Railway News : રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે પશ્ચિમ અને મધ્ય રેલવેના અધિકારીઓ સાથે કરી બેઠક, ગુજરાત અને મહારાષ્ટ્રને લગતા રેલવે સંબંધિત મુદ્દા પર થઇ ચર્ચા

રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે(Darshana Jardosh) 13મી સપ્ટેમ્બરના રોજ ચર્ચગેટ મુંબઈ ખાતે પશ્ચિમ રેલવેના (Western Railway)  મુખ્યાલય ખાતે પશ્ચિમ અને મધ્ય રેલવેના વરિષ્ઠ રેલવે અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી. જ્યાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા અને નરેશ લાલવાણી તેમજ મધ્ય રેલવેના જનરલ મેનેજર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Railway News : રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે પશ્ચિમ અને મધ્ય રેલવેના અધિકારીઓ સાથે કરી બેઠક, ગુજરાત અને મહારાષ્ટ્રને લગતા રેલવે સંબંધિત મુદ્દા પર થઇ ચર્ચા
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Sep 14, 2023 | 3:18 PM

Railway News : રેલવે અને કાપડ રાજ્ય મંત્રી દર્શના જરદોશે (Darshana Jardosh) 13મી સપ્ટેમ્બરના રોજ ચર્ચગેટ મુંબઈ ખાતે પશ્ચિમ રેલવેના (Western Railway)  મુખ્યાલય ખાતે પશ્ચિમ અને મધ્ય રેલવેના વરિષ્ઠ રેલવે અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી હતી. જ્યાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા અને નરેશ લાલવાણી તેમજ મધ્ય રેલવેના જનરલ મેનેજર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- લો બોલો ! જામનગરની જીજી હોસ્પિટલમાં દર્દીની જગ્યાએ પથારીમાં જોવા મળ્યો શ્વાન, જુઓ Video

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, MoSR દર્શના જરદોશેને પશ્ચિમ અને મધ્ય રેલવે બંનેના વરિષ્ઠ રેલવે અધિકારીઓ દ્વારા નવીનતમ વિકાસ, માળખાગત પ્રોજેક્ટ્સ વગેરે ટ્રેન સંબંધિત વિગતો વિશે માહિતી આપવામાં આવી હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

મંત્રી દર્શના જરદોષે ઉધના-સુરત થર્ડ લાઇન, ઉજ્જૈન-દેવાસ-ઇન્દોર ડબલિંગ, રાઉ-ડૉ. આંબેડકર નગર ડબલીંગ, છોટા ઉદેપુર-ધાર નવી લાઈન, રાજકોટ-કાનાલુસ ડબલીંગ, પાલનપુર – મહેસાણા ડબલીંગ, ભુજ – નલિયા ગેજ કન્વર્ઝન વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રને લગતા વિવિધ રેલવે સંબંધિત મુદ્દાઓની પણ ચર્ચા કરી અને મૂલ્યવાન સૂચનો અને મળેલા પ્રતિભાવો શેર કર્યા હતા.

આ પ્રસંગે મંત્રી દર્શના જરદોશે ગત વર્ષના સમાન સમયગાળામાં હાંસલ કરતા વર્તમાન વર્ષમાં જુલાઈ 2023 સુધી ઉત્તમ ફ્રેઈટ લોડિંગ કામગીરી માટે પશ્ચિમ રેલવેના રાજકોટ વિભાગ અને મધ્ય રેલવેના મુંબઈ અને નાગપુર વિભાગોને પણ પુરસ્કાર આપ્યા હતા.

બીજી તરફ સૌરાષ્ટ્રવાસીઓ માટે એક ખુશ ખબર મળી રહ્યાં છે. સૌરાષ્ટ્રવાસીઓને સરકારે એક મહત્વની ભેટ આપી છે. અમદાવાદથી લાંબા અંતરની 6 ટ્રેનને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે માહિતી આપતા કહ્યું કે, લાંબા અંતરની 6 ટ્રેનોને અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવામાં આવશે. અમદાવાદ-પટના એક્સપ્રેસ સહિત 6 ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે જેથી મુસાફરોમાં હવે ખુશીની લહેર જોવા મળી રહી છે.

જે છ ટ્રેનને રાજકોટ સુધી લંબાવામાં આવી છે તેમાં અમદાવાદ-પટના એક્સપ્રેસ, અમદાવાદ-પ્રયાગરાજ એક્સપ્રેસ, અમદાવાદ-કોલકત્તા એક્સપ્રેસ, અમદાવાદ-કોલ્હાપુર એક્સપ્રેસ અને નાગપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. સરકારના આ નિર્ણયથી હવે સૌરાષ્ટ્રવાસીઓને અમદાવાદ સુધી જવું પડશે નહીં. ટ્રેનની મુસાફરી કરનાર લોકોને હવે લાંબા અંતરની મુસાફરી માટે અમદાવાદ સુધી ધક્કા ખાવા નહીં પડે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">