AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: મુંબઈની લોકલ ટ્રેનમાં લાગી આગ, મુસાફરોમાં ગભરાટનો માહોલ, ટ્રેનને બોરીવલી સ્ટેશન પર રોકવામાં આવી

રેલેવે સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી. જો કે, ટ્રેનને સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે.

Mumbai: મુંબઈની લોકલ ટ્રેનમાં લાગી આગ, મુસાફરોમાં ગભરાટનો માહોલ, ટ્રેનને બોરીવલી સ્ટેશન પર રોકવામાં આવી
Mumbai Local Train
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 4:35 PM
Share

મુંબઈમાં (Mumbai) લોકલ ટ્રેનમાં (Local Train) આગ લાગવાની ઘટના સામે આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેનના પેન્ટાગ્રાફમાં આગ લાગી છે. આગ લાગતા જ ટ્રેનમાં સવાર મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી. ટ્રેનને બોરીવલી સ્ટેશન પર રોકી દેવામાં આવી અને મુસાફરો નીચે ઉતારી દેવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં રેલવે સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વરસાદના કારણે પેન્ટાગ્રાફમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.

ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું નથી

આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રેલેવે સ્ટાફ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ એકઠી થઈ હતી. રાહતની વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી કોઈ મોટું નુકસાન થયું નથી. જો કે, ટ્રેનને સ્ટેશન પર જ રોકી દેવામાં આવી છે અને રેલવે ટેકનિશિયન પેન્ટોગ્રાફની તપાસમાં લાગી ગયા છે.

આ પણ વાંચો : Maharashtra: ઓનલાઈન ગેમના નામે છેતરપિંડી, નાગપુરના બિઝનેસમેન પાસેથી લૂંટ્યા 58 કરોડ રૂપિયા

શું હોય છે પેન્ટોગ્રાફ?

પેન્ટોગ્રાફ એ એન્જિનનો તે ભાગ છે જે સૌથી ઉપર લાગેલો હોય છે. તેનો સીધો સંપર્ક ઇલેક્ટ્રિક વાયર સાથે હોય છે. તેના દ્વારા જ પાવર એન્જિન સુધી પહોંચે છે. આ જ કારણ છે કે તે હંમેશા વાયરને અડીને રહે છે. તેમાં હેડ, ફ્રેમ, બેઝ અને ડ્રાઇવ સિસ્ટમ હોય છે જે એન્જિનને સરળતાથી પાવર સપ્લાય કરે છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
14 જુલાઈ: મેષ-સિંહને બમ્પર ફાયદો, જાણો તમારું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">