Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: શરદ પવારનો દાવો, 2024માં ફરી મહા વિકાસ આઘાડી સરકાર જીતશે ચૂંટણી, ઉદ્ધવ ઠાકરે જ બનશે સીએમ

પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું કે હવે ગઠબંધન સરકારનો કોઈ વિકલ્પ નથી. મહારાષ્ટ્રમાં વર્ષોથી એક પણ પક્ષની સરકાર નથી. ભાજપને દૂર રાખવા માટે મહા વિકાસ આઘાડીએ એકસાથે આવવાની જરૂર છે.

Maharashtra: શરદ પવારનો દાવો, 2024માં ફરી મહા વિકાસ આઘાડી સરકાર જીતશે ચૂંટણી, ઉદ્ધવ ઠાકરે જ બનશે સીએમ
Sharad Pawar (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 11:02 PM

મહારાષ્ટ્ર (Maharashtra) ના હાઉસિંગ મિનિસ્ટર અને NCPના નેતા જીતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) દાવો કર્યો છે કે તેમની પાર્ટીના સુપ્રીમો શરદ પવારે (Sharad Pawar) કહ્યું છે કે મહા વિકાસ અઘાડી સરકાર 2024માં ફરી એકવાર ચૂંટણી જીતશે અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ને ફરીથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. જિતેન્દ્ર આવ્હાડેએ બુધવારે સાંજે પાર્ટી કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરતા આ વાત કહી. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું કે હવે ગઠબંધન સરકારનો કોઈ વિકલ્પ નથી.

મહારાષ્ટ્રમાં વર્ષોથી એક પણ પક્ષની સરકાર નથી. ભાજપને દૂર રાખવા માટે મહા વિકાસ આઘાડી (MVA) એ એકસાથે આવવાની જરૂર છે. MVA ના આર્કિટેક્ટ શરદ પવારે ક્યારેય કોઈ મુદ્દા પર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર દબાણ કર્યું નથી અને અમને તેમને યોગ્ય સન્માન આપવા અને તેમને પોતાના નિર્ણયો લેવાની મંજૂરી આપવા કહ્યું છે.

પાર્ટીના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા

અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?
બોલિવૂડની ટ્રેજેડી ક્વીન 36ની ઉંમરે જ દુનિયાને કહી ચૂકી છે 'અલવિદા'
1076 દિવસ પછી પરત ફરેલા ખેલાડીએ IPLમાં ધમાકો કર્યો

તેમણે વધુમાં કહ્યું કે થાણે જિલ્લાના સંરક્ષક મંત્રી એકનાથ શિંદે એનએમએમસી (NMMC) ચૂંટણી માટે એમવીએ (MVA) એકતાને સંપૂર્ણ સમર્થન આપે છે, તેમણે નવી મુંબઈમાં ગઠબંધન એકતાનું પાલન ન કરવા બદલ શિવસેનાને દોષી ઠેરવી છે. તેમણે કહ્યું કે પાર્ટી કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા અને NCP નેતાઓને યોગ્ય સન્માન આપવામાં આવતું ન હતું.

કેન્દ્ર ઓબીસી આગળ વધે તેવું ઈચ્છતું નથી

ઓબીસી અનામતના મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા આવ્હાડએ કહ્યું કે, અમારે ઓબીસી અનામત માટે કેન્દ્ર સરકારને ડેટા આપવો પડશે. જોકે તે આ મુદ્દે રાજનીતિ કરી રહી છે. તેઓ નથી ઈચ્છતા કે OBC આગળ વધે, જે મહારાષ્ટ્રની વસ્તીના 51 ટકા છે.

શિવસેના અને કોંગ્રેસ ઉત્તર પ્રદેશ અને ગોવામાં સાથે મળીને ચૂંટણી લડશે

કોંગ્રેસ અને શિવસેના ઉત્તર પ્રદેશ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન પર વિચાર કરી રહ્યા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે બુધવારે આ માહિતી આપી હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળ્યા બાદ તેમણે આ વાત કહી. આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. આ રાજ્યોમાં આવતા વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજાવાની છે. તમને જણાવી દઈએ કે શિવસેનાએ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 57 સીટો પર લડી હતી. પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી.

આ પણ વાંચો :  Maharashtra: BMCમાં 9 બેઠકો વધારવા મુદ્દે હાઈકોર્ટ તરફથી ઉદ્ધવ સરકારને રાહત, તાત્કાલિક રોક લગાવવાનો ઈન્કાર

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">