Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેર ! આગામી 3 થી 4 દિવસમાં લેવાઈ શકે છે લોકડાઉનનો નિર્ણય

નીતિન રાઉત નાગપુરના સંરક્ષક મંત્રી પણ છે. તેમણે સ્વીકાર્યું છે કે કોરોનાની ત્રીજી લહેર નાગપુરમાં આવી ગઈ છે. આવી પરીસ્થિતિમાં તેને નાગપુરથી આગળ વધતી અટકાવવી પડશે. તેથી, નાગપુરમાં 3-4 દિવસમાં લોકડાઉન લાદવા અંગે નિર્ણય લેવાશે.

Maharashtra : નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેર ! આગામી 3 થી 4 દિવસમાં લેવાઈ શકે છે લોકડાઉનનો નિર્ણય
નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેર, 3-4 દિવસમાં લોકડાઉન થશે (સાંકેતીક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 8:38 PM

Maharashtra : મોટા સમાચાર! કોરોનાની ત્રીજી લહેર (Third Wave of Corona in Maharashtra) મહારાષ્ટ્રની સામે આવીને ઉભી છે. ત્યારે સમાચાર આવ્યા છે કે મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. કોરોનાની ત્રીજી લહેર નાગપુરમાં પ્રવેશી ચુકી છે. એવી આશંકા છે કે આ લહેર નાગપુર થઈને મહારાષ્ટ્રમાં ઝડપથી ફેલાઈ શકે છે.

વધતા જતા કોરોના સંક્રમણને જોતા નાગપુરમાં ફરી એક વખત લોકડાઉન લાદવામાં આવનાર છે. હા, તમે બરાબર વાંચ્યું. નાગપુરમાં ફરી એક વખત લોકડાઉન (Lockdown in Nagpur) થવા જઈ રહ્યું છે.  મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડી સરકારમાં (Mahavikas Aghadi)  કેબિનેટ મંત્રી નીતિન રાઉતે (Nitin Raut, Cabinet Minister of Maharashtra) આ માહિતી આપી છે.

તમને જણાવી દઈએ કે નીતિન રાઉત નાગપુરના સંરક્ષક મંત્રી પણ છે. તેઓ પોતે જ સ્વીકારી રહ્યા છે કે કોરોનાની ત્રીજી લહેર નાગપુરમાં પ્રવેશી ચુકી છે. આવી પરિસ્થિતિમાં આ લહેરને નાગપુરથી આગળ વધતી અટકાવવી પડશે. તેથી, નાગપુરમાં 3-4 દિવસમાં લોકડાઉન લાદવા અંગે નિર્ણય લેવાશે.

ક્યાંક તમે ખોટી રીતે તો સનસ્ક્રીન લોશન નથી લગાવી રહ્યા ને! જાણો યોગ્ય રીત
બદામ કેટલાં દિવસમાં બગડે છે? જાણો સાચવવાની સાચી રીત
સવારે ગાયનું ઘરે આવવું કઈ વાતનો આપે છે સંકેત?
Mangoes For Mughal : મુઘલો માટે કેરી ક્યાંથી આવતી?
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનની પત્નીએ જાહેર કર્યું એક ઈનામ
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) માં નોકરી કેવી રીતે મળે?

નાગપુરમાં 3-4 દિવસમાં લોકડાઉન લાદવાનો નિર્ણય- નીતિન રાઉત

કેબિનેટ મંત્રી નીતિન રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્ર કોરોનાની ત્રીજી લહેર સામે છે. તેમણે નાગપુરમાં કોરોનાની ત્રીજી લહેરના પ્રવેશને સ્વીકાર્યો છે. તેમણે ફરી એકવાર નાગપુરમાં લોકડાઉન લાદવાની વાત કરી છે. નીતિન રાઉતે કહ્યું છે કે નાગપુરમાં લોકડાઉન લગાવવા સંબંધિત નિર્ણય 3-4 દિવસમાં લેવામાં આવશે. મંત્રી નીતિન રાઉતે કહ્યું કે તેઓ નજર રાખશે કે ત્રણ-ચાર દિવસમાં કોરોના સંક્રમિત દર્દીઓના કેટલા કેસ આવે છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ (Corona in Maharashtra) ફરી એક વખત ઝડપથી વધવા લાગ્યું છે. ખાસ કરીને નાગપુરમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે.

