AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીતો પર NIA ત્રાટક્યું, મુંબઈમાં 20થી વધુ સ્થળો પર દરોડા

NIAએ બોરીવલી, સાંતાક્રુઝ, બાંદ્રા, નાગપાડા, ગોરેગાંવ, પરેલ સહિત 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ ઠેકાણાઓ દાઉદના શાર્પ શૂટર્સ અને દાણચોરી સાથે સંકળાયેલા સાથીદારોના છે.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સાગરીતો પર NIA ત્રાટક્યું, મુંબઈમાં 20થી વધુ સ્થળો પર દરોડા
Dawood Ibrahim
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 10:35 AM
Share

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) સાગરીતો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (National Investigation Agency) ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના સાથીદારો અને કેટલાક હવાલા ઓપરેટરો વિરુદ્ધ મુંબઈમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે NIAએ બોરીવલી, સાંતાક્રુઝ, બાંદ્રા, નાગપાડા, ગોરેગાંવ, પરેલ સહિત 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. આ ઠેકાણાઓ દાઉદના શાર્પ શૂટર્સ અને દાણચોરી સાથે સંકળાયેલા સાગરીતોના છે. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ આ દરોડા પાડ્યા છે.

ગયા મહિનાની શરૂઆતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગની તપાસના સંબંધમાં મહારાષ્ટ્રના થાણેમાં દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના એક સાથીદારના નામે નોંધાયેલ રૂ. 55 લાખની કિંમતનો ફ્લેટ જપ્ત કર્યો હતો. ત્યારપછી EDએ કહ્યું કે મુમતાઝ એજાઝ શેખ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સ્થાવર મિલકત જપ્ત કરવાનો કામચલાઉ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. ઇડીએ આરોપ મૂક્યો હતો કે આ ફ્લેટ ઇકબાલ કાસકર અને અન્યોએ થાણે સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર સુરેશ દેવીચંદ મહેતા પાસેથી ખંડણીના ભાગરૂપે હસ્તગત કર્યો હતો.

ઇડીએ આરોપ મૂક્યો હતો કે આ ફ્લેટ ઇકબાલ કાસકર અને અન્યોએ થાણે સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર સુરેશ દેવીચંદ મહેતા પાસેથી ખંડણીમાં હસ્તગત કર્યો હતો. ઇડીએ જણાવ્યું હતું કે ફ્લેટ સિવાય, બિલ્ડર પાસેથી વસૂલાત તરીકે મળેલા રૂ. 10 લાખના ચાર ચેક પણ આરોપીઓ દ્વારા વટાવીને રોકડા મેળવી લેવામાં આવ્યા હતા, જેની તેમણે બિલ્ડર પાસેથી માંગણી કરી હતી. EDનો આરોપ છે કે આ ખાતાઓ માત્ર રૂ. 10 લાખની રોકડ ઉપાડવા માટે ચલાવવામાં આવ્યા હતા અને તેમાં અન્ય કોઈ વ્યવહારો કરવામાં આવ્યા ન હતા. આ એકાઉન્ટ્સ ખંડણીની રકમના અંતિમ વપરાશકર્તા કે વાસ્તવિક વપરાશકર્તાને છુપાવવા માટે સંચાલિત કરવામાં આવ્યા હતા.

શું છે ડી-કંપની

ડી કંપની એક આતંકવાદી સંગઠન છે. આ આતંકવાદી સંગઠન પર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 1993ના મુંબઈ બોંબ વિસ્ફોટના આરોપી દાઉદ ઈબ્રાહિમને 10 વર્ષ બાદ 2003માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી તેના પર $25 મિલિયનનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. ડી-કંપનીની રચના દાઉદ ઈબ્રાહિમે કરી છે અને તેનું સંપૂર્ણ નિયંત્રણ પણ તેના હાથમાં જ છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડી કંપની અને દાઉદ ઈબ્રાહિમ ટેરર ​​ફંડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્સ સ્મગલિંગનો બિઝનેસ કરીને ભારતમાં આતંક ફેલાવવાનું કામ કરી રહ્યા છે.

Follow Us
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
g clip-path="url(#clip0_868_265)">