AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: પાલઘરના દરિયામાં ફસાયું આ વિશાળ જહાજ, 13 લોકો ફસાયા, બચાવની કામગીરી શરૂ

કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોર્ટ છોડ્યાના થોડા સમય બાદ જ શિપમાં ખામી સર્જાઈ હતી. જેના કારણે તે આગળ વધી શક્યો ન હતો. હાલમાં એન્જિનિયરોની ટીમ શિપને રિપેર કરવાનો પ્રયાસ કરી રહી છે.

Mumbai: પાલઘરના દરિયામાં ફસાયું આ વિશાળ જહાજ, 13 લોકો ફસાયા, બચાવની કામગીરી શરૂ
Mumbai This huge ship got stuck in Palghar sea, 13 people present in the ship, rescue operation started
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 8:16 PM
Share

મુંબઈ(Mumbai)ને અડીને આવેલા પાલઘરમાં દરિયા કિનારે એક મોટું જહાજ ફસાયું છે. સમુદ્ર સિદ્ધિ નામનું આ જહાજ મુંબઈ પોર્ટ ટ્રસ્ટથી ગુજરાતના હજીરા જવા રવાના થયું હતું. રવાના થયા બાદ પાલઘર પાસે જહાજમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તે આગળ વધી શક્યું ન હતું. જહાજમાં કુલ 13 લોકો સવાર હોવાનું કહેવાય છે. આ કોમર્શિયલ જહાજ પર અમુક સામાન પણ લોડ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Gujarati Video : 117 વર્ષ જૂની ફ્લાઈંગ રાની ટ્રેનમાંથી હટાવાયો ડબલ ડેકરનો ટેગ, મુંબઇ સેન્ટ્રલ અને સુરત વચ્ચે દોડતી હતી પ્રથમ ડબર ડેકર ટ્રેન

હવે જિલ્લા વહીવટીતંત્ર આ જહાજમાં ફસાયેલા લોકોને બચાવવાની તૈયારીમાં લાગેલું છે. સ્થાનિક પોલીસે જહાજમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કોસ્ટ ગાર્ડની મદદ માંગી છે. કેટલાક લોકોએ દાવો કર્યો છે કે જહાજમાં કેટલાક મુસાફરો પણ હોઈ શકે છે.

મહાકાય વહાણ પાણીમાં તરતું હોવાની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ પ્રશાસન હરકતમાં આવ્યું હતું. પોલીસ વતી તેની માહિતી પોર્ટ ટ્રસ્ટ તેમજ કોસ્ટ ગાર્ડ અને કસ્ટમ વિભાગને આપવામાં આવી છે. જહાજ ફસાયા હોવાની માહિતી મળતા જ જિલ્લાના પોલીસ અધિક્ષક પણ દરિયા કિનારે પહોંચી ગયા હતા.

એન્જિનિયરોની ટીમ ટેક્નિકલ ખામીને દૂર કરવામાં લાગેલી

જહાજ પર હાજર એન્જિનિયરોની ટીમ ટેક્નિકલ ખામીને દૂર કરવામાં લાગેલી છે. જો ખામી સુધારાઈ જશે, તો જહાજ આગળ વધશે. જો આમ નહીં થાય તો કોસ્ટગાર્ડ દ્વારા લોકોને બચાવી લેવામાં આવશે. મુંબઈ, પાલઘર સહિત ઘણા વિસ્તારોમાં હવામાન ખરાબ હોવાથી જહાજને લઈને ચિંતા વધી ગઈ છે. આવી સ્થિતિમાં દરિયામાં જોરદાર મોજા પણ જોવા મળી રહ્યા છે.

ગયા વર્ષે પણ માલવાહક જહાજ અટવાઈ ગયું હતું

તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે ગુજરાતનું એક માલવાહક જહાજ રાયગઢ નજીક દરિયામાં ફસાઈ ગયું હતું. આ જહાજમાં 10 મજૂરો પણ હતા જેમને કોસ્ટ ગાર્ડની ટીમે બચાવી લીધા હતા. વરસાદ અને તોફાનમાંથી રાહત મળ્યા બાદ જહાજ આગળ વધ્યું.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">