અમે નાગપુરમાં ત્રીજી લહેરનો સામનો કરવા માટે ગંભીર છીએ: નીતિન રાઉત

નીતિન રાઉતે કહ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગપુરમાં ઓછામાં ઓછું વીકેન્ડ લોકડાઉન લાવવું જરૂરી બની ગયું છે. આ માટે તેઓ આગામી 3-4 દિવસ સુધી પરિસ્થિતિ પર નજર રાખશે.આ  દરમિયાન, તેઓ વેપારીઓ, દુકાનદારો અને વિવિધ વિસ્તારોના લોકો સાથે વાત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ સાથે પણ ચર્ચા કરશે. તેમજ મીડિયા સાથે પણ વાત કરશે.

દરેકના અભિપ્રાય જાણ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. પરંતુ ત્રણ-ચાર દિવસમાં આ નિર્ણય લેવો નિશ્ચિત છે. આવી સ્થિતિમાં, અઠવાડિયાના દિવસોમાં ફરી એકવાર રેસ્ટોરન્ટને સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લો રાખવાનો આદેશ આવી શકે છે. દુકાનો માટેની સમયમર્યાદા પણ ઘટાડી શકાય છે અને વીકેન્ડમાં સંપૂર્ણ લોકડાઉન લાદવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

નાગપુરમાં કોરોનાની સ્થિતિ આ છે, તેથી લોકડાઉનની જરૂરિયાત વધી છે

છેલ્લા કેટલાક મહિનાઓથી નાગપુરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક અંકમાં આવી રહી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ સંખ્યા બે આંકડામાં આવવા લાગી છે. ચિંતા વધારવાનું આ સૌથી મહત્વનું કારણ છે. આને ધ્યાનમાં રાખીને નીતિન રાઉતે આજે વિભાગીય કમિશ્નરો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ પછી, મીડિયા સાથે વાત કરતી વખતે, તેમણે લોકડાઉન લાદવાની વાત કરી.

કેટલાક સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, તેમાંથી કેટલા ડેલ્ટા પ્લસ છે તે જાણવું જરૂરી  

નીતિન રાઉતે કહ્યું કે કેટલાક સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. શું તેમાં ડેલ્ટા પ્લસ છે? જો છે તો કેટલા ડેલ્ટા પ્લસ છે? આ જાણ્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. પરંતુ ગયા વખતની ભૂલનું પુનરાવર્તન કરવામાં નહીં આવે. તરત જ એક્શન લેવાશે.

આ પણ વાંચો : Maharashtra : મુંબઈમાં કોરોનાનાં નવા લક્ષણો આવ્યા સામે, જાણો આ લક્ષણો વિશે

જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
જમ્મુ કાશ્મીર હુમલા બાદ ભારતે 'એક્શન મોડ' એક્ટિવેટ કર્યો
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
નાની ઉંમરે કેમ આવી રહ્યા છે હાર્ટ એટેક ? જાણો એક્સપર્ટે શું કહ્યું
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
મહુધામાં યુવક-યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
હાઈડ્રો પ્રોજેક્ટનો વિરોધ, આદિવાસીઓ સમાજમાં રોષ ભભૂક્યો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
સિંગતેલના ભાવ 4 વર્ષના તળિયે પહોચતા સામાન્ય જનતામાં હાશકારો
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
મોરબીમાં જાહેર રસ્તા પર પાકિસ્તાની ધ્વજ દોરી કરાયો વિરોધ
આતંકીઓ સાથે 'જેવા સાથે તેવા' વ્યવહાર કરો: પીડિત કાશ્મીરી પરિવાર, Video
આતંકીઓ સાથે 'જેવા સાથે તેવા' વ્યવહાર કરો: પીડિત કાશ્મીરી પરિવાર, Video
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
વક્ફ બોર્ડના બની બેઠેલા ટ્રસ્ટીઓના કેસમાં વધુ 2 આરોપી વિરુદ્ધ ફરિયાદ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
સિંધુ ભવન રોડ પરથી ઝડપાયું હાઈ પ્રોફાઈલ જુગારધામ, 11 જુગારીની ધરપકડ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">