Maharashtra: નાસિક પોલીસે ડોક્ટરની પત્નીની હત્યાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી, 25 જાન્યુઆરીએ મળી આવી હતી સળગેલી લાશ

નાશિક પોલીસે (Nashik Police) જણાવ્યું કે સંદીપ અને સુવર્ણાના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા, પરંતુ તેમનું લગ્નજીવન સારું ચાલી રહ્યું ન હતું.

Maharashtra: નાસિક પોલીસે ડોક્ટરની પત્નીની હત્યાના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી, 25 જાન્યુઆરીએ મળી આવી હતી સળગેલી લાશ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 9:18 PM

મહારાષ્ટ્રના (Maharashtra) નાસિકમાં એક કારમાંથી મહિલા ડોક્ટરની સળગી ગયેલી લાશ (Dead Body) મળવાના મામલે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે (Police) ગુરુવારે રાત્રે 48 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી હતી. આરોપ છે કે આ વ્યક્તિએ નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશનની મોરવાડી હોસ્પિટલમાં કામ કરતી પોતાની મેડિકલ ઓફિસર પત્નીની કથિત રીતે હત્યા કરી હતી. હાલ આરોપી પોલીસની કસ્ટડીમાં છે. નાસિક ગ્રામીણ પોલીસ અધિક્ષક સચિન પાટીલે જણાવ્યું કે 25 જાન્યુઆરીની મોડી રાત્રે 30 વર્ષીય મહિલા સુવર્ણા વાજેની સળગી ગયેલી લાશ તેની કારની અંદરથી મળી આવી હતી. શરીર સંપૂર્ણપણે બળી ગયું હતું.

‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ના સમાચાર અનુસાર, પોલીસે તે સમયે મળેલા પુરાવાના આધારે મહિલાના પતિ સંદીપની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાના પરિવારજનોને પણ તેના પર શંકા હતી. તપાસ ટીમને મળેલા પુરાવાના આધારે હત્યા પાછળ મહિલાના પતિનો હાથ હોવાનું સામે આવ્યું છે. નાસિકમાં મુંબઈ-આગ્રા હાઈવે પર ખેડ ભૈરવ ગામ પાસે ડૉક્ટર અને તેની બળી ગયેલી કાર મળી આવી હતી. જેના આધારે વાડીવરહે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો.

પતિ પર ડૉક્ટર પત્નીની હત્યાનો આરોપ

તપાસ દરમિયાન પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધ્યો છે. પોલીસે આ કેસમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા સિવિલ એન્જિનિયર અને ડોક્ટરના પતિ સંદીપની ધરપકડ કરી છે. નાશિક પોલીસે જણાવ્યું કે સંદીપ અને સુવર્ણાના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા, પરંતુ તેમનું લગ્નજીવન સારું ચાલી રહ્યું ન હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

વાડીવરહે પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર અનિલ પવારે જણાવ્યું હતું કે બંનેએ અગાઉ છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ કોઈક રીતે તેઓનું સમાધાન થઈ ગયું હતું. મહિલા ડોકટરની હત્યાની ઘટના અંગે પોલીસ હજુ સુધી જાણી શકી નથી. પરંતુ પોલીસને શંકા છે કે સંદીપે પહેલા તેની પત્નીની હત્યા કરી, પછી લાશને કારમાં મૂકીને આગ લગાવી દીધી.

આ પણ વાંચો :  Malegaon Blast Case: કોર્ટમાં વધુ એક સાક્ષીએ નિવેદનથી કરી પીછેહઠ, મહારાષ્ટ્ર ATS પર લગાવ્યો આ ગંભીર આરોપ

આ પણ વાંચો : Maharashtra : બે હજાર રૂપિયામાં વેચાઈ રહ્યુ હતુ ફેક વેક્સીનેશન સર્ટીફીકેટ, થાણે પોલીસે આ રીતે કર્યો ગેંગનો પર્દાફાશ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">