AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રેલવે મુસાફરોની સુવિધામાં વધારો, ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વાપી સ્ટેશન પર સ્ટોપેજ અપાયું

પશ્ચિમ રેલવેએ(Western Railway) મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના(Vande Bharat Express Train) સ્ટોપેજમાં વધારો કર્યો છે. જેમાં 26 ઓકટોબરના રોજ ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે વાપી સ્ટેશન(Vapi) પર પણ ઉભી રહેશે.

રેલવે મુસાફરોની સુવિધામાં વધારો, ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને વાપી સ્ટેશન પર સ્ટોપેજ અપાયું
Vande Bharat Express
Darshal Raval
| Edited By: | Updated on: Oct 25, 2022 | 10:30 PM
Share

પશ્ચિમ રેલવેએ(Western Railway) મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર– મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના(Vande Bharat Express Train) સ્ટોપેજમાં વધારો કર્યો છે. જેમાં 26 ઓકટોબરના રોજ ગાંધીનગર- મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે વાપી સ્ટેશન(Vapi) પર પણ ઉભી રહેશે. જેમાં પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર મુસાફરોની સુવિધા માટે, ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને 26મી ઓક્ટોબર, 2022થી વાપી સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. વાપી સ્ટેશન પર વધારાના સ્ટોપેજને કારણે ટ્રેનના અન્ય સ્ટેશનો પરના સમયમાં ફેરફાર કરવામાં આવશે. નોંધનીય છે કે મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનો પર આ ટ્રેનના સમયમાં (પ્રસ્થાન અને આગમન)માં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ ટ્રેનનો સમય નીચે મુજબ છે. જેમાં ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ 08.04 કલાકે વાપી સ્ટેશન પહોંચશે અને 26 ઓક્ટોબર, 2022થી 08.06 કલાકે ઉપડશે. સુરત સ્ટેશન પર, ટ્રેન હવે 08.50/08.53 કલાકને બદલે 09.00/09.03 કલાકે આવશે/ઉપડશે. ટ્રેન હવે વડોદરા સ્ટેશન પર 10.10/10.15 કલાકને બદલે 10.13/10.16 કલાકે આવશે/પ્રસ્થાન કરશે. અમદાવાદ સ્ટેશનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.

જ્યારે પરત ફરતી વખતે અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ – મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસના સમયમાં (આગમન/પ્રસ્થાન)માં કોઈ ફેરફાર થશે નહીં. સુરત સ્ટેશન પર, ટ્રેન હવે 17.23/17.25 કલાકને બદલે 17.10/17.13 કલાકે આવશે/ઉપડશે. ટ્રેન વાપી સ્ટેશને 18.38 કલાકે પહોંચશે અને 18.40 કલાકે ઉપડશે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">