લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરનારાઓએ સાથે આવવું જોઈએ – સોનિયા ગાંધી સાથેની બેઠકમાં શરદ પવારે આપ્યું નિવેદન

શરદ પવારે કહ્યું કે, જે લોકો લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં માને છે; જેઓ આપણા દેશના લોકશાહી સિદ્ધાંતોને બચાવવા માટે સાથે મળીને કામ કરવા માગે છે તેઓએ એક સાથે આવવું જોઈએ.

લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરનારાઓએ સાથે આવવું જોઈએ - સોનિયા ગાંધી સાથેની બેઠકમાં શરદ પવારે આપ્યું નિવેદન
NCP પ્રમુખ શરદ પવાર (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 6:57 AM

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ શુક્રવારે બોલાવેલી વિપક્ષી નેતાઓની ડિજિટલ બેઠકમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના વડા શરદ પવારે જણાવ્યું હતું કે જે લોકો લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં માને છે તેઓએ સાથે આવવું જોઈએ અને સમયબદ્ધ કાર્યક્રમ તૈયાર કરવો જોઈએ. તેમણે દેશના હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને સમાન વિચારધારા ધરાવતા પક્ષોની બેઠક યોજવાની પહેલની પ્રશંસા કરી છે.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કર્યું હતું કે ‘ભારતમાં હાલની સ્થિતિ ખૂબ નિરાશાજનક લાગી રહી છે. ખેડૂતો ઘણા મહિનાઓથી વિરોધ કરી રહ્યા છે, ભારત જેવા લોકશાહી દેશ માટે આ પીડાદાયક ચિત્ર છે. રાષ્ટ્ર આજે આર્થિક મંદી, કોવિડ રોગચાળો, બેરોજગારી, સરહદ વિવાદ, લઘુમતી સમુદાયોનો મુદ્દો વગેરે જેવા અનેક મુદ્દાઓનો સામનો કરી રહ્યો છે. તેમણે લખ્યું કે વર્તમાન સરકાર આ તમામ મુદ્દાઓને ઉકેલવામાં નિષ્ફળ રહી છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

લોકશાહી સિદ્ધાંતોને બચાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ

તેમણે કહ્યું, “જે લોકો લોકશાહી અને બિનસાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરે છે; જેઓ આપણા દેશના લોકશાહી સિદ્ધાંતોને બચાવવા માટે સાથે મળીને કામ કરવા માંગે છે, તેઓએ એક સાથે આવવું જોઈએ.

આ સાથે પૂર્વ મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે, ‘સામૂહિક રીતે સમયબદ્ધ કાર્યક્રમ શરૂ કરવાની જરૂર છે અને હું સૂચન કરું છું કે આ બધા મુદ્દાઓને એકસાથે ઉકેલવાને બદલે, આપણે પ્રાથમિકતાઓ નક્કી કરીને સામૂહિક રીતે આ મુદ્દાઓને એક સાથે ઠીક કરવા જોઈએ. આપણે તેને ઉકેલવા માટે કામ કરવું જોઈએ અને આપણા દેશને સારું વર્તમાન અને ભવિષ્ય આપવા માટે કાર્ય કરવું જોઈએ.

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી વિપક્ષી એક્તાને લઈ આજે દેશના ઘણા પ્રમુખ વિપક્ષી નેતાઓ સાથે ડિજિટલ બેઠકનું આયોજન કર્યું હતું. વર્ચ્યુઅલ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત 19 પક્ષોના નેતાઓ સામેલ થયા હતા. આ બેઠકમાં સમાજવાદી પાર્ટી સામેલ નથી થઈ.

આ બેઠકમાં કૉંગ્રેસની સાથે ટીએમસી, એનસીપી, ડીએમકે, શિવસેના, જેએમએમ, સીપીઆઈ, સીપીએમ, નેશનલ કૉન્ફ્રંસ, આરજેડી, આઈયૂડીએફ, વીસીકે, લોકતાંત્રિક જનતા દળ, જેડીએસ, આરએલડી, આરએસપી, કેરળ કૉંગ્રેસ મની, પીડીપી, આઈયૂએમએ સામેલ થયા હતા.

સોનિયા ગાંધીની આ બેઠકને વિપક્ષની વચ્ચે કોંગ્રેસની સ્થિતિને વધુ મજબૂત બતાવવાના ઉદ્દેશ્યથી ઉઠાવવામાં આવેલા પગલાના રૂપે પણ જોવામાં આવી રહ્યુ છે. 9 ઓગસ્ટે કોંગ્રેસના દિગ્ગજ નેતા કપિલ સિબ્બલે પણ એક ડિનર પાર્ટી રાખી હતી, જેમાં કેટલાક દિગ્ગજ વિપક્ષી નેતાઓએ ભાગ લીધો હતો.

બેઠકનો ઉદ્દેશ્ય સંસદના તાજેતરમાં જ સંપન્ન મોનસૂન સત્ર બાદ વિપક્ષી એકતા વધુ મજબૂત કરવાનો છે. ચાર સપ્તાહના લાંબા સત્રમાં રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વમાં એક નવો વિપક્ષ જોવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીની ઉપસ્થિતિએ સંસદના બંને સદનમાં વિપક્ષને એક કરવાના પ્રયત્નને પ્રોત્સાહન આપ્યુ હતુ.

આ પણ વાંચો :  Mumbai : નારાયણ રાણેની ‘જન આશીર્વાદ યાત્રા’ માં કોરોના નિયમોનો ભંગ, ભાજપના કાર્યકરો સામે FIR દાખલ

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">