AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Release: આર્યન ખાન ભાગ્યશાળી છે જેને બેસ્ટ લીગલ ટીમ મળી, વકીલ સતીશ માનશિંદેએ આપ્યું મોટું નિવેદન

માનેશિંદેએ કહ્યું મને લાગે છે કે બે લોઅર કોર્ટે તેમની સત્તાનો યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો. તેના કારણે ત્રણ જગ્યાએ (મેજિસ્ટ્રેટ કોર્ટ, સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ) લડાઈ લડવી પડી હતી.

Aryan Khan Release: આર્યન ખાન ભાગ્યશાળી છે જેને બેસ્ટ લીગલ ટીમ મળી, વકીલ સતીશ માનશિંદેએ આપ્યું મોટું નિવેદન
Satish Maneshinde, Aryan Khan
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 10:24 PM
Share

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાનની (Aryan Khan)  ધરપકડ પછી વકીલ સતીશ માનેશિંદે મુંબઈ હાઈકોર્ટ દ્વારા જામીન ન મળે ત્યાં સુધી ખાન પરિવારની પડખે ઊભા હતા. માનેશિંદે અગાઉ સંજય દત્ત, રિયા ચક્રવર્તી અને તેના ભાઈ સૌવિક ચક્રવર્તી જેવી હસ્તીઓના જામીન માટેની લડાઈ લડી ચૂક્યા છે. હવે તેણે આર્યન ખાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. સતીશ માનેશિંદેએ આર્યન ખાનને લકી મેન ગણાવ્યો છે.

મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં માનશિંદેએ કહ્યું કે આર્યન ખાન ભાગ્યશાળી છે કે તેમને વકીલોની આટલી સારી ટીમ મળી. એવા હજારો લોકો છે, જે આના અભાવમાં જેલમાં જ જીવી રહ્યા છે. માનેશિંદેએ કહ્યું, મને લાગે છે કે બે લોઅર કોર્ટે તેમની સત્તાનો યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો.

આવા કારણોસર કાયદો અને વ્યવસ્થા પર ભારણ વધે છે. જેના કારણે હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસ સતત વધી રહ્યા છે. જો નીચલી અદાલત દ્વારા પહેલા દિવસે જ આ અંગેના નિર્ણયો લેવામાં આવ્યા હોત તો તેમની પ્રશંસા થઈ હોત. પરંતુ તે બન્યું નહીં. આ કારણે ત્રણ જગ્યાએ (મેજિસ્ટ્રેટ કોર્ટ, સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ) લડાઈ લડવી પડી હતી.

‘આર્યન ખાને આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, સામાન્ય માણસની શું હાલત થતી હશે’

સતીશ માનેશિંદેએ કહ્યું કે જો કોઈ સુપરસ્ટારના પુત્રને કોઈ નક્કર પુરાવા વિના 25 દિવસ સુધી આટલી હાડમારીનો સામનો કરવો પડ્યો હોય તો કલ્પના કરો કે એક ગરીબ માણસે કેટલું સહન કરવું પડતું હશે. આપણા દેશમાં એવા હજારો લોકો છે જેઓ પોતાના માટે વકીલ રાખી શકતા નથી. તેઓ અભણ, ગરીબ અને ઉપેક્ષિત છે. આપણા દેશ અને ન્યાયતંત્રે આવા લોકોની કાળજી લેવી જોઈએ અને પરિસ્થિતિ ને સુધારવી જોઈએ.

2 ઓક્ટોબરની રાત્રે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ફસાયેલા આર્યન ખાનને આખરે 28 ઓક્ટોબરે મુંબઈ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા અને આ રીતે તે આખી પ્રક્રિયામાંથી પસાર થઈને 30 ઓક્ટોબરે આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યો. આર્યનને 14 શરતો સાથે જામીન આપવામાં આવ્યા છે.

આમાંની એક શરત એ છે કે આર્યન ખાન પોલીસને જાણ કર્યા વિના મુંબઈ છોડી શકશે નહીં. તેણે દર શુક્રવારે NCB ઓફિસમાં પૂછપરછ માટે હાજર થવું પડશે. જામીન માટે તેણે એક લાખ રૂપિયાના અંગત બોન્ડ જમા કરાવવાના રહેશે. તેણે તેનો પાસપોર્ટ પણ જમા કરાવવો પડશે.

આ પણ વાંચો :  Parambir Singh: પરમબીર સિંહ વિરુદ્ધ મુંબઈની કિલા કોર્ટમાંથી બિનજામીનપાત્ર વોરંટ કરાયું જાહેર, આ પહેલા થાણે કોર્ટે ઈશ્યુ કર્યું હતું વોરંટ

Follow Us
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
Breaking News: જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપ-AAP વચ્ચે ટાઈ
g clip-path="url(#clip0_868_265)">