AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

jammu kashmir આતંકીઓ સાથેની અથડામણ મુદ્દે બોલી શિવસેના, કહ્યુ સૈનિકોના મોતના પાંચ ગણો બદલો લો

જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં સેનાના જેસીઓ સહીત પાંચ જવાનો શહીદ થયાના એક દિવસ પછી, શિવસેનાએ કહ્યું કે આતંકવાદીઓ સાથે લડાઈમાં સૈનિકોના મોતનો પાંચ ગણો બદલો લેવો જોઈએ.

jammu kashmir આતંકીઓ સાથેની અથડામણ મુદ્દે બોલી શિવસેના, કહ્યુ સૈનિકોના મોતના પાંચ ગણો બદલો લો
Uddhav Thackeray Cm Maharastra
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 2:58 PM
Share

જમ્મુ-કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં જેસીઓ સહીત પાંચ આર્મી જવાન શહીદ થયાના એક દિવસ બાદ શિવસેનાએ (Shiv Sena) મંગળવારે કહ્યું કે આતંકવાદીઓ સાથેના મુકાબલામાં સૈનિકોના મોતનો પાંચ ગણો બદલો લેવો જોઈએ. શિવસેનાનું મુખપત્ર ‘સામના’ (Saamna) એક સંપાદકીય લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે જમ્મુ -કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જો છીનવી લેતી કલમ 370 ની વિશેષ જોગવાઈઓ રદ થયા બાદ પાકિસ્તાનના સહાનુભૂતિઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ એવું વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જ્યાં અન્ય ધર્મના લોકો કાશ્મીર ખીણ પ્રદેશમાં પ્રવેશી ન શકે.

1990 જેવી સ્થિતિ : શિવસેના તાજેતરના સપ્તાહમાં આતંકવાદી હુમલાઓ વધ્યા છે જેમાં એક અગ્રણી કાશ્મીરી પંડિત ઉદ્યોગપતિ અને એક શાળાના શિક્ષક સહિત અનેક નાગરિકો માર્યા ગયા છે. આ હત્યાઓનો ઉલ્લેખ કરતા શિવસેનાએ કહ્યું કે આવી હિંસક ઘટનાઓથી ખ્યાલ આવે છે કે શું પરિસ્થિતિ 1990 ના દાયકાની છે જ્યારે હજારો કાશ્મીરી પંડિતોને ખીણ છોડવાની ફરજ પડી હતી. શિવસેનાએ તેના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં લખ્યુ છે કે જ્યાં સુધી પાંચ સૈનિકોની હત્યા કરનાર આતંકવાદીઓને કચડી નાંખવામાં નહીં આવે ત્યાં સુધી ભારતીય મનને શાંતિ નહીં મળે. સુરણકોટ એન્કાઉન્ટરમાં(Encounter) માર્યા ગયેલા પાંચ સૈનિકોનું લોહી સુકાઈ જાય તે પહેલા આ મોતનો પાંચગણો બદલો લેવો જ જોઇએ.

સેનાના પાંચ જવાનો શહીદ થયા, બે આતંકીઓ પણ માર્યા ગયા જમ્મુ -કાશ્મીરના જુદા જુદા જિલ્લાઓમાં સોમવારે ત્રણ એન્કાઉન્ટરમાં જુનિયર કમિશ્ડ ઓફિસર (Junior Commissioned Officer-JCO) સહિત બે આર્મી જવાનો અને બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સરહદી જિલ્લા પૂંછના સુરનકોટ વિસ્તારમાં ડેરા કી ગલી (DKG) નજીકના ગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ફાયરિંગમાં સૈનિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ સેના અને પોલીસે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું.

શિવસેના અને ડોગરા મોરચાએ પાક વિરુદ્ધ પ્રદર્શન કર્યું પાંચ સેનાના જવાનોની શહાદત બાદ શિવસેના અને ડોગરા મોરચાના કાર્યકરોએ સોમવારે પાકિસ્તાન વિરોધી વિરોધ પ્રદર્શન કર્યું અને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને સમર્થન અને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું પૂતળું સળગાવ્યું.

આ પણ વાંચોઃ ‘મગજ’ ધોનીનું ‘ધમાકો ‘કોહલીનો, આ જોડી T20 world cupમાં ‘આગ’ લગાડશે, આ દિગ્ગજે કરી ભવિષ્યવાણી

આ પણ વાંચોઃ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે ભારતીય નૌકાદળનો માલાબાર અભ્યાસ શરૂ, P-8I વિમાનોએ પણ ભાગ લીધો

કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
કચ્છમાં મુસ્લિમ વિદ્યાર્થીએ હિન્દુ વિદ્યાર્થીઓ પાસે પઢાવી નમાજ
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
અફઘાનિસ્તાને પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં કર્યો હવાઈ હુમલો
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
DJ પ્રતિબંધ સામે હવે ભુવાએ ધુણતા ધુણતા ગેનીબેનને ફેંક્યો પડકાર- Video
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
ગુજરાતમાં પ્રદુષિત થઈ રહ્યાં છે ભૂગર્ભજળ-રાજ્યપાલે વ્યક્ત કરી ચિંતા
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
SMCએ એક વર્ષમાં ₹63 કરોડનો દારૂ પકડ્યો, હોટસ્પોટ કચ્છ અને સુરેન્દ્રનગર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
શ્વાનની ગણતરીને લઇને સરકારનો પરિપત્ર જાહેર
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
પોલીસ પર જીવલેણ હુમલો કરનાર 41 શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
મેસેજિંગ એપ્સ માટે સિમ ફરજિયાત, 1 માર્ચથી લાગુ થશે નવો નિયમ
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
વ્યવસાયિક પ્રયત્નો અને દાન કરવાથી અણધાર્યો લાભ થશે
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
MP મનસુખ વસાવાએ MLA ચૈતર વસાવા માટે કર્યો અશિષ્ટ ભાષાનો ઉપયોગ - Video
g clip-path="url(#clip0_868_265)">