AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: શરદ પવારનો દાવો, 2024માં ફરી મહા વિકાસ આઘાડી સરકાર જીતશે ચૂંટણી, ઉદ્ધવ ઠાકરે જ બનશે સીએમ

પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું કે હવે ગઠબંધન સરકારનો કોઈ વિકલ્પ નથી. મહારાષ્ટ્રમાં વર્ષોથી એક પણ પક્ષની સરકાર નથી. ભાજપને દૂર રાખવા માટે મહા વિકાસ આઘાડીએ એકસાથે આવવાની જરૂર છે.

Maharashtra: શરદ પવારનો દાવો, 2024માં ફરી મહા વિકાસ આઘાડી સરકાર જીતશે ચૂંટણી, ઉદ્ધવ ઠાકરે જ બનશે સીએમ
Sharad Pawar (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 11:02 PM
Share

મહારાષ્ટ્ર (Maharashtra) ના હાઉસિંગ મિનિસ્ટર અને NCPના નેતા જીતેન્દ્ર આવ્હાડે (Jitendra Awhad) દાવો કર્યો છે કે તેમની પાર્ટીના સુપ્રીમો શરદ પવારે (Sharad Pawar) કહ્યું છે કે મહા વિકાસ અઘાડી સરકાર 2024માં ફરી એકવાર ચૂંટણી જીતશે અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ને ફરીથી મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બનાવવામાં આવશે. જિતેન્દ્ર આવ્હાડેએ બુધવારે સાંજે પાર્ટી કાર્યકર્તાઓની બેઠકને સંબોધિત કરતા આ વાત કહી. પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા જીતેન્દ્ર આવ્હાડે કહ્યું કે હવે ગઠબંધન સરકારનો કોઈ વિકલ્પ નથી.

મહારાષ્ટ્રમાં વર્ષોથી એક પણ પક્ષની સરકાર નથી. ભાજપને દૂર રાખવા માટે મહા વિકાસ આઘાડી (MVA) એ એકસાથે આવવાની જરૂર છે. MVA ના આર્કિટેક્ટ શરદ પવારે ક્યારેય કોઈ મુદ્દા પર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર દબાણ કર્યું નથી અને અમને તેમને યોગ્ય સન્માન આપવા અને તેમને પોતાના નિર્ણયો લેવાની મંજૂરી આપવા કહ્યું છે.

પાર્ટીના નેતાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા

તેમણે વધુમાં કહ્યું કે થાણે જિલ્લાના સંરક્ષક મંત્રી એકનાથ શિંદે એનએમએમસી (NMMC) ચૂંટણી માટે એમવીએ (MVA) એકતાને સંપૂર્ણ સમર્થન આપે છે, તેમણે નવી મુંબઈમાં ગઠબંધન એકતાનું પાલન ન કરવા બદલ શિવસેનાને દોષી ઠેરવી છે. તેમણે કહ્યું કે પાર્ટી કાર્યકર્તાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા અને NCP નેતાઓને યોગ્ય સન્માન આપવામાં આવતું ન હતું.

કેન્દ્ર ઓબીસી આગળ વધે તેવું ઈચ્છતું નથી

ઓબીસી અનામતના મુદ્દે ભાજપ પર પ્રહાર કરતા આવ્હાડએ કહ્યું કે, અમારે ઓબીસી અનામત માટે કેન્દ્ર સરકારને ડેટા આપવો પડશે. જોકે તે આ મુદ્દે રાજનીતિ કરી રહી છે. તેઓ નથી ઈચ્છતા કે OBC આગળ વધે, જે મહારાષ્ટ્રની વસ્તીના 51 ટકા છે.

શિવસેના અને કોંગ્રેસ ઉત્તર પ્રદેશ અને ગોવામાં સાથે મળીને ચૂંટણી લડશે

કોંગ્રેસ અને શિવસેના ઉત્તર પ્રદેશ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન પર વિચાર કરી રહ્યા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે બુધવારે આ માહિતી આપી હતી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળ્યા બાદ તેમણે આ વાત કહી. આ બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે. આ રાજ્યોમાં આવતા વર્ષની શરૂઆતમાં ચૂંટણી યોજાવાની છે. તમને જણાવી દઈએ કે શિવસેનાએ 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 57 સીટો પર લડી હતી. પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી.

આ પણ વાંચો :  Maharashtra: BMCમાં 9 બેઠકો વધારવા મુદ્દે હાઈકોર્ટ તરફથી ઉદ્ધવ સરકારને રાહત, તાત્કાલિક રોક લગાવવાનો ઈન્કાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">