AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Sharad Pawar : રાજીનામું પરત ખેંચવા માટે સમર્થકોનું શરદ પવાર પર દબાણ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ ખળભળાટ મચી ગયો છે. રાજીનામું પરત ખેંચવા માટે સમર્થકોનું શરદ પવાર પર દબાણ, રાજીનામું પરત નહીં ખેંચાય તો અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી છોડશે.

Mumbai Sharad Pawar : રાજીનામું પરત ખેંચવા માટે સમર્થકોનું શરદ પવાર પર દબાણ
Sharad Pawar
Jignesh Patel
| Edited By: | Updated on: May 03, 2023 | 3:53 PM
Share

શરદ પવારના રાજીનામાથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પવારના નિર્ણય બાદ પાર્ટીના નેતા જિતેન્દ્ર આવ્હાણ સહિત કેટલાક નેતાઓએ પણ રાજીનામું આપી દીધું હતું. NCP કાર્યકર્તાઓ શરદ પવારના રાજીનામાનો જોરદાર વિરોધ કરી રહ્યા છે. રાજીનામું પરત નહીં ખેંચાય તો અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ પાર્ટી છોડશે, Y C સેન્ટર ખાતે એકઠા થયેલા શરદ પવારના સમર્થકો અને એનસીપીના નેતાઓએ સૂત્રોચાર અને બેનરો સાથે કર્યું પ્રદર્શન કરી રહ્યા છે, પાર્ટીના કાર્યકરો પણ પવારને તેમના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી રહ્યા છે. જોકે પવારનું પદ છોડવું એક મોટી યોજના કે પાવર પ્લે હોવાની સંભાવના છે.

આ પણ વાંચો :Breaking News: શરદ પવાર બાદ હવે NCP નેતા જિતેન્દ્ર અવ્હાણે રાષ્ટ્રીય મહાસચિવ પદ છોડ્યું , અન્ય નેતાઓ પણ આપી શકે છે રાજીનામું

જિતેન્દ્ર આવ્હાણે આપ્યું રાજીનામું

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં NCP નેતા જિતેન્દ્ર આવ્હાણે કહ્યું, “મેં મારા રાષ્ટ્રીય મહાસચિવ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને મેં NCP વડા શરદ પવારને મારું રાજીનામું મોકલી દીધું છે. પવાર સાહેબની જાહેરાત બાદ (પાર્ટી પ્રમુખ પદેથી રાજીનામું આપવાની) થાણે એનસીપીના તમામ હોદ્દેદારોએ પણ રાજીનામું આપી દીધું છે.”

શરદ પવારને મનાવવા કાર્યકરો કરી રહ્યા છે પ્રયાસ

શરદ પવારના એક સમર્થકે લોહીથી પત્ર લખીને તેમને રાષ્ટ્રપતિ પદ પર ચાલુ રાખવા માટે કહ્યું છે. કેટલાક કાર્યકરો ધરણા પર પણ બેઠા છે. બીજી તરફ, મંગળવારે પવારની જાહેરાત બાદ એનસીપીના મહારાષ્ટ્ર યુનિટના પ્રમુખ જયંત પાટીલ અને પાર્ટીના નેતા જિતેન્દ્ર ચવ્હાણ તૂટી પડ્યા હતા. પાર્ટીના સાંસદ પ્રફુલ્લ પટેલે હાથ જોડીને શરદ પવારને પોતાનો નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી.

g clip-path="url(#clip0_868_265)">