AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra School Reopening: મહારાષ્ટ્રમાં 24 જાન્યુઆરીથી ખુલશે શાળાઓ, CM ઉદ્ધવ ઠાકરે એ આપી મંજૂરી

મહારાષ્ટ્રમાં સોમવારથી શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારે આ અંગે શાળા શિક્ષણ વિભાગના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે આ અંગે માહિતી આપી છે.

Maharashtra School Reopening: મહારાષ્ટ્રમાં 24 જાન્યુઆરીથી ખુલશે શાળાઓ, CM ઉદ્ધવ ઠાકરે એ આપી મંજૂરી
Schools to reopen in Maharashtra from 24 January
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 20, 2022 | 8:38 PM
Share

કોરોનાની ત્રીજી લહેર દરમિયાન, ચેપના ઘટતા કેસ વચ્ચે (Covid cases in Maharashtra) મહારાષ્ટ્રમાં શાળાઓ ફરીથી ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે. આ સંદર્ભે, મહારાષ્ટ્ર શાળા શિક્ષણ વિભાગે રાજ્ય સરકારને પ્રસ્તાવ મોકલ્યો હતો. ગુરુવાર, 20 જાન્યુઆરી 2022 ના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં આવતા સોમવાર એટલે કે 24 જાન્યુઆરી 2022થી શાળાઓ ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.

મહારાષ્ટ્રના શિક્ષણ મંત્રી પ્રોફેસર વર્ષા ગાયકવાડે આ અંગે માહિતી આપી છે. વર્ષા ગાયકવાડે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ @VarshaEGaikwad પર ટ્વીટ કરીને શાળાઓ ખોલવા અંગે નવીનતમ માહિતી આપી છે.

મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યું કે જે વિસ્તારોમાં કોરોના વાયરસના કેસ ઓછા છે, ત્યાં 24 જાન્યુઆરી, 2022 થી ધોરણ 1 થી 12 ના વર્ગ માટે શારીરિક વર્ગો શરૂ કરી શકાય છે. આ વિસ્તારોની શાળાઓ પૂર્વ પ્રાથમિક વર્ગો પણ શરૂ કરી શકે છે. અમે રાજ્યમાં સંપૂર્ણ સુરક્ષા સાથે શાળાઓને ફરીથી ખોલવા માટે પ્રતિબદ્ધ છીએ.

કોવિડ 19ની ત્રીજી લહેર દરમિયાન રાજ્યમાં શાળાઓ ખોલવા માટે કયા પ્રોટોકોલનું પાલન કરવું પડશે તે અંગે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડના જણાવ્યા અનુસાર, શુક્રવાર, 21 જાન્યુઆરી, 2022 સુધીમાં લેખિત સૂચનાઓ જાહેર કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટને કારણે વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી 2022ના પ્રથમ સપ્તાહમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. મુંબઈના સ્થાનિક વહીવટીતંત્રે 31 જાન્યુઆરી 2022 સુધી શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. પરંતુ BMC દ્વારા સમીક્ષા કર્યા પછી, જાણવા મળ્યું કે ઓમિક્રોન ચેપના કેસ ઘટી રહ્યા છે, ત્યારબાદ તેને શાળાઓમાં ઑફલાઇન વર્ગો શરૂ કરવાની ઓફર કરવામાં આવી હતી.

આ પણ વાંચો –

મહારાષ્ટ્ર : નગર પંચાયત ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી, NCP 344 બેઠકો જીતીને બીજા ક્રમે

આ પણ વાંચો –

Maharashtra: હવે ટ્રેનોમાં ડર વગર મુસાફરી કરી શકશે મહીલાઓ, સેંટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનના દરેક મહિલા કોચમાં લાગી રહ્યા છે CCTV

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">