AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભણતરનો ભાર! દિલ્હીથી ઘર છોડીને મહારાષ્ટ્ર પહોચી તરૂણી, ઓટોરિક્ષા ચાલકે પરીવાર સાથે આ રીતે કરાવ્યો મેળાપ

નવી દિલ્હીના પુષ્પ વિહારનો એક કિશોરી અભ્યાસના દબાણમાં મહારાષ્ટ્ર ભાગી ગઈ હતી. ત્યાં તેણે ઓટો રિક્ષા ચાલક રાજુ કરવડેને રૂમ વિશે પૂછ્યું. જે બાદ ડ્રાઈવરે પોલીસને મામલાની જાણ કરી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી અને તેને તેના માતા-પિતા પાસે પહોચાડી.

ભણતરનો ભાર! દિલ્હીથી ઘર છોડીને મહારાષ્ટ્ર પહોચી તરૂણી, ઓટોરિક્ષા ચાલકે પરીવાર સાથે આ રીતે કરાવ્યો મેળાપ
મહારાષ્ટ્રના ઓટોરીક્ષા ડ્રાઈવરે તરૂણીનો પરીવાર સાથે મેળાપ કરાવ્યો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 8:59 PM
Share

અભ્યાસને લઈને માતા-પિતા દ્વારા દબાણ કરવાના મામલે ઘર છોડી ગયેલી 14 વર્ષની કિશોરી મહારાષ્ટ્રમાં (Maharashtra) ઓટોરિક્ષા ચાલકની (Autorickshaw driver) મદદથી તેના પરિવારને ફરી મળી શકી છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી છે. માણિકપુર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર ભાઈસાહેબ કે અહિરના જણાવ્યા અનુસાર, ઑટોરિક્ષા ડ્રાઈવર રાજુ કરવડે (35) શનિવારે સવારે અહીં વસઈ સ્ટેશનની બહાર મુસાફરોની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે એક છોકરી તેની પાસે પહોંચી અને પુછ્યું કે, શું તેને આ વિસ્તારમાં રહેવા માટે રૂમ મળી શકે છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શંકા થવા પર ડ્રાઇવરે યુવતીનું ઓળખપત્ર જોયું અને તેની પૂછપરછ કરી. કિશોરીએ ઓટોરિક્ષા ચાલકને કહ્યું કે તે નવી દિલ્હીની છે અને અહીં એકલી આવી છે. ઓટોરિક્ષા ચાલકે તરત જ ટ્રાફિક પોલીસ અધિકારીને જાણ કરી અને પછી છોકરીને માણિકપુર પોલીસ સ્ટેશન લઈ ગયો.

કિશોરી દિલ્હીના પુષ્પ વિહારની રહેવાસી છે

કિશોરીએ પોલીસને જણાવ્યું કે તે નવી દિલ્હીના પુષ્પ વિહારની રહેવાસી છે અને શુક્રવારે ઘરેથી ભાગી ગઈ હતી કારણ કે તેની માતા તેના પર અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા દબાણ કરતી હતી. પાલઘર પોલીસે દિલ્હીના સાકેત પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, જ્યાં બાળકીના માતા-પિતાએ પહેલાથી જ અપહરણનો કેસ નોંધાવ્યો હતો.

બાદમાં પોલીસે બાળકીના માતા-પિતાને તેના ઠેકાણા અંગે જાણ કરી હતી. અધિકારીએ આગળ જણાવ્યું કે, આ પછી, છોકરીના માતા-પિતા વિમાન દ્વારા પહોંચ્યા, જ્યાં તેઓ શનિવારે મોડી સાંજે તેમની પુત્રીને મળી શક્યા. આ સાથે જ ઓટોરિક્ષા ચાલકની સતર્કતા અને સમજણ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

મહારાષ્ટ્રમાં રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે 23 જાન્યુઆરીથી શાળા શરૂ કરવાની મંજૂરી આપી હતી. જો કે રાજ્ય સરકારે સ્થાનિક વહીવટીતંત્રને તેમના જિલ્લા સંબંધિત મામલામાં ત્યાં શાળાઓ ખોલવી કે નહીં તે નક્કી કરવાની સત્તા આપી છે. આ રીતે રાજ્યના ઘણા જિલ્લાઓમાં સોમવારથી શાળાઓ ખુલી ગઈ છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે પુણેમાં શાળાઓ બંધ રાખવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં 31 જાન્યુઆરી સુધી શાળા બંધ રાખવાની જાહેરાત કરતા અજિત પવારે કહ્યુ હતુ કે તેઓ કોરોનાની સ્થિતિને (Corona Condition) ધ્યાનમાં રાખીને આગામી સમયમાં શાળા-કોલેજ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે. ત્યારે હાલ સંક્રમણ ઘટતા શાળાઓ ફરીથી ખોલવામાં આવી રહી છે.

આ પણ વાંચો :  નવી વાઈન પોલિસી મુદ્દે રાજકારણ: BJP નેતાના આરોપ પર શિવસેના સાંસદ સંજય રાઉતે કર્યો વળતો પ્રહાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">