Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘મંદિરોમાં પાણીને બદલે વાઇન આપો, ડેરી બંધ કરીને શરૂ કરો વાઇનરી’, મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર ખેડૂત નેતા ભડક્યા

અણ્ણા હજારેએ આ મુદ્દે ઠાકરે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ નિર્ણયથી રાજ્યમાં મદ્યપાન વધશે. AIMIMના નેતા ઈમ્તિયાઝ જલીલે કહ્યું છે કે ઔરંગાબાદની જે દુકાનોમાં વાઈન વેચાશે છે તેને તેઓ તોડી નાખશે.

'મંદિરોમાં પાણીને બદલે વાઇન આપો, ડેરી બંધ કરીને શરૂ કરો વાઇનરી', મહારાષ્ટ્ર સરકારના નિર્ણય પર ખેડૂત નેતા ભડક્યા
Farmer leader Sadbhau Khot And Chief Minister Uddhav Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 11:41 PM

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં મોલ, સુપરમાર્કેટ અને કરિયાણાની દુકાનોમાં વાઇન વેચવાની પરવાનગી આપી છે. આ નિર્ણય સામે ઉગ્ર પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સોમવારે સમાજસેવક અણ્ણા હજારેએ (Anna Hazare) પણ આ મુદ્દે ઠાકરે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આ નિર્ણયથી રાજ્યમાં મદ્યપાન વધશે. AIMIMના નેતા ઈમ્તિયાઝ જલીલે કહ્યું છે કે તેમના ક્ષેત્ર ઔરંગાબાદની જે દુકાનોમાં વાઈન વેચાશે છે તેને તેઓ તોડી નાખશે. આ પહેલા કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે આજે વાઈન વેચાશે, કાલે બીયર વેચાશે, પછી મહિલાઓ પણ શરૂ કરશે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે મહારાષ્ટ્ર હવે ‘મદ્ય રાષ્ટ્ર’ બનવા તરફ આગળ વધી રહ્યું  છે. હવે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને મહારાષ્ટ્રના ખેડૂત નેતા સદાભાઉ ખોતે (Sadabhau Khot) ઠાકરે સરકારના આ નિર્ણય પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા સદાભાઉ ખોતેએ કહ્યું, ‘રાજ્યની મહાવિકાસ અઘાડી વાસ્તવમાં મદ્ય વિકાસ અઘાડી છે. ફળ ઉત્પાદક ખેડૂતોની આવક વધારવાના નામે દુકાનદારી કરતા વાઈન વેચવાની પરવાનગી આપવામાં આવી છે. હવે ગામડાઓમાં દૂધની ડેરીઓ બંધ કરો અને વાઈનરીઓ ખોલો, મંદિરોમાં પાણીને બદલે વાઈન આપો, હવે ફક્ત આટલું જ બાકી રહ્યું છે.

શેરડીના ખેડૂતો અને બસ કર્મચારીઓની પીડા જાણો, ત્યારે સમજીએ તમને હમદર્દ

સદાભાઉ ખોતેએ કહ્યું, ‘જો ખેડૂતો આટલી કાળજી રાખતા હોય, તો શેરડી ઉત્પાદકોએ સુગર મિલોમાં ખેડૂતોની ચુકવણી અંગેની શરતો સુધારવી જોઈએ. ત્યારે સમજાશે કે તમે ખેડૂતોની કેટલી ચિંતા કરો છો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રાજ્ય વાહન વ્યવહાર નિગમમાં કરોડોનો ભ્રષ્ટાચાર ખતમ કરવા તૈયાર નથી. કર્મચારીઓના મનમાં એક પ્રશ્ન છે કે શું ‘લાલપરી’ (રાજ્ય પરિવહન નિગમની બસો) બચશે કે નહીં, મોટા આવ્યા ખેડુતોની મદદ માટે વાઈન વેચવાની પરવાનગી આપીને હમદર્દ બનવા.

IPLમાં ચોગ્ગા કરતા છગ્ગા વધુ ફટકારે છે આ ખેલાડીઓ
Video : સચિનની લાડલી સારા તેંડુલકરે શાહરૂખ ખાનની કરી કોપી
Jioએ કરોડો યુઝર્સનું ટેન્શન કર્યુ દૂર ! લાવ્યું 90 દિવસનો પ્લાન, IPL જોઈ શકશો ફ્રી
IPLની કોઈપણ સિઝનમાં પહેલા બોલ પર નથી થયો આ કમાલ
ભગવાનની મૂર્તિને ચઢાવેલા ફૂલો નદીમાં કેમ પધરાવવામાં આવે છે?
ગરમીમાં પણ છતની ટાંકીનું પાણી નહીં થાય ગરમ ! અજમાવો આ 3 ટ્રિક

જણાવી દઈએ કે રાજ્યમાં ફળ ઉત્પાદક ખેડૂતોના ઉત્પાદનને યોગ્ય ભાવ મળવો જોઈએ અને રાજ્યની આવકમાં વધારો થવો જોઈએ, મુખ્યત્વે આ બે હેતુઓને લઈને રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યના કરિયાણાની દુકાનો, મોલ અને સુપરમાર્કેટમાં વાઈન વેચવા માટે મંજૂરી આપવામાં આવી છે. સુપરમાર્કેટ અથવા કરિયાણાની દુકાનોમાં જ્યાં વિસ્તાર એક હજાર ચોરસ ફૂટ અથવા તેથી વધુ હશે, ત્યાં હવે સ્ટોલ મૂકીને વાઇન વેચી શકાય છે.

આ પણ વાંચો :  Goa Assembley Election 2022: શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું ‘ઝૂકેંગે નહીં ઔર ચૂકેંગે નહીં’, અમિત શાહના ગોવા જવાથી હવે કંઈ નહીં થાય

g clip-path="url(#clip0_868_265)">