Maharashtra: મુખ્યમંત્રી રાહત ફંડના કોવિડ ખાતામાં 606 કરોડ રૂપિયા બચ્યા, જાણો સરકારે અત્યાર સુધી કેટલા રૂપિયા ખર્ચા કર્યા

|

Nov 22, 2021 | 9:52 PM

ઔરંગાબાદ જિલ્લામાં ટ્રેન અકસ્માતમાં માર્યા ગયેલા કામદારોના વારસદારોને સરકારે 80 લાખ રૂપિયાની સહાય પૂરી પાડી. પરપ્રાંતિય મજૂરોના રેલ ચાર્જ માટે 82,46,94,231 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

Maharashtra: મુખ્યમંત્રી રાહત ફંડના કોવિડ ખાતામાં 606 કરોડ રૂપિયા બચ્યા, જાણો સરકારે અત્યાર સુધી કેટલા રૂપિયા ખર્ચા કર્યા
file photo

Follow us on

મહારાષ્ટ્ર (Maharashtra)માં લોકડાઉન દરમિયાન મદદની અપીલ બાદ લોકોએ મુખ્યમંત્રી રાહત ફંડના ખાતામાં મોટી આર્થિક મદદ કરી. સચિવાલયે આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીને માહિતી આપી છે કે મુખ્યમંત્રી રાહત ફંડમાં અત્યાર સુધીમાં 799 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જેમાંથી હવે 606 કરોડ રૂપિયા જમા છે. 192 કરોડના ખર્ચને ધ્યાનમાં રાખીને કુલ રકમના 25 ટકા ડિપોઝિટ ફંડમાંથી ખર્ચવામાં આવ્યા છે.

 

આરટીઆઈ કાર્યકર્તા અનિલ ગલગલીએ મુખ્યમંત્રી સચિવાલય પાસેથી કુલ જમા રકમ, ખર્ચેલી રકમ અને બાકીની રકમ વિશે માહિતી માંગી હતી. આરટીઆઈ એક્ટિવિસ્ટ અનિલ ગલગલીના જણાવ્યા અનુસાર ફંડ માત્ર કોવિડ હેતુ માટે છે, તેથી અત્યાર સુધી 100 ટકા ખર્ચ કરવું જરૂરી હતું, પરંતુ સરકારે માત્ર 25 ટકા ફંડ ખર્ચ કર્યુ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

અહીં 192 કરોડ રૂપિયા ખર્ચાયા

અનિલ ગલગલીનું કહેવું છે કે 606 કરોડ રૂપિયા જમા રાખવાનો હેતુ શું છે? તેને જાહેર કરવાની જરૂર છે. જમા થયેલી રકમમાંથી 192,75,90,012 રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. તેમાંથી સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં કોવિડ માટે વિશેષ IUI સેટઅપ માટે તબીબી શિક્ષણ વિભાગ દ્વારા 20 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. કોવિડના 25 હજાર પરીક્ષણો માટે એબીબીઓટી એમ 2000 આરટીપીસીઆર મશીનની સામગ્રીઓ ખરીદવા માટે 3, 82,50,000નો ખર્ચ કરવામાં આવ્યો હતો.

 

ઔરંગાબાદ જિલ્લામાં ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા મજૂરોના વારસદારોને 80 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી. પરપ્રાંતિય મજૂરોના રેલ ચાર્જ માટે 82,46,94,231 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. રત્નાગીરી અને જાલના જિલ્લામાં કોવિડ-19ની તપાસ પર 1,07,620 રૂપિયાના હિસાબે 2, 14,13, 840 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.

 

પ્લાઝમા થેરાપી ટેસ્ટ કરાવવા માટે 16 કરોડનો ખર્ચ થયો

પ્લાઝમા થેરાપી પરીક્ષણો કરવા માટે 18 સરકારી મેડિકલ કોલેજ, 4 મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને 1 ટીએમસી મેડિકલ કોલેજને 16.85 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ‘મારો પરિવાર અને મારી જવાબદારી’ આ અભિયાન માટે રાજ્ય આરોગ્ય સંસ્થાના કમિશનરને 15 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.  કોવિડ હેઠળ મ્યુટન્ટ વેરિઅન્ટ્સના સંશોધન માટે જીનોમ સિક્વન્સિંગ પર 1,91,16,000 રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.

 

 

આ પણ વાંચો :  મનજિન્દર સિંહ સિરસાની ફરિયાદ પર મહારાષ્ટ્ર સરકાર કંગના વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયાર, SAD નેતાએ કહ્યું ‘ટૂંક સમયમાં અભિનેત્રી જેલના સળિયા પાછળ હશે’

 

Next Article