે અને 6 કલાક 35 મિનિટમાં રાત્રે 10.40 વાગ્યે સોલાપુર પહોંચશે. બંને ટ્રેન અઠવાડિયામાં 5 દિવસ ચાલશે.

આ પણ વાંચો: BBC ડોક્યુમેન્ટરી પર પ્રતિબંધ મૂકવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહ્યુ- આ સુનાવણી યોગ્ય નથી

જાણો કેટલું હશે ભાડુ?

  1. મુંબઈ-શેરડી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરનારા યાત્રીઓને ચેયર કાર અને એક્ઝિક્યુટીવ ચેયર કાર સીટો માટે 975 રૂપિયા અને 1840 રૂપિયા ચૂકવવા પડશે આ ભાડામાં ફૂડ સામેલ છે.
  2. જો તમે ઓન-બોર્ડ કેટરિંગનો વિકલ્પ પસંદ નથી કરતા તો તમને ચેયરકાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટો માટે 840 રૂપિયા અને 1670 રૂપિયા ચૂકવવા પડશે.
  3. ત્યારે સાઈનગર શેરડીથી મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનું ભાડુ ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કારનું 1130 રૂપિયા અને 2020 રૂપિયા હશે. તેમાં ફૂડ પણ સામેલ છે.
  4. મુંબઈ-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરનારા મુસાફરોને ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટ માટે 1300 રૂપિયા અને 2365 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં ફૂડ પણ સામેલ છે.
  5. જો તમે ઓન-બોર્ડ કેટરિંગનો વિકલ્પ પસંદ કરતા નથી તો તમારે ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર સીટ માટે 1010 રૂપિયા અને 2015 રૂપિયા ભાડુ ચૂકવવુ પડશે.
  6. સોલાપુરથી સોલાપુર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનું ભાડુ ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કારનું ભાડુ 1150 રૂપિયા અને 2185 રૂપિયા હશે. તેમાં ફૂડ પણ સામેલ છે.
  7. જો તમે કેટરિંગ વગર ચેયર કાર અને એક્ઝીક્યૂટિવ ચેયર કાર પસંદ કરશો તો તમારે 1010 રૂપિયા અને 2015 રૂપિયા ભાડુ ચૂકવવુ પડશે.

મુંબઈ-શેરડી અને મુંબઈ સોલાપુર વંદે ભારત ટ્રેનનું શેડ્યુલ

ભારતીય રેલવે મુજબ મુંબઈ-શેરડી અને મુંબઈ-સોલાપુર વંદે ભારત ટ્રેન સિદ્ધેશ્વર, અક્કલકોટ, તુલજાપુર, સોલાપુરની પાસે પંઢરપુર અને પૂણેની પાસે આલંદીના તીર્થ શહેરોને ઝડપથી કનેક્ટિવિટી પ્રદાન કરશે. નવી વંદે ભારત એક્સપ્રેસ મુસાફરોને યાત્રાના સમયમાં 1 કલાક 30 મિનિટ બચાવવામાં મદદ કરશે, કારણ કે આ માર્ગ પર સૌથી ઝડપી ટ્રેન હાલમાં 7 કલાક 55 મિનિટનો સમય લે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">