AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદી આવતીકાલે થાણે અને દિવાને જોડતી રેલ્વે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે, 620 કરોડના ખર્ચે થઈ તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલ્વે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે.

PM મોદી આવતીકાલે થાણે અને દિવાને જોડતી રેલ્વે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે, 620 કરોડના ખર્ચે થઈ તૈયાર
PM modi (ફાઈલ ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 5:16 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલ્વે લાઇન રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ માહિતી આપી છે. પીએમઓએ કહ્યું કે, વડાપ્રધાન મુંબઈ ઉપનગરીય રેલવેની બે ઉપનગરીય ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવશે. આ પછી તેમનું સંબોધન પણ આ પ્રસંગે થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, PM મોદી 18 ફેબ્રુઆરીના રોજ સાંજે 4.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલવે લાઇન દેશને સમર્પિત કરશે.

નિવેદન અનુસાર, કલ્યાણ મધ્ય રેલવેનું મુખ્ય જંક્શન છે. દેશના ઉત્તર અને દક્ષિણ ભાગમાંથી આવતો ટ્રાફિક કલ્યાણમાં જોડાય છે અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSTM) તરફ આગળ વધે છે. કલ્યાણ અને CSTM વચ્ચેના ચાર રેલ માર્ગોમાંથી, બે ટ્રેકનો ઉપયોગ ધીમી લોકલ ટ્રેનો માટે અને બેનો ઝડપી લોકલ, મેલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેનો માટે ઉપયોગ થતો હતો. ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનોને અલગ કરવા માટે બે વધારાની લાઇનનું આયોજન કરવામાં આવ્યું હતું.

થાણે અને દિવાને જોડતી બે વધારાની રેલ લાઇન લગભગ રૂ. 620 કરોડના ખર્ચે બાંધવામાં આવી છે અને તેમાં 1.4 કિમી લાંબો રેલ ફ્લાયઓવર, ત્રણ મોટા પુલ, 21 નાના પુલનો સમાવેશ થાય છે. આ લાઈનો મુંબઈમાં ઉપનગરીય ટ્રેનો તેમજ લાંબા અંતરની ટ્રેનોના ટ્રાફિકમાં મોટા પ્રમાણમાં અવરોધ દૂર કરશે. આ સાથે શહેરમાં 36 નવી સબર્બન ટ્રેનો પણ દોડાવવામાં આવશે.

પીએમ મોદી ચૂંટણી રાજ્યોમાં રેલીઓ કરી રહ્યા છે

હાલ પીએમ મોદી વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમોમાં વ્યસ્ત છે. દરમિયાન તેમણે ગુરુવારે પંજાબના ફાઝિલ્કામાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું છે કે, આ ચૂંટણીમાં પંજાબમાં મારી આ છેલ્લી મુલાકાત છે. હું છેલ્લા કેટલાક દિવસોમાં પંજાબના વિવિધ વિસ્તારોમાં ગયો છું. આજે આખા પંજાબમાં એક જ અવાજ ઉઠી રહ્યો છે, ભાજપને જીતવું છે, એનડીએને જીતવું છે. પંજાબમાં ડબલ એન્જિન સરકાર બનાવવી પડશે. તેમણે કહ્યું, ‘ડબલ એન્જિન સરકારનો અર્થ છે, પંજાબનો આ દાયકામાં સૌથી ઝડપી વિકાસ. પંજાબમાંથી રેતી માફિયા, ડ્રગ માફિયાઓની વિદાય, પંજાબના ઔદ્યોગિક એકમોમાં નવી ઉર્જા. પંજાબના યુવાનોને રોજગાર, સ્વરોજગારની નવી તકો. ભાજપે સંપૂર્ણ સમર્પણ સાથે પંજાબની જનતાની સામે પંજાબની સુરક્ષા અને વિકાસનો સંકલ્પ લાવ્યો છે. ભાજપને એકવાર સેવા કરવાનો મોકો આપો. પછી આપણે જોઈશું કે કેવી રીતે ડબલ એન્જિન સરકાર પંજાબને ઝડપી ગતિએ આગળ લઈ જાય છે.

(ભાષા ઇનપુટ સાથે)

આ પણ વાંચો:  Maharashtra: ‘તેમની પાસે સ્ટેટ એજન્સી છે તો અમારી પાસે સેન્ટ્રલ એજન્સી છે’, શિવસેનાના નેતા સંજય રાઉત પર કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેનો પ્રહાર

આ પણ વાંચો: બપ્પી લહેરીનો પુત્ર, પત્ની અને પુત્રી સાથે મુંબઈ પહોંચ્યા, ગાયકના અંતિમ સંસ્કાર આજે થશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">