ઈડીની કાર્યવાહી સામે શિવસેનાનું આક્રમક વલણ, લોકોને કર્યુ આ આહ્વાન

કોલ્હાપુર ઉત્તર વિધાનસભા સીટ માટે પેટાચૂંટણી (Kolhapur north assembly by poll) યોજાવા જઈ રહી છે. આ દરમિયાન વિસ્તારના અનેક મતદારોના ખાતામાં કેટલાક પૈસા ટ્રાન્સફર થયા છે.

ઈડીની કાર્યવાહી સામે શિવસેનાનું આક્રમક વલણ, લોકોને કર્યુ આ આહ્વાન
CM Uddhav Thackrey (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 11:34 PM

કોંગ્રેસના ધારાસભ્યના આકસ્મિક અવસાનના કારણે મહારાષ્ટ્રની કોલ્હાપુર ઉત્તર વિધાનસભા બેઠક માટે (Kolhapur north assembly by poll) પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. દરમિયાન આ વિસ્તારના અનેક મતદારોના ખાતામાં કેટલાક પૈસા ટ્રાન્સફર થયા હોવાનું જાણવા મળ્યું છે. આ વાતની જાણ થતાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે (Chandrakant Patil) કહ્યું છે કે તેઓ આ મામલે EDને પત્ર લખશે અને આ મામલે તપાસની વિનંતી કરશે. જેના જવાબમાં શિવસેનાએ કોલ્હાપુરના લોકોને આહ્વાન કર્યું છે કે, જો ભાજપ આવું કોઈ ‘ઘર ઘર ઈડી’ કામ શરૂ કરે તો તેઓ બગાવત કરે.

શિવસેનાએ કહ્યું છે કે કોલ્હાપુરના લોકોના ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ કરવા ED મૂકતા પહેલા જે પાંચ રાજ્યોમાં ભાજપ જીત્યું છે. તે તમામ મતવિસ્તારમાં ED દ્વારા તપાસ કરવાની જરૂર છે. ગોવાના પણજી અને સખલ મતવિસ્તારમાં ઈડીની તપાસ શરૂ કરવામાં આવે તો સત્ય બહાર આવશે. શિવસેના સ્પષ્ટપણે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય અતાનાસિયો મોન્સેરાત અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંત તરફ ઈશારો કરી રહી છે. જો કોઈ હર હર મોદી, ઘર ઘર મોદીના નારાનો ઉપયોગ હર હર ઇડી, ઘર ઘર ઇડીના નારા તરીકે કરે છે, તો લોકોએ બળવો કરવો પડશે.

કોલ્હાપુર ઉત્તર વિધાનસભા પેટાચૂંટણી 12 એપ્રિલે છે

જણાવી દઈએ કે કોલ્હાપુર ઉત્તર વિધાનસભાની પેટાચૂંટણી 12 એપ્રિલે છે. કોંગ્રેસના ધારાસભ્ય દિવંગત ચંદ્રકાત જાધવના આકસ્મિક અવસાનને જોતા કોંગ્રેસે તેમની પત્ની જયશ્રી જાધવને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે સત્યજીત કદમને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં શિવસેના નંબર ટુ પાર્ટી હતી. પરંતુ આ વખતે શિવસેનાએ મહા વિકાસ અઘાડીની એકતા બતાવવા માટે કોંગ્રેસના સમર્થનમાં પોતાનો ઉમેદવાર ઉતાર્યો નથી.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આવી સ્થિતિમાં કોલ્હાપુર વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. આ દરમિયાન સમાચાર આવ્યા કે કોલ્હાપુરના કેટલાક લોકોના ખાતામાં પૈસા આવ્યા છે. આ અંગે ભાજપ તરફથી ચિંતા વ્યક્ત કરતા પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે રવિવારે કહ્યું હતું કે તેઓ આ મામલાની તપાસ માટે EDને અપીલ કરશે. તેના પર શિવસેનાએ સામનાના તંત્રીલેખમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

આ પણ વાંચો : MSRTC Strike: મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના કર્મચારીઓની હડતાલ પર મુંબઈ હાઈકોર્ટનો મોટો નિર્ણય, 15 એપ્રિલ સુધી કામ પર પાછા ફરવાનું અલ્ટીમેટમ

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">