AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પદ છોડવુ પડશે? બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

આ પીઆઈએલમાં રાજ્યપાલને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે કોશ્યારી પાસેથી મેન્ટલ ફિટનેસ સર્ટિફિકેટ માંગવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દીપક જગદેવ નામના વ્યક્તિએ એડવોકેટ નીતિન સાતપુતે મારફત આ અરજી દાખલ કરી છે.

Maharashtra: રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પદ છોડવુ પડશે? બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 11:07 PM
Share

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ફરી એકવાર પોતાના નિવેદનના કારણે મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજ પર આપવામાં આવેલા નિવેદનથી મહારાષ્ટ્રમાં લગભગ તમામ પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો તેમના વિરુદ્ધ ભડક્યા છે. તેમણે ડો.બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના કાર્યક્રમમાં કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ જૂના આદર્શ છે, આજના આદર્શ નીતિન ગડકરી છે. જેને લઈને મંગળવારે બોમ્બે હાઈકોર્ટમાં તેમની વિરુદ્ધ ફોજદારી જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.

આ પીઆઈએલમાં રાજ્યપાલને પદ પરથી હટાવવાની માંગ કરવામાં આવી છે. આ સાથે કોશ્યારી પાસેથી મેન્ટલ ફિટનેસ સર્ટિફિકેટ માંગવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દીપક જગદેવ નામના વ્યક્તિએ એડવોકેટ નીતિન સાતપુતે મારફત આ અરજી દાખલ કરી છે. આ અરજી પર ટૂંક સમયમાં સુનાવણી થવાની શક્યતા છે.

રાજ્યપાલને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે, અરજદારની માંગ

આ પીઆઈએલમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્યપાલ કોશ્યારી તેમના વિવાદાસ્પદ નિવેદનોથી સમાજમાં શાંતિ અને એકતાને ભંગ કરવાનું કામ કરી રહ્યા છે. ક્યારેક તેઓ છત્રપતિ શિવાજી મહારાજ વિશે તો ક્યારેક મહાત્મા ફુલે વિશે તો ક્યારેક સાવિત્રીબાઈ ફૂલે વિશે અપમાનજનક નિવેદનો કરતા રહ્યા છે. તેથી જ રાજ્યપાલને પદ પરથી હટાવવાની વાત કહેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે કોર્ટ આ મામલે શું નિર્ણય આપે છે.

રાજ્યપાલને દિલ્હી બોલાવવામાં આવ્યા, 24 અને 25 તારીખે દિલ્હીમાં હશે

આ દરમિયાન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તેઓ 24 અને 25 નવેમ્બરે દિલ્હીમાં રહેશે. દિલ્હીની મુલાકાત દરમિયાન તેઓ કોને મળશે તેના પર સૌની નજર રહેશે. છત્રપતિ શિવાજી મહારાજ પરના તેમના નિવેદન અંગે કેન્દ્ર સરકારના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા થશે? આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે. ગત વખતે રાજ્યપાલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારબાદ એક પત્રકારે હંગામો કર્યા બાદ તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમણે કહ્યું હતું કે તેમને બોલવાની મનાઈ છે. તેમના આ નિવેદનની પણ ખૂબ ચર્ચા થઈ હતી.

Follow Us
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
g clip-path="url(#clip0_868_265)">