AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Parambir Singh કેસમાં હવે તપાસ કરશે SIT, અન્ય 5 પોલીસ અધિકારીની પણ તપાસ કરશે આ ટીમ

પરમબીર સિંહ અને અન્ય 5 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઈટી ટીમમાં સાત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Parambir Singh કેસમાં હવે તપાસ કરશે SIT, અન્ય 5 પોલીસ અધિકારીની પણ તપાસ કરશે આ ટીમ
Parambir Singh- File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 11:56 PM
Share

મુંબઈ પોલીસે પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ અને અન્ય 5 પોલીસ અધિકારીઓ સામે નોંધાયેલા કેસની તપાસ માટે એસઆઈટી(SIT)ની રચના કરી છે. ડીસીપી કક્ષાના અધિકારી આ તપાસ ટીમના હેડ રહેશે, જ્યારે એસીપી કક્ષાના અધિકારી આ સમગ્ર મામલાની તપાસ કરશે. એટલું જ નહીં, આ ઘટનામાં ફરિયાદ નોંધાવનારા શ્યામસુંદર અગ્રવાલ વિરુદ્ધ જુહુ પોલીસ સ્ટેશનમાં મકોકા (Maharashtra Control of Organized Crime Act) હેઠળ નોંધાયેલી FIRની તપાસ પણ આ ટીમ કરશે. અગ્રવાલનો સંબંધ છોટા શકીલ સાથે હોવાનો આરોપ છે.

આ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાંચના ડીસીપી અકબર પઠાણને લોકલ આર્મ્સ વિભાગમાં મોકલવામાં આવ્યા છે.  એક બિલ્ડર પાસેથી પૈસા વસુલવાના કેસમાં પરબીરસિંહની સાથે અકબર પઠાણનું નામ પણ સામે આવ્યુ છે. ગયા અઠવાડિયે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર(FIR) નોંધાઈ હતી.

મુંબઈના એક પોલીસ સ્ટેશનમાં ભાયંદરના બિલ્ડર શ્યામસુંદર અગ્રવાલ દ્વારા FIR નોંધાવાઈ હતી.  આ પછી પરમબીર સિંહ અને મુંબઈ પોલીસ ટીમના પાંચ અધિકારીઓ વિરુદ્ધ 15 કરોડની ખંડણી માંગવા મામલે કેસ નોંધવામાં આવ્યો હતો.

રદ અગ્રવાલે પણ લગાવ્યો છે આરોપ

બીજી તરફ શરદ અગ્રવાલ નામના વ્યક્તિએ પરમબીર સિંહ પર પણ બે કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે. શરદ અગ્રવાલ પાસે બે કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરીને જમીન બળજબરીથી તેમના નામે કરાવી લેવાનો આરોપ છે અને આ ઘટનામાં થાણે શહેરના કોપરી પોલીસ સ્ટેશનમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં પરમબીર સિંહ સાથે સંજય પુનમિયા, સુનીલ જૈન, મનોજ ઘોટકર અને ડીસીપી પરાગ મણેરે સહ આરોપી છે. આ મામલે વધુ તપાસ પોલીસ નિરીક્ષક ફુલપગારે કરી રહ્યા છે.

કોણ-કોણ છે આ SIT ટીમમાં?

પરમબીર સિંહ અને અન્ય 5 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કેસની તપાસ માટે બનાવવામાં આવેલી એસઆઈટી ટીમમાં સાત સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાત સભ્યોના નામ છે- નિમિત ગોયલ (પોલીસ ડેપ્યુટી કમિશનર), એમ.એમ. મુજાવર (આસીસટન્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ), પ્રિનમ પરબ (પોલીસ નિરીક્ષક, આર્થિક ગુનાઓ વિભાગ), સચિન પુરાણિક (પોલીસ નિરીક્ષક, એન્ટિ-રિકવરી ટીમ) ), વિનય ઘોરપડે (પોલીસ નિરીક્ષક) મહેન્દ્ર પાટીલ (આસીસટન્ટ પોલીસ નિરીક્ષક, ક્રાઈમ બ્રાંચ), વિશાલ ગાયકવાડ (મદદનીશ પોલીસ નિરીક્ષક, પશ્ચિમ વિભાગ, સાયબર પોલીસ થાણે).

મુંબઈ-થાણે રિકવરી કેસમાં પરમબીરની નજીકના પોલીસ અધિકારીઓની બદલી

મુંબઈ-થાણેના આ રિકવરી કેસમાં પરમબીરની નજીકના પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં બે ડીસીપી, બે એસપી અને એક મહિલા પોલીસ ઈન્સ્પેક્ટરના નામ છે. આ બધા લોકો ઉપર પરમબીર સિંહ સાથે ખંડણીના કામમાં સામેલ હોવાનો આરોપ છે.

આ લોકોના નામ – ડેપ્યુટી પોલીસ કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) અકબર પઠાણ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી EOW) પરાગ માનારે, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) સંજય પાટિલ, આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (એસીપી) શ્રીકાંત શિંદે, પોલીસ નિરીક્ષક આશા કોંરકે. તે તમામને લોકલ આર્મ્સ યુનિટમાં મોકલવામાં આવ્યા છે.

આ કેસમાં ACP સંજય પાટિલના ઘરે પાડ્યા સીબીઆઈ(CBI)એ દરોડા

આ કેસમાં એસીપી સંજય પાટીલના પુણેમાં રહેલા ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી મંગળવારે મોડી રાત સુધી ચાલી હતી. પુણેના કોથરૂદ વિસ્તારમાં આવેલા સંજય પાટીલના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. સંજય પાટીલ ઉપર અનિલ દેશમુખના કહેવાથી 100 કરોડની રિકવરી કેસમાં ભાગ લેવાનો આરોપ છે. સંજય પાટીલની આજે બદલી પણ કરવામાં આવી છે.

પરમબીર સિંહ અને અનિલ દેશમુખ કેસ

મહારાષ્ટ્રના પૂર્વમંત્રી અનિલ દેશમુખે સચિન વાજે અને સંજય પાટીલ સહિતના પોલીસ અધિકારીઓનો ઉપયોગ બાર અને રેસ્ટરન્ટ્સમાંથી દર મહિને 100 કરોડ રૂપિયા વસુલવા માટે કર્યો હતો. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીરસિંહે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને એક પત્ર લખ્યો હતો. જેમાં દેશમુખ કે તેમની કચેરીના કયા અધિકારીઓએ ગેરકાયદેસર વર્તન કે ગુના કર્યા છે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Maharashtra Flood: ‘પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ન લો’, શરદ પવારની નેતાઓને અપીલ, જાણો દેવેન્દ્ર ફડણવીસે શું આપી પ્રતિક્રિયા?

કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
કેરી રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે મોડી ખાવા મળી શકે છે કેસર- Video
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
અમદાવાદમાં થર્ટી ફર્સ્ટના દિવસે બહાર નીકળવાના હોવ તો આ વાત જાણી લેજો,
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
PGVCL અને GETCO પરીક્ષામાં ગેરરીતિ, યુવરાજસિંહનો મોટો આરોપ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
હોટેલ રેસ્ટોરન્ટ્સમાં અન્નનો બગાડ નહી કરનાર ગ્રાહકને મળશે આ ઓફરનો લાભ
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, જુઓ Video
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલક સામે કોઈ કાર્યવાહી નહીં!
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
સુરેન્દ્રનગર NA કૌભાંડમાં EDની કાર્યવાહી તેજ
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
તમારી કિંમતી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો, થાક અને તણાવમાંથી રાહત મળશે
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
g clip-path="url(#clip0_868_265)">