AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sameer Wankhede Transferred: સમીર વાનખેડેનું થયું ટ્રાન્સફર, મુંબઈ NCBના ઝોનલ ડિરેક્ટરથી હવે આ વિભાગમાં ગયા

મુંબઈ NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની બદલી કરવામાં આવી છે. મુંબઈ એનસીબીમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. હવે તેમને ડીઆરઆઈ વિભાગમાં મોકલવામાં આવ્યા છે.

Sameer Wankhede Transferred: સમીર વાનખેડેનું થયું ટ્રાન્સફર, મુંબઈ NCBના ઝોનલ ડિરેક્ટરથી હવે આ વિભાગમાં ગયા
NCB officer Sameer Wankhede (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 6:03 PM
Share

મુંબઈ NCB (Mumbai NCB) ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની બદલી (Sameer Wankhede transferred) કરવામાં આવી છે. મુંબઈ એનસીબીમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. હવે તેમને ડીઆરઆઈ (Directorate of Revenue Intelligence-DRI) વિભાગમાં મોકલવામાં આવ્યા છે.

સમીર વાનખેડે મુંબઈ NCBમાં ઝોનલ ડિરેક્ટરના પદ પર આવ્યા પહેલા આ વિભાગમાં હતા. DRI વિભાગમાંથી જ તેમને મુંબઈ NCBમાં લાવીને ઝોનલ ડાયરેક્ટર બનાવાયા હતા. હવે તેમને ફરીથી ડીઆરઆઈમાં મોકલવામાં આવ્યા છે.

મુંબઈ એનસીબીમાં તેમનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો. પરંતુ તેમની મુંબઈ એનસીબીમાંથી બદલી કરવી અથવા એનસીબીમાં જ એક્સટેન્શન આપવું તે અંગેના નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો હતો. આ પ્રશ્ન મહારાષ્ટ્રમાં કેબિનેટ મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે ઉઠાવ્યો હતો.

તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર ભાજપના એક મોટા નેતા સમીર વાનખેડે માટે દિલ્હી જઈને લોબિંગ કરી રહ્યા છે. તેમને મુંબઈ NCBમાં જાળવી રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. જેના કારણે તેમને લઈને નિર્ણયમાં વિલંબ થઈ રહ્યો છે. એક દિવસ પહેલા તેમણે ઉઠાવેલા સવાલ બાદ આજે તેમની બદલીના સમાચાર સામે આવ્યા છે.

નવાબ મલિકે ભાજપના નેતા પર વાનખેડે માટે લોબિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો

આ પહેલા રવિવારે નવાબ મલિકે પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ અને એનસીબી વચ્ચે સાંઠગાંઠનો ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ભાજપના મોટા નેતાઓ સમીર વાનખેડેને તેમના પદ પર જાળવી રાખવા માટે દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, એક અઠવાડિયાથી આ સ્ટોરી પ્લાન કરવામાં આવી રહી છે કે સમીર વાનખેડે એક્સટેન્શનની માંગ નહીં કરે.

પરંતુ મને માહિતી મળી છે તે મુજબ મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓ તેમની પોસ્ટિંગ અહીં લંબાવવા માટે દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે. તમામ પ્રકારના ગેરકાયદેસર કામ કરવાની આ અધિકારી પર ફરિયાદો અને અહેવાલો છતાં ભાજપના નેતાઓ તેને મુંબઈમાં જાળવી રાખવા આતુર છે. તેનો અર્થ શું છે? શું રિકવરી ગેંગમાં તેમની સંડોવણી છે?

નવાબ મલિકે પૂછ્યું, ‘સમીર વાનખેડેનું એક્સટેન્શન 31મીએ પૂરું થયું ત્યારે તેમને કેમ રિલીવ કરવામાં ન આવ્યા? અથવા તેમને કેમ એક્સટેન્શન આપવામાં ન આવ્યું? આ અંગેનો નિર્ણય કેમ પેન્ડિંગ રાખવામાં આવ્યો? થવા દો… વાનખેડેને અહીં રાખવામાં આવે તો સારું જ છે. મને તેમની છેતરપિંડી બહાર લાવવાનો મોકો મળશે.

વાનખેડેના ટ્રાન્સફરમાં વિલંબના પ્રશ્નનો ભાજપે જવાબ આપ્યો હતો

જવાબમાં ભાજપના નેતા અને વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પ્રવીણ દરેકરે કહ્યું હતું કે ભાજપ અધિકારીઓની બદલી કરતું નથી, નવાબ મલિકે તેમની પાર્ટીના નેતાઓ વિશે કહ્યું હતું કે અન્ય પક્ષોના નેતાઓ પર તમારી જીભનો ઉપયોગ કરશો નહીં. તેણે એમ પણ કહ્યું કે નવાબ મલિકે જે કહ્યું તે દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી.

આ પણ વાંચો :  Breaking News: મુંબઈમાં 31 જાન્યુઆરી સુધી શાળાઓમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વર્ગો બંધ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">