હિન્દુત્વનો મુદ્દો ટ્રેન્ડમાં અને નેતાઓની દોડ લાગી અયોધ્યા, આગળ રાજ અને પાછળ શિવસેના, મુંબઈ પછી ઔરંગાબાદ અને પછી અયોધ્યા

રાજ ઠાકરેની (Raj Thackeray MNS) અયોધ્યા મુલાકાતનું શેડ્યૂલ બહાર આવતાં જ શિવસેના પાર્ટીના વડા અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પણ અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

હિન્દુત્વનો મુદ્દો ટ્રેન્ડમાં અને નેતાઓની દોડ લાગી અયોધ્યા, આગળ રાજ અને પાછળ શિવસેના, મુંબઈ પછી ઔરંગાબાદ અને પછી અયોધ્યા
CM Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2022 | 5:03 PM

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની (Raj Thackeray MNS) અયોધ્યા મુલાકાતનું શેડ્યૂલ બહાર આવતાં જ હવે શિવસેના પક્ષ પ્રમુખ અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray) પણ અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા મુલાકાતની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) આ જાણકારી આપી છે. ઉદ્ધવ ઠાકરે પહેલા પર્યાવરણ અને પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે પણ અયોધ્યા જવાના છે. રાજ ઠાકરેની ઈમેજ મજબૂત હિન્દુત્વવાદી તરીકે બનાવવામાં આવી રહી છે.

શિવસેના પર ભાજપનો આરોપ છે કે તેણે હિન્દુત્વ છોડી દીધું છે. આવી સ્થિતિમાં રાજ ઠાકરે ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ શિવસેના હિન્દુત્વની પાર્ટી હોવાનો પોતાનો દાવો છોડવા તૈયાર નથી. અયોધ્યા પ્રવાસ પહેલા ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં મોટી સભા કરવાના છે. આ સભા 14 મેના રોજ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં યોજાવા જઈ રહી છે. આ પછી 8 જૂને મરાઠવાડામાં સભા યોજાવા જઈ રહી છે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે ક્યારે અયોધ્યા જશે તેના પર લોકોની નજર છે.

આગળ આગળ રાજ, પાછળ પાછળ શિવસેના, મુંબઈ પછી ઔરંગાબાદ અને પછી અયોધ્યા

રાજ ઠાકરેની પ્રખ્યાત સભા આવતીકાલે (1 મે, રવિવાર) ઔરંગાબાદમાં યોજાવા જઈ રહી છે. ઔરંગાબાદ નગરપાલિકાની ચૂંટણી પણ નજીક છે. આવી સ્થિતિમાં શિવસેના હિંદુત્વની વોટ બેંકમાં પોતાનો હિસ્સો હાથમાંથી જવા દેવા માંગતી નથી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ જ કારણસર ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે શિવસેનાના સાંસદો, પદાધિકારીઓ અને પ્રવક્તાઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આજે ફરી શિવસેના ભવનમાં બેઠક યોજાઈ હતી. ઉદ્ધવ ઠાકરેએ તેમના કાર્યકરો અને નેતાઓને મરાઠવાડા અને વિદર્ભમાં પૂરા જોશ સાથે ભાજપ અને મનસે વિરુદ્ધ આક્રમક બનવા સૂચના આપી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે ભાજપ અને મનસેના બોગસ હિન્દુત્વની સામે બતાવી દો કે અસલી હિન્દુત્વ શું છે.

અયોધ્યા પ્રવાસ પહેલા રાજ ઠાકરે યોગી આદિત્યનાથના ખૂબ વખાણ કરી રહ્યા છે

રાજ ઠાકરેની અયોધ્યા મુલાકાત જૂનમાં થઈ રહી છે. તેમના અયોધ્યા પ્રવાસ પહેલા રાજ ઠાકરેએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરવાનું શરૂ કરી દીધું છે. યોગી આદિત્યનાથની પ્રશંસામાં ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે, ‘ત્યાં યોગી છે, મહારાષ્ટ્રમાં ભોગી છે’ રાજ ઠાકરે પર વળતો પ્રહાર કરતા શિવસેનાના સાંસદ સંજય રાઉતે આજે મુંબઈમાં પત્રકારોને કહ્યું કે, “આપણે હિંદુત્વને ઉધાર લેવાની જરૂર નથી. હિન્દુત્વ અમારા લોહીમાં છે. અમને કોઈએ હિન્દુત્વ ન શીખવાડવું જોઈએ.

આ પણ વાંચો :  Yes Bank Fraud: CBIના મુંબઈ-પુણેના 8 સ્થળો પર દરોડા, વિનોદ ગોયન્કા અને શાહિદ બલવાના સ્થળો પર થઈ તપાસ

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">