Gujarat Election 2022 : દેવગઢ બારિયા બેઠક પર મેજર અપસેટ સર્જાયો, એનસીપી ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી પત્ર પાછું ખેચ્યું

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો. જેમાં આજે મેજર અપસેટમાં દેવગઢ બારિયા વિધાનસભા બેઠકના એનસીપી ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી પત્ર પાછું ખેચ્યું છે. જેમાં આજે ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખે એનસીપી ઉમેદવારે પરત ફોર્મ ખેચ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2022 | 4:45 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો. જેમાં આજે મેજર અપસેટમાં દેવગઢ બારિયા વિધાનસભા બેઠકના એનસીપી ઉમેદવાર ગોપસિંહ લવારે ઉમેદવારી પત્ર પાછું ખેચ્યું છે. જેમાં આજે ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખે એનસીપી ઉમેદવારે પરત ફોર્મ ખેચ્યું છે. જો કે મહત્વની બાબત એ છે કે ગુજરાતમાં એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાં 3 બેઠકો એનસીપીને ફાળવી હતી. જેમાં દેવગઢ બારિયા બેઠક પર એનસીપી ઉમેદવાર તરીકે ગોપસિંહ લવારની પસંદગી કરાઈ હતી. જ્યારે અંતિમ દિવસે ગોપસિહ લવારએ પોતાનો ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા રાજકારણ ગરમાયું છે.

ગુજરાતમાં બે તબક્કામાં થશે મતદાન

ગુજરાતમાં  આગામી  ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ  તથા બીજા તબક્કાનું મતદાન  5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના  મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં   93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">