AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાવરકર અમારા આદર્શ, તેમનુ અપમાન સહન નહી કરીએ, Rahul Gandhiના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર

માલેગાંવમાં એક રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સાવરકર અમારા આદર્શ છે અને અમે તેમનું અપમાન સહન કરી શકીએ નહીં. રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાહુલ ગાંધીને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.

સાવરકર અમારા આદર્શ, તેમનુ અપમાન સહન નહી કરીએ, Rahul Gandhiના નિવેદન પર ઉદ્ધવ ઠાકરેનો પ્રહાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2023 | 8:50 AM
Share

‘હું માફી નહીં માંગુ, હું સાવરકર નથી, ગાંધી છુ.’ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના આ નિવેદન પર શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે અમે સાવરકરને અમારા આદર્શ માનીએ છીએ. તેમનું બલિદાન પ્રતીક છે, તેથી અમે તેમનો અનાદર સહન નહીં કરીએ. રાહુલને સલાહ આપતાં ઠાકરેએ કહ્યું કે તેઓ સાવરકરનું અપમાન કરવાથી દૂર રહે.

માલેગાંવ, નાસિકમાં એક રેલીને સંબોધતા, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હા વિકાસ આઘાડી (MVA) ગઠબંધન લોકશાહીને બચાવવા માટે બનાવવામાં આવ્યું હતું, તેથી એક થઈને કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. MVA ગઠબંધનમાં શિવસેના (UBT), કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સામેલ છે.

રાહુલ ગાંધીને ઉશ્કેરવામાં આવી રહ્યા છે – ઉદ્ધવ

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાહુલ ગાંધીને સાવરકર વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વીડી સાવરકરે 14 વર્ષ સુધી આંદામાન અને નિકોબાર જેલમાં યાતનાઓ ભોગવી હતી. તેને કાળા પાણીની સજા કરવામાં આવી હતી. તેમનું બલિદાન દેશ માટે પ્રતીક છે. ઠાકરેએ કહ્યું કે જો આજનો આ સમય વેડફાશે તો લોકશાહીનું અસ્તિત્વ ખતમ થઈ જશે. જો આમ થશે તો 2024ની લોકસભા ચૂંટણી છેલ્લી ચૂંટણી હશે.

ભાજપ લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે – ઉદ્ધવ

ભાજપ પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જેમને દેશની આઝાદી સાથે કોઈ લેવાદેવા નથી તેઓ લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ સરકારને સાચો સવાલ પૂછ્યો છે કે અદાણીની કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા કોના છે? પરંતુ સરકાર તરફથી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઉદ્ધવ ઠાકરેએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સમર્થન કર્યું હતું. આ યાત્રામાં ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરેએ પણ ભાગ લીધો હતો.

લોકસભાના સભ્યપદેથી સસ્પેન્ડ થયાના એક દિવસ પછી રાહુલ ગાંધીએ ભાજપના આરોપો પર પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું સાવરકર નથી, હું ગાંધી છું અને ગાંધી કોઈની માફી માંગતા નથી.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">