Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: BMCમાં 9 બેઠકો વધારવા મુદ્દે હાઈકોર્ટ તરફથી ઉદ્ધવ સરકારને રાહત, તાત્કાલિક રોક લગાવવાનો ઈન્કાર

ભાજપના કાઉન્સિલર અભિજિત સામંત અને રાજશ્રી શિરવાડકરનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મિલિંદ સાઠેએ જણાવ્યું હતું કે વટહુકમ મનસ્વી, ગેરકાયદેસર, અન્યાયી અને બંધારણીય આદેશ અને મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ છે.

Maharashtra: BMCમાં 9 બેઠકો વધારવા મુદ્દે હાઈકોર્ટ તરફથી ઉદ્ધવ સરકારને રાહત, તાત્કાલિક રોક લગાવવાનો ઈન્કાર
Bombay High Court (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 9:41 PM

મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Mumbai Municipal Corporation) ની ચૂંટણી પહેલા નવ નવા વોર્ડ બનાવવાના મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના વટહુકમ પર વચગાળાનો સ્ટે આપવાનો ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ઈન્કાર કર્યો હતો. જસ્ટિસ એ એ સૈયદ અને જસ્ટિસ અભય આહુજાની ડિવિઝન બેન્ચે 30 નવેમ્બરના નિર્ણયને પડકારતી બે બીજેપી કાઉન્સિલરોની અરજી પર મહારાષ્ટ્ર સરકાર, ચૂંટણી પંચ અને BMCને 21 ડિસેમ્બર સુધીમાં જવાબમાં સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

જણાવી દઈએ કે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની દરખાસ્તને મંજૂરી મળ્યા બાદ રાજ્યના શહેરી વિકાસ વિભાગે 30 નવેમ્બરે બેઠકોની સંખ્યા 227થી વધારીને 236 કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

રાજ્ય કેબિનેટે બેઠકો વધારવાના નિર્ણયને 10 નવેમ્બરે મંજૂરી આપી હતી અને 16 નવેમ્બરે રાજ્યપાલને તેમની મંજૂરી માટે ફાઇલ મોકલવામાં આવી હતી. જેના પર રાજ્યપાલે 29 નવેમ્બરે તેને મંજૂરી આપી હતી. અને બીજા જ દિવસે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

મનમાની કરીને લેવાયેલ નિર્ણય

ભાજપના કાઉન્સિલર અભિજિત સામંત અને રાજશ્રી શિરવાડકરનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ મિલિંદ સાઠેએ જણાવ્યું હતું કે વટહુકમ મનસ્વી, ગેરકાયદેસર, અન્યાયી અને બંધારણીય આદેશ અને મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન (MMC) એક્ટની જોગવાઈઓ વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે કોઈપણ “માત્રાત્મક ડેટા અથવા તાજેતરની વસ્તી ગણતરીના ડેટા ઉપલબ્ધ” વિના મ્યુનિસિપલ કાઉન્સિલરોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે વટહુકમ 2011ની વસ્તી ગણતરીના ડેટા પર આધારિત છે. આ આંકડા 10 વર્ષથી વધુ જૂના હોવાથી, 2011ની વસ્તીના આંકડાઓના આધારે MMC એક્ટમાં સુધારો કરવો ગેરકાયદેસર છે.

9 વોર્ડને મોટા કરવા માટે વસ્તી ગણતરીનો ઉપયોગ કરી શકાતો નથી

અરજીમાં વધુમાં જણાવાયું છે કે જ્યારે તાજેતરની વસ્તી ગણતરીના ડેટાના આધારે એક્ટમાં સુધારો કરી શકાય છે, ત્યારે કોવિડ-19 મહામારીને કારણે તેના પર કામ સ્થગિત કરવામાં આવ્યું છે. સાઠેએ જણાવ્યું હતું કે 2012 અને 2017 મ્યુનિસિપલ ચૂંટણીઓ માટે 2011ની વસ્તી ગણતરી મુજબ વોર્ડની સંખ્યામાં પહેલેથી જ વધારો કરવામાં આવ્યો હતો અને તેથી તે જ વસ્તી ગણતરીને નવ વોર્ડ વધારવા માટેના આધાર તરીકે ઉપયોગ કરી શકાતો નથી.

તેમણે એમ પણ કહ્યું કે માત્રાત્મક ડેટા વિના, એવું માની શકાય નહીં કે શહેરની વસ્તી વધી છે, જે મહામારી દરમિયાન પણ ઘટાડી શકાયું હોત અને આવો નિર્ણય લેતા પહેલા આની ખાતરી કરવી જોઈએ.

ભાજપના ધારાસભ્ય અમિત સાટમે પણ અરજી કરી હતી

કોર્ટને 30 નવેમ્બરના વટહુકમને રદ્દ કરવા અને રદ્દ  કરવાનો અનુરોધ કરવા ઉપરાંત અરજદારોએ સુનાવણી બાકી હોય તેના અમલીકરણ પર સ્ટે મૂકવાની પણ માંગ કરી છે. ભાજપના ધારાસભ્ય અમિત સાટમે પણ રાજ્ય સરકારના નિર્ણય સામે અરજી કરી છે. તે જ સમયે, કોર્ટે 30 નવેમ્બરના ચુકાદા પર તાત્કાલિક વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોણીને 22 ડિસેમ્બરે આગામી સુનાવણી દરમિયાન રાજ્યની સ્થિતિ સ્પષ્ટ કરવા નોટિસ પણ આપી છે.

આ પણ વાંચો :  દેશમાં બેટરી સ્ટોરેજ મેન્યુફેક્ચરિંગ અંગે ઊર્જા મંત્રીએ યોજી મહત્વની બેઠક, વિદેશમાં લિથિયમની ખાણો ખરીદવા અંગે કરી ચર્ચા

g clip-path="url(#clip0_868_265)">