AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પદ છોડવુ પડશે? બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

આ પીઆઈએલમાં રાજ્યપાલને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે કોશ્યારી પાસેથી મેન્ટલ ફિટનેસ સર્ટિફિકેટ માંગવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દીપક જગદેવ નામના વ્યક્તિએ એડવોકેટ નીતિન સાતપુતે મારફત આ અરજી દાખલ કરી છે.

Maharashtra: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પદ છોડવુ પડશે? બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 11:07 PM
Share

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ફરી એકવાર પોતાના નિવેદનના કારણે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ પર આપવામાં આવેલા નિવેદનથી મહારાષ્ટ્રમાં લગભગ તમામ પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો તેમના વિરુદ્ધ ભડક્યા છે. તેમણે ડો.બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના કાર્યક્રમમાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના આદર્શ છે, આજના આદર્શ નીતિન ગડકરી છે. જેને લઈને મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં તેમની વિરુદ્ધ ફોજદારી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.

આ પીઆઈએલમાં રાજ્યપાલને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે કોશ્યારી પાસેથી મેન્ટલ ફિટનેસ સર્ટિફિકેટ માંગવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દીપક જગદેવ નામના વ્યક્તિએ એડવોકેટ નીતિન સાતપુતે મારફત આ અરજી દાખલ કરી છે. આ અરજી પર ટૂંક સમયમાં સુનાવણી થવાની શક્યતા છે.

રાજ્યપાલને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે, અરજદારની માંગ

આ પીઆઈએલમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્યપાલ કોશ્યારી તેમના વિવાદાસ્પદ નિવેદનોથી સમાજમાં શાંતિ અને એકતાને ભંગ કરવાનું કામ કરી રહ્યા છે. ક્યારેક તેઓ છત્રપતિ શિવાજી મહારાજ વિશે તો ક્યારેક મહાત્મા ફુલે વિશે તો ક્યારેક સાવિત્રીબાઈ ફૂલે વિશે અપમાનજનક નિવેદનો કરતા રહ્યા છે. તેથી જ રાજ્યપાલને પદ પરથી હટાવવાની વાત કહેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે.

રાજ્યપાલને દિલ્હી બોલાવવામાં આવ્યા, 24 અને 25 તારીખે દિલ્હીમાં હશે

આ દરમિયાન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તેઓ 24 અને 25 નવેમ્બરે દિલ્હીમાં રહેશે. દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓ કોને મળશે તેના પર સૌની નજર રહેશે. છત્રપતિ શિવાજી મહારાજ પરના તેમના નિવેદન અંગે કેન્દ્ર સરકારના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા થશે? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ગત વખતે રાજ્યપાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારબાદ એક પત્રકારે હંગામો કર્યા બાદ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે તેમને બોલવાની મનાઈ છે. તેમના આ નિવેદનની પણ ખૂબ ચર્ચા થઈ હતી.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">