એનસીપી સાંસદ સુપ્રિયા સુલેની સાડીમાં લાગી આગ, પછી શું થયું? જુઓ VIDEO
આ ઘટના અંગે સુલેએ કહ્યું કે, ''હું હિંજેવાડી વિસ્તારમાં કરાટે સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે હતી, ત્યારે અચાનક મારી સાડીમાં આગ લાગી હતી. પરંતુ આગને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી.''
એનસીપી સાંસદ સુપ્રિયા સુલેની સાડીમાં આગ લાગવાની ઘટના બની હતી. સુપ્રિયા સુલે રવિવારે એક કાર્યક્રમમાં ભાગ લેવા પૂણેના હિંજવાડી વિસ્તારમાં પહોંચી હતી. અહીં કાર્યક્રમના ઉદ્ઘાટન દરમિયાન તેની સાડીના પલ્લુમાં આગ લાગી હતી. જોકે આગની ઘટનામાં એનસીપી સાંસદ સુપ્રિયા સુલેનો આબાદ બચાવ થયો હતો. બારામતીના સાંસદ સુલેએ પોતાના હાથે સાડીમાં લાગેલી આગને બુઝાવી હતી. સાંસદની સાડીના પલ્લુને આ રીતે આગ લાગતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઉદ્ઘાટન સમયે બની ઘટના
મીડિયા અહેવાલો અનુસાર સાંસદ સુલે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજની લઘુ પ્રતિમાને હાર પહેરાવી રહ્યા હતા. એક થાળીમાંનો દીવો સ્ટેજ પરના ટેબલ પર મૂકવામાં આવ્યો હતો. ટેબલની નજીક જતાં જ તેની સાડી નીચે મૂકેલા દીવાને સ્પર્શી ગઈ અને આગ લાગી. વાયરલ થયેલા એક વીડિયોમાં સુલે આગ ઓલવતા જોવા મળે છે.
#NCP MP Supriya Sule Saari catches fire in an event in Hinjewadi area of Pune.
Incident took during lighting up the lamp to inaugurate the event.#Pune@supriya_sule @NCPspeaks @PawarSpeaks @CPPuneCity pic.twitter.com/blZ1kTCLgU
— Indrajeet chaubey (@indrajeet8080) January 15, 2023
તે જ સમયે, સુલેએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે હું હિંજેવાડી વિસ્તારમાં કરાટે સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે હતી, ત્યારે અચાનક મારી સાડીમાં આગ લાગી હતી. પરંતુ આગને ઝડપથી કાબુમાં લેવામાં આવી હતી.
સમર્થકોને ચિંતા ન કરવા વિનંતી કરી
આ સાથે સુલેએ પોતાના સમર્થકોને ચિંતા ન કરવાની વિનંતી કરી છે. તેણીએ કહ્યું હું મારા સમર્થકો, નાગરિકો, પક્ષના અધિકારીઓ અને પ્રશંસકોને કહેવા માંગુ છું કે હું સુરક્ષિત છું અને તેઓએ ચિંતા ન કરવી જોઈએ. હું તેમના પ્રેમ અને કાળજીથી અભિભૂત છું.
સાંસદે પોતે સાડીમાં લાગેલી આગને બુઝાવી હતી
સુપ્રિયા સુલેના કાર્યાલયે જણાવ્યું હતું કે સાંસદ બારામતીની મુલાકાતે છે અને તેમના મતવિસ્તારમાં વિવિધ સ્થળોએ કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે. “જ્યારે તે હિંજેવાડીમાં આજના સમારોહમાં દીવો પ્રગટાવવાની હતી, ત્યારે તેની સાડીના પલ્લુમાં આગ લાગી હતી. તેણે માત્ર આગ ઓલવી. સાંસદે દિવસના કાર્યક્રમો ચાલુ રાખ્યા છે અને તે દિવસભર વ્યસ્ત રહેશે.”
જણાવી દઈએ કે NCP સાંસદ સુલેએ હિંજેવાડીમાં આયોજિત માર્ગ સુરક્ષા સપ્તાહના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સુલેએ ત્યાં ઉપસ્થિત લોકોને માર્ગ સલામતી વિશે જાગૃત કરવા કાર્યક્રમોને પ્રોત્સાહિત કર્યા હતા.