અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીતો પર NIA ત્રાટક્યું, મુંબઈમાં 20થી વધુ સ્થળો પર દરોડા

NIAએ બોરીવલી, સાંતાક્રુઝ, બાંદ્રા, નાગપાડા, ગોરેગાંવ, પરેલ સહિત 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ ઠેકાણાઓ દાઉદના શાર્પ શૂટર્સ અને દાણચોરી સાથે સંકળાયેલા સાથીદારોના છે.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીતો પર NIA ત્રાટક્યું, મુંબઈમાં 20થી વધુ સ્થળો પર દરોડા
Dawood Ibrahim
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 10:35 AM

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) સાગરીતો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (National Investigation Agency) ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના સાથીદારો અને કેટલાક હવાલા ઓપરેટરો વિરુદ્ધ મુંબઈમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે NIAએ બોરીવલી, સાંતાક્રુઝ, બાંદ્રા, નાગપાડા, ગોરેગાંવ, પરેલ સહિત 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ ઠેકાણાઓ દાઉદના શાર્પ શૂટર્સ અને દાણચોરી સાથે સંકળાયેલા સાગરીતોના છે. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ આ દરોડા પાડ્યા છે.

ગયા મહિનાની શરૂઆતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં મહારાષ્ટ્રના થાણેમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના એક સાથીદારના નામે નોંધાયેલ રૂ. 55 લાખની કિંમતનો ફ્લેટ જપ્ત કર્યો હતો. ત્યારપછી EDએ કહ્યું કે મુમતાઝ એજાઝ શેખ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સ્થાવર મિલકત જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. ઇડીએ આરોપ મૂક્યો હતો કે આ ફ્લેટ ઇકબાલ કાસકર અને અન્યોએ થાણે સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર સુરેશ દેવીચંદ મહેતા પાસેથી ખંડણીના ભાગરૂપે હસ્તગત કર્યો હતો.

ઇડીએ આરોપ મૂક્યો હતો કે આ ફ્લેટ ઇકબાલ કાસકર અને અન્યોએ થાણે સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર સુરેશ દેવીચંદ મહેતા પાસેથી ખંડણીમાં હસ્તગત કર્યો હતો. ઇડીએ જણાવ્યું હતું કે ફ્લેટ સિવાય, બિલ્ડર પાસેથી વસૂલાત તરીકે મળેલા રૂ. 10 લાખના ચાર ચેક પણ આરોપીઓ દ્વારા વટાવીને રોકડા મેળવી લેવામાં આવ્યા હતા, જેની તેમણે બિલ્ડર પાસેથી માંગણી કરી હતી. EDનો આરોપ છે કે આ ખાતાઓ માત્ર રૂ. 10 લાખની રોકડ ઉપાડવા માટે ચલાવવામાં આવ્યા હતા અને તેમાં અન્ય કોઈ વ્યવહારો કરવામાં આવ્યા ન હતા. આ એકાઉન્ટ્સ ખંડણીની રકમના અંતિમ વપરાશકર્તા કે વાસ્તવિક વપરાશકર્તાને છુપાવવા માટે સંચાલિત કરવામાં આવ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શું છે ડી-કંપની

ડી કંપની એક આતંકવાદી સંગઠન છે. આ આતંકવાદી સંગઠન પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 1993ના મુંબઈ બોંબ વિસ્ફોટના આરોપી દાઉદ ઈબ્રાહિમને 10 વર્ષ બાદ 2003માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી તેના પર $25 મિલિયનનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. ડી-કંપનીની રચના દાઉદ ઈબ્રાહિમે કરી છે અને તેનું સંપૂર્ણ નિયંત્રણ પણ તેના હાથમાં જ છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમ ટેરર ​​ફંડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્સ સ્મગલિંગનો બિઝનેસ કરીને ભારતમાં આતંક ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">