AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે મુસાફરોની સુવિધામાં વધારો, ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વાપી સ્ટેશન પર સ્ટોપેજ અપાયું

પશ્ચિમ રેલવેએ(Western Railway) મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના(Vande Bharat Express Train) સ્ટોપેજમાં વધારો કર્યો છે. જેમાં 26 ઓકટોબરના રોજ ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે વાપી સ્ટેશન(Vapi) પર પણ ઉભી રહેશે.

રેલવે મુસાફરોની સુવિધામાં વધારો, ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વાપી સ્ટેશન પર સ્ટોપેજ અપાયું
Vande Bharat Express
Darshal Raval
| Edited By: | Updated on: Oct 25, 2022 | 10:30 PM
Share

પશ્ચિમ રેલવેએ(Western Railway) મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર– મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના(Vande Bharat Express Train) સ્ટોપેજમાં વધારો કર્યો છે. જેમાં 26 ઓકટોબરના રોજ ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે વાપી સ્ટેશન(Vapi) પર પણ ઉભી રહેશે. જેમાં પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને 26મી ઓક્ટોબર, 2022થી વાપી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. વાપી સ્ટેશન પર વધારાના સ્ટોપેજને કારણે ટ્રેનના અન્ય સ્ટેશનો પરના સમયમાં ફેરફાર કરવામાં આવશે. નોંધનીય છે કે મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનો પર આ ટ્રેનના સમયમાં (પ્રસ્થાન અને આગમન)માં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ ટ્રેનનો સમય નીચે મુજબ છે. જેમાં ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 08.04 કલાકે વાપી સ્ટેશન પહોંચશે અને 26 ઓક્ટોબર, 2022થી 08.06 કલાકે ઉપડશે. સુરત સ્ટેશન પર, ટ્રેન હવે 08.50/08.53 કલાકને બદલે 09.00/09.03 કલાકે આવશે/ઉપડશે. ટ્રેન હવે વડોદરા સ્ટેશન પર 10.10/10.15 કલાકને બદલે 10.13/10.16 કલાકે આવશે/પ્રસ્થાન કરશે. અમદાવાદ સ્ટેશનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

જ્યારે પરત ફરતી વખતે અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસના સમયમાં (આગમન/પ્રસ્થાન)માં કોઈ ફેરફાર થશે નહીં. સુરત સ્ટેશન પર, ટ્રેન હવે 17.23/17.25 કલાકને બદલે 17.10/17.13 કલાકે આવશે/ઉપડશે. ટ્રેન વાપી સ્ટેશને 18.38 કલાકે પહોંચશે અને 18.40 કલાકે ઉપડશે.

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">