કોરોનાને કારણે ભાઈએ કરી ભાઈની હત્યા, પોલીસે આરોપીની કરી ધરપકડ
કોરોