AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai Corona: સેલ્ફ-કિટથી વધ્યું જોખમ, ઘરે બેઠા લોકો કરી રહ્યા છે કોરોના ટેસ્ટ, મુંબઈના મેયરે આપ્યા પ્રતિબંધ મુકવાના સંકેત

લોકો ઘરે બેઠા જ કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. આ કારણે બીએમસીને તેમના સંક્રમિત થવાની માહિતી મળી રહી નથી. આવી સ્થિતિમાં શહેરમાં કોરોના સંક્રમિતોના વાસ્તવિક આંકડા બહાર આવી રહ્યા નથી.

Mumbai Corona: સેલ્ફ-કિટથી વધ્યું જોખમ, ઘરે બેઠા લોકો કરી રહ્યા છે કોરોના ટેસ્ટ, મુંબઈના મેયરે આપ્યા પ્રતિબંધ મુકવાના સંકેત
કોવિડ સેલ્ફ ટેસ્ટ કીટથી મુંબઈમાં કોરોના સંક્રમણનું જોખમ વધ્યું ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 10:08 PM
Share

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સતત 40 હજારથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. આ 40 હજારમાંથી 20 હજારથી વધુ કેસ એકલા મુંબઈમાં (Mumbai Corona) સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓમાંથી અડધા મુંબઈમાં છે. તેનું એક નવું કારણ હવે સામે આવ્યું છે. મુંબઈમાં લોકો કોવિડ સેલ્ફ ટેસ્ટ કીટનો (Covid Self Test Kit) ઉપયોગ કરી રહ્યા છે અને હવે પોતપોતાના ઘરોમાં કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. કોરોના ટેસ્ટ કરાવવા માટે તેઓ લેબ સુધી નથી પહોચી રહ્યા.

જેના કારણે હવે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તેના પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે.  મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Kishori Pednekar) આ અંગે સંકેત આપ્યો છે.

કોરોના સેલ્ફ ટેસ્ટ કિટ્સની સમસ્યા એ છે કે તેના રિપોર્ટ્સ પર સંપૂર્ણ રીતે વિશ્વાસ કરી શકાતો નથી. આ કીટ હંમેશા સાચો રિપોર્ટ આપશે તેની કોઈ ગેરંટી નથી. લોકો ઘરે બેઠા જ કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. આ કારણે બીએમસીને તેમના સંક્રમિત થવાની માહિતી મળી રહી નથી. આવી સ્થિતિમાં શહેરમાં કોરોના સંક્રમિતોના વાસ્તવિક આંકડા બહાર આવી રહ્યા નથી. આ સમસ્યાઓ પર વાત કરતા મેયર કિશોરી પેડનેકરે રવિવારે કહ્યું હતું કે મુંબઈમાં ટૂંક સમયમાં આ સેલ્ફ ટેસ્ટ કીટ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

મુંબઈમાં કોવિડ સેલ્ફ ટેસ્ટ કીટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે – મેયર કિશોરી પેડનેકર

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે મુંબઈવાસીઓને સેલ્ફ કીટનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. લેબમાં જાઓ અને કોરોના ટેસ્ટ કરાવો. કોઈપણ કંપનીની ટેસ્ટ કીટનો ઉપયોગ યોગ્ય નથી. તેમણે કહ્યું કે, ‘મેં ગઈકાલે જ સેલ્ફ કીટ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. BMCએ શનિવારથી જ દુકાનોમાં ઉપલબ્ધ સેલ્ફ-કિટ્સને જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં મુંબઈમાં સેલ્ફ-કિટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ છે.’

તમને જણાવી દઈએ કે મુંબઈમાં છેલ્લા 9 દિવસથી કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો લોકો સેલ્ફ ટેસ્ટ કીટની મદદથી ઘરે કોરોના ટેસ્ટ કરી રહ્યા છે, જો તેઓ પણ લેબમાં કોરોના ટેસ્ટ કરાવશે તો કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધુ વધારો થશે. તેનો માત્ર અંદાજ જ લગાવી શકાય છે.

આ પણ વાંચો : Maharashtra Corona Guidelines: મહારાષ્ટ્રમાં લાદવામાં આવ્યું મીની લોકડાઉન, પરંતુ વેપારીઓ, દુકાનદારો અને ધાર્મિક સ્થળોને છોડી દેવામાં આવ્યા, જાણો શું છે કારણ? 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">