AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર : પેટ્રોલ-ડીઝલના વઘતા ભાવને લઇને પવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી, કહ્યુ” દેશમાંથી BJP નામનું સંકટ દુર કરવુ પડશે”

શરદ પવારે વધતા ઈંધણના ભાવને લઈને સરકાર પર નિશાન સાધતા કહ્યું કે 'જો કેન્દ્ર સરકાર તેના ટેક્સમાં 25 ટકાનો ઘટાડો કરે તો પેટ્રોલ અને ડીઝલના ભાવને નિયંત્રિત કરી શકાય છે,પરંતુ કેન્દ્ર સરકાર આ કરવા તૈયાર નથી.'

મહારાષ્ટ્ર : પેટ્રોલ-ડીઝલના વઘતા ભાવને લઇને પવારે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી, કહ્યુ દેશમાંથી BJP નામનું સંકટ દુર કરવુ પડશે
Sharad Pawar (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 12:14 PM
Share

Maharashtra : મહારાષ્ટ્રમાં કેન્દ્રીય તપાસ એજન્સીઓ દ્વારા શરૂ કરાયેલા દરોડા અંગે એનસીપીના વડા શરદ પવારે (Sharad Pawar) ફરી એકવાર ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. શરદ પવારે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રને મુશ્કેલીમાં મુકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ED, CBI, આવકવેરા વિભાગ દ્વારા મહારાષ્ટ્રના નાગરિકોને હેરાન કરવામાં આવી રહ્યા છે.

શરદ પવારે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

વધુમાં શરદ પવારે કહ્યું કે, કેન્દ્ર સરકારની તમામ મશીનરીનો ઉપયોગ માત્ર રાજ્ય સરકારને પરેશાન કરવા માટે કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર (Maharashtra Government) સાથે સંકળાયેલા ઘણા લોકોને હેરાન કરવામાં આવ્યા હતા. જ્યારે જોવામાં આવ્યું કે તેની કોઈ અસર થઈ નથી, તો હવે મોટા હાથને મારવા માટે અજિત પવાર અને તેના પરિવારને લગતી જગ્યાઓ પર દરોડા શરૂ કરવામાં આવ્યા. પરંતુ ED-FIDI અથવા ગમે તે આવવા દો, આ સરકાર પડશે નહીં.

ED-FIDI લાંબા સમય સુધી નહીં ચાલે, દેશમાંથી ભાજપનું સંકટ દૂર કરવું જરૂરી : શરદ પવાર

પવારે (Sharad Pawar) કહ્યું કે સત્તા તેમના હાથમાં છે, તેથી તેઓ આ બધું કરી રહ્યા છે. પરંતુ તે લાંબા સમય સુધી ચાલશે નહીં. દેશમાં ભાજપના કારણે જે સંકટ આવ્યુ છે તેને દૂર કરવુ પડશે. તમને જણાવી દઈએ કે, પુણે જિલ્લામાં આવેલા પિંપરી-ચિંચવાડની સભામાં શરદ પવારે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કરીને તેની કામગિરીની ટીકા કરી હતી. પુણે અને પિંપરી-ચિંચવાડની આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શરદ પવારે કહ્યું કે, જેમના હાથમાં તેમણે સત્તા આપી, તેમણે શહેરને વિભાજિત કર્યું. તેમને ખાડાની જેમ બાજુ પર મૂકો. શહેરનું નિર્માણ કરનાર એનસીપીને ફરી એક વખત સત્તા આપવા નાગરિકોને જણાવ્યુ.

પવારે ઇંધણના દરમાં વધારો અને મોંઘવારીને લઇને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી

શરદ પવારે ઈંધણના દરોમાં વધારો અને વધતી જતી મોંઘવારીને લઈને પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘હું મહારાષ્ટ્રના (Maharashtra) લોકોના સુખ અને દુ:ખ વિશે કેન્દ્ર સરકારને સમજાવવા માટે જિલ્લાથી જિલ્લામાં જઈ રહ્યો છું. પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ એટલા વધી ગયા છે કે આપણી માતાઓ અને બહેનોનું બજેટ ખોરવાઈ ગયું છે. જ્યારે મનમોહન સિંહની સરકાર હતી, ત્યારે જે લોકો આજે સત્તામાં છે તેઓ આંદોલન કરતી વખતે લોકસભાને કામ કરવા દેતા ન હતા. વધુમાં કહ્યુ કે, જો કેન્દ્ર સરકાર તેના ટેક્સમાં 25 ટકાનો ઘટાડો કરે તો પેટ્રોલ અને ડીઝલના ભાવને નિયંત્રિત કરી શકાય છે. પરંતુ કેન્દ્ર સરકાર આમ કરવા તૈયાર નથી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રના લોકોને મળશે દિવાળીની ભેટ, વેક્સીનનો એક ડોઝ લેનારાઓને દરેક જગ્યાએ આવવા-જવા પર છૂટ, આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ આપી મહત્વની માહિતી

આ પણ વાંચો : Maharashtra: રાજ ઠાકરેના ફોટાને ન ઓળખવા બદલ સજા! મરાઠી અભિનેત્રીએ ચોકીદારને માર્યો માર, જુઓ વીડિયો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">