Parambir Singh : પરમબીર સિંહની વધી મુશ્કેલી, વસૂલી કેસમાં ચોથી FIR દાખલ, સચિન વાજે પણ આરોપીઓમાં સામેલ

શુક્રવારે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં પરમબીર સિંહ વિરુધ્ધ ચોથી FIR દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે,વિમલ અગ્રવાલ નામના વેપારીએ વસૂલાતનો આરોપ લગાવ્યો છે.જેમાં પરમબીર સિંહ ઉપરાંત સચિન વાઝેનું (Sachin Vaze)નામ પણ આ કેસમાં સામેલ છે.

Parambir Singh : પરમબીર સિંહની વધી મુશ્કેલી, વસૂલી કેસમાં ચોથી FIR દાખલ, સચિન વાજે પણ આરોપીઓમાં સામેલ
Parambir Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 3:07 PM

Parambir Singh :  મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Former Mumbai CP Parambir Singh)ની મુશ્કેલીઓ વધી છે. વસુલીના કેસમાં પરમબીર સિંહ વિરુધ્ધ ચોથી FIR દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સમન્સ મોકલવા છતા પરમબીર સિંહ હાજર ન થતા બોમ્બે હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસ કૈલાસ ઉત્તમચંદ ચંડીવાલ દ્વારા 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો,જ્યારે હવે પરમબીર સિંહ વિરુદ્ધ વધુ એક સપ્તાહની ખંડણી માટે કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે.

શુક્રવારે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં પરમબીર સિંહ સામે ચોથી FIR દાખલ કરવામાં આવી છે. જેમાં વિમલ અગ્રવાલ નામના વેપારીએ 9 લાખ રૂપિયાની વસૂલાતનો આરોપ લગાવ્યો છે. પરમબીર સિંહ (Parambir Singh) ઉપરાંત બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેનું નામ પણ આ કેસમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે,પરમબીર સિંહ અને સચિન વાજે ઉપરાંત સુમિત સિંહ, અલ્પેશ પટેલ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદી વિમલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, જાન્યુઆરી 2020 થી ઓગસ્ટ 2020 વચ્ચે તેમની પાસેથી 11 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.

પરમબીર સિંહ પર વસૂલાતના ઘણા આરોપો છે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ફરિયાદીના જણાવ્યા મુજબ, પરમબીર સિંહ દરોડાનો ડર બતાવીને તેને દર મહિને રિકવરી ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. અગાઉ, પોલીસ ઇન્સ્પેક્ટર અનૂપ ડાંગે સહિત બિલ્ડર શ્યામ અગ્રવાલ પણ પરમબીર સિંહ પર વસૂલાતનો આરોપ લગાવી ચૂક્યા છે.

પરમબીર સિંહ વિરુધ્ધ ચાર ફરિયાદ દાખલ

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલાતનો આરોપ લગાવીને પરમબીર સિંહ પ્રસિદ્ધિમાં આવ્યા હતા. બાદમાં તેઓ વસુલાતનાં આરોપમાં ફસાઈ ગયા હતા. જ્યારે રાજ્ય સરકારે પરમબીર (Parambir Singh)સામે પગલાં લેવાનું શરૂ કર્યું ત્યારે તેઓ મુંબઈ છોડીને ચંદીગઢમાં (Chandigadh) તેમના નિવાસસ્થાને ગયા હતા.અને બાદમાં તબિયતનું કારણ આપીને રજા પર રહ્યા હતા અને છેલ્લા ચાર મહિનાથી રજા પર છે.

પાંચમી વખત સમન્સ મોકલવા છતા પરમબીર સિંહ હાજર ન થયા

EDએ અનિલ દેશમુખ સામે કાર્યવાહી કરી રહી છે,જેમાં તેમણે નાગપુર અને મુંબઈમાં દેશમુખના ઘરો અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. ઉપરાંત તેના પીએની પણ ધરપકડ કરવામાં આવી હતી. મની લોન્ડરિંગ કેસમાં દેશમુખ, તેમના પુત્ર અને તેમની પત્નીને ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા. પરંતુ દેશમુખ (Deshmukh) પાંચમી વખત સમન્સ પાઠવવા છતાં પૂછપરછ માટે હાજર થયા ન હતા. જ્યારે ED અને CBI જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ દેશમુખ સામે કડક વલણ શરૂ કર્યુ ત્યારે રાજ્ય સરકારે પણ દેશમુખ પર આરોપ લગાવનાર પરમબીર સિંહ સામે પગલાં લેવાની તૈયારી દર્શાવી હતી.

આ પણ વાંચો: લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરનારાઓએ સાથે આવવું જોઈએ – સોનિયા ગાંધી સાથેની બેઠકમાં શરદ પવારે આપ્યું નિવેદન

આ પણ વાંચો:  Maharashtra: નારાયણ રાણેએ CM ઉદ્ધવ ઠાકરે પર તાક્યુ નિશાન- શિવસેનાના સાંસદો પણ પીએમ મોદીના આશીર્વાદથી ચૂંટાય છે’

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">