AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : એક્સપ્રેસ વે દ્વારા માત્ર 13 કલાકમાં પહોચી શકાશે મુંબઈથી દીલ્હી ! 32 કરોડ લિટર ઈંધણની થશે બચત

એક્સપ્રેસ વે દ્વારા માત્ર મુંબઈ અને દિલ્હી વચ્ચેનું અંતર નહીં ઘટે, પરંતુ હાઈવેના કિનારે ઓદ્યોગિક ટાઉનશીપ અને સ્માર્ટ સિટી પણ બનાવવામાં આવશે. હાઇવે પર 92 સ્થળોએ ઈન્ટરવલ સ્પોટ વિકસાવવામાં આવશે.

Maharashtra : એક્સપ્રેસ વે દ્વારા માત્ર 13 કલાકમાં પહોચી શકાશે મુંબઈથી દીલ્હી ! 32 કરોડ લિટર ઈંધણની થશે બચત
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 5:49 PM
Share

દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડવા માટે મહત્વાકાંક્ષી ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે (Delhi Mumbai Expressway) બનાવવામાં આવી રહ્યો છે. આ 8-લેન હાઇવે લગભગ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ રહેશે કે તેના કારણે મુંબઈથી દિલ્હી વચ્ચેનું અંતર 150 કિલોમીટર જેટલું ઘટી જશે અને મુંબઈથી દિલ્હીની યાત્રા માત્ર 13 કલાકની રહેશે.

કેન્દ્રીય રાજમાર્ગ વિકાસ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના (Nitin Gadkari, Minister of Road Transport and Highways) જણાવ્યા અનુસાર, દેશના બે મહાનગરોને જોડતા 1350 કિલોમીટર લાંબા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વેનું કામ જાન્યુઆરી 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ એક્સપ્રેસ વેના કારણે દર વર્ષે 32 કરોડ લિટર ઈંધણની બચત થશે. હાલમાં, એક્સપ્રેસ વેનું 350 કિમી સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે.

એક્સપ્રેસ વેના કિનારે  ઓદ્યોગિક ટાઉનશીપ અને સ્માર્ટ સિટી બનાવવામાં આવશે

એક્સપ્રેસ વે દ્વારા માત્ર મુંબઈ અને દિલ્હી વચ્ચેનું અંતર નહીં ઘટે, પરંતુ હાઈ વેના કિનારે ઓદ્યોગિક ટાઉનશીપ અને સ્માર્ટ સિટી પણ બનાવવામાં આવશે. હાઇ વે પર 92 સ્થળોએ ઈન્ટરવલ સ્પોટ વિકસાવવામાં આવશે.

ઈ-વાહનો માટે 4 લેન રીઝર્વ રાખવામાં આવશે

એક્સપ્રેસ વેમાં આમ તો 8 લેનની વ્યવસ્થા હશે, પરંતુ આ 8 લેનમાંથી દરેક બે લેન રિઝર્વ રાખવામાં આવશે. આ રીતે, 4 લેન ફક્ત ઇ-વાહનોની અવર જવર માટે જ રીઝર્વ રહેશે. દેશમાં આ પ્રકારનો આ પ્રથમ એક્સપ્રેસ વે હશે. એટલે કે આ એક્સપ્રેસ વે પર્યાવરણ અનુસાર પણ ખરું સાબિત થશે. તેને કારણે, તેમાં ઇંધણની નોંધપાત્ર બચત થશે. હાઇવેમાં, થોડા થોડા અંતરે ઇ-વાહનો ચાર્જ કરવાની સુવિધા હશે.

નીતિન ગડકરી 16 સપ્ટેમ્બરે અત્યાર સુધી થયેલા કામનુ નિરીક્ષણ કરશે

245 કિમી સુધીનો હાઇવે મધ્યપ્રદેશમાંથી પસાર થશે. આ 245 કિલોમીટરમાંથી, 100 કિલોમીટર સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી 16 સપ્ટેમ્બરે અત્યાર સુધી થયેલા કામોનો હિસાબ લેવા આવી રહ્યા છે. ટોલ પ્લાઝા હાઇ વેને બદલે સ્લિપ લેનમાં બનાવવામાં આવશે. તેનો અર્થ એ થશે કે મુસાફરો માત્ર તે શહેરમાં જ ટોલ ચૂકવશે જ્યાં તેઓ પ્રવેશ કરી રહ્યા છે.

અત્યાર સુધી, મુંબઈથી દિલ્હી જવા માટે, લોકો રેલ માર્ગ અથવા હવાઈ માર્ગની મદદ લે છે. સામાન્ય મુસાફરો ભાગ્યે જ રોડ માર્ગે જવાનું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે રસ્તાની મુસાફરી લાંબી અને કંટાળાજનક હોય છે અને કેટલાક સ્થળોએ નબળા રસ્તાઓના કારણે મુસાફરીમાં પણ સમસ્યાઓ આવે છે. ટ્રાફિક પણ ઘણી જગ્યાએ જામ થઈ જાય છે. પરંતુ જ્યારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તૈયાર થઈ જશે, ત્યારે આ બધી સમસ્યાઓનું નીરાકરણ પણ મળી જશે.

આ પણ વાંચો :  Wah Mumbai ! મુંબઈ દુનિયાનું બીજું સૌથી ઈમાનદાર શહેર, લીસ્ટમાં સૌથી નીચે આ શહેરનો ઉલ્લેખ, જુઓ આનંદ મહિન્દ્રાનું Tweet

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">