AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aryan Khan Drug Case: શું લાંચના આરોપમાં સંડોવાયેલા તપાસ અધિકારી સમીર વાનખેડેને હટાવવામાં આવશે? જાણો શું કહ્યું NCBના DGએ

આર્યન ખાન કેસની તપાસ સાથે સંકળાયેલી ટીમના તમામ સભ્યોની પૂછપરછ કરવા દિલ્હીથી NCBના વિજિલન્સ વિભાગની પાંચ સભ્યોની ટીમ બુધવારે મુંબઈની મુલાકાત લેશે.

Aryan Khan Drug Case: શું લાંચના આરોપમાં સંડોવાયેલા તપાસ અધિકારી સમીર વાનખેડેને હટાવવામાં આવશે? જાણો શું કહ્યું NCBના DGએ
NCB officer Sameer Wankhede. (file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 11:09 PM
Share

આર્યન ખાન ડ્રગ કેસની (Aryan Khan Drug Case) તપાસ કરી રહેલા સમીર વાનખેડે (Sameer Wankhede) વિજિલન્સ તપાસનો (Vigilance Probe) સામનો કરી રહ્યા છે. આ દરમિયાન વાનખેડેને હટાવવાના મામલે એનસીબીના મહાનિર્દેશક (NCB Director General) એસએન પ્રધાને (SN Pradhan) કહ્યું કે તેમને હટાવવા અંગેનો કોઈપણ નિર્ણય પૂરતા પુરાવા પછી જ લેવામાં આવશે. વાનખેડે ડ્રગ કેસમાં સાક્ષી પ્રભાકર સાઈલ (Prabhakar Sail) દ્વારા કરવામાં આવેલા જબરદસ્તી વસુલીના દાવામાં એનસીબી દ્વારા આદેશિત વિજિલન્સ તપાસનો સામનો કરી રહ્યો છે.

આર્યન ખાન કેસની તપાસ સાથે સંકળાયેલી ટીમના તમામ સભ્યોની પૂછપરછ કરવા દિલ્હીથી એનસીબીના વિજિલન્સ વિભાગની પાંચ સભ્યોની ટીમ બુધવારે મુંબઈની મુલાકાત લેશે. ટીમનું નેતૃત્વ એનસીબીના  ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહ કરશે.

25 કરોડની ડીલ કરવાનું કહેતા સાંભળ્યા હતા

આ કેસના સાક્ષી પ્રભાકર સાઈલે આરોપ લગાવ્યો હતો કે આર્યન ખાન ડ્રગ્સ કેસની તપાસ દરમિયાન એનસીબીના અધિકારીઓ અને સમીર વાનખેડેએ તેની પાસે 10 કોરા કાગળો પર સહી કરાવી લીધી હતી અને તેનો પંચના સાક્ષી તરીકે ઉપયોગ કર્યો હતો. પ્રભાકર સાઈલ આ કેસના નવ સાક્ષીઓમાંના એક કિરણ ગોસાવીનો બોડીગાર્ડ છે. પ્રભાકરે દાવો કર્યો છે કે તેણે ગોસાવી અને સેમ ડિસોઝા વચ્ચેની વાતચીત સાંભળી હતી. તે વાતચીતમાં ગોસાવીએ સેમને આર્યન ખાનના કેસને દબાવવા માટે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની પાસેથી 25 કરોડની ડીલ કરવા કહ્યું હતું.

વાનખેડેને 8 કરોડ આપવાના હતા

આ પછી 18 કરોડમાં ડીલ ફાઈનલ કરવાની વાત થઈ હતી. તેમાંથી 8 કરોડ સમીર વાનખેડેને આપવાના હતા. પ્રભાકર સાઈલે કહ્યું કે તેણે અત્યાર સુધી આ વાત છુપાવી છે કારણ કે સમીર વાનખેડે તરફથી તેના જીવને જોખમ છે. ત્યારબાદ પ્રભાકર સૈલે પોલીસ રક્ષણ માટે સહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રભાકરની માંગ મુજબ તેને પોલીસ સુરક્ષા આપવામાં આવી છે.

આ પણ વાંચો :  Aryan Khan Bail Plea Hearing: આર્યન ખાને આજે પણ જેલમાં જ વિતાવવી પડશે રાત, જામીન અરજી પર આવતીકાલે અઢી વાગ્યા બાદ થશે સુનાવણી

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">