AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાણા દંપતિએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાનની બહાર હનુમાન ચાલિસાની હઠ છોડી, રવિ રાણાએ આપી આ સ્પષ્ટતા

અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના બંગલા માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાનો તેમનો આગ્રહ છોડી દીધો છે અને આ આંદોલન પાછું ખેંચી લેવામાં આવ્યું છે.

રાણા દંપતિએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાનની બહાર હનુમાન ચાલિસાની હઠ છોડી, રવિ રાણાએ આપી આ સ્પષ્ટતા
Navneet Rana & Ravi RanaImage Credit source: Tv 9 Marathi
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 6:30 PM
Share

અમરાવતીના સાંસદ નવનીત રાણા (Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) બંગલા માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના (Reversed the decision of hanuman chalisa outside matoshree) પાઠ કરવાનો તેમનો આગ્રહ છોડી દીધો હતો અને આ આંદોલન પાછું ખેંચવામાં આવ્યું છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીની આવતીકાલે મુંબઈની મુલાકાતને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય બદલ્યો છે. ધારાસભ્ય રવિ રાણાએ આજે ​​(23 એપ્રિલ, શનિવાર) આ સંદર્ભમાં જાહેરાત કરતા કહ્યું, માતોશ્રી અમારા હૃદયમાં છે. પરંતુ શનિવાર હનુમાનજીનો દિવસ છે. આવી સ્થિતિમાં અમે માતોશ્રીની સામે હનુમાન ચાલીસા વાંચવા માંગતા હતા. અમારી અટકાયત કરવામાં આવી હતી. આ બધું મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના કહેવાથી થયું. મહારાષ્ટ્રની સ્થિતિ પશ્ચિમ બંગાળ જેવી બની રહી છે.

રવિ રાણાએ કહ્યું, કાલે પીએમ નરેન્દ્ર મોદી મુંબઈ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ. પોલીસ પ્રશાસન પર કોઈ દબાણ ન હોવું જોઈએ. પીએમ મુંબઈ આવી રહ્યા છે, તે મુંબઈ માટે ગર્વની વાત છે. આવી સ્થિતિમાં અમે કોઈ પણ પ્રકારની અસ્વસ્થતાભરી સ્થિતિ પેદા કરવા માંગતા નથી. એટલા માટે અમે હાલ માતોશ્રી પર જઈને હનુમાન ચાલીસા વાંચવાનું આંદોલન પાછું ખેંચ્યું છે. પીએમ મોદીની મુલાકાતમાં કોઈ અડચણ ન હોવી જોઈએ, તેથી જ અમે આ નિર્ણય લીધો છે.

પીએમ મોદીના સન્માનમાં રાણા દંપતિ મેદાનમાંથી હટી ગયા

આગળ રવિ રાણાએ કહ્યું, મહારાષ્ટ્રમાં ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે. બેરોજગારી વધી રહી છે. રાજ્યમાં જે રીતે સાડા સાતીના રૂપમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જ્યારથી આવ્યા છે એક પછી એક આફતો સામે આવી રહી છે. આ આફતોને દૂર કરવા અમે માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંગતા હતા. પરંતુ અમને તેમ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

અમને ધમકી આપવામાં આવી હતી. જે રીતે રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓએ શરદ પવારના ઘરની બહાર પથ્થરમારો કર્યો હતો, તેમની સામે કેસ નોંધવામાં આવ્યા હતા અને કાર્યવાહી કરવામાં આવી હતી, એ જ રીતે શિવસૈનિકો બેરિકેડ તોડીને અમારા મુંબઈના ઘરમાં ઘૂસ્યા હતા. આના પર કોણ કાર્યવાહી કરશે? મહારાષ્ટ્રમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી છે.

આવતીકાલે PM અને CM એક મંચ પર આવશે, મોદીજી લતા મંગેશકર એવોર્ડ સ્વીકારશે

જણાવી દઈએ કે આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદી મુંબઈના પ્રવાસે છે. ભારત રત્ન લતા મંગેશકરના નિધન બાદ પ્રથમ લતા મંગેશકર એવોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી આ એવોર્ડ મેળવશે અને સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે એક જ મંચ પર હાજર રહેશે.

આ પણ વાંચો :  Hanuman Chalisaના પાઠને લઈ રાજકારણ ગરમાયું, રાણા દંપતીને નજરકેદ કરવામાં આવ્યા

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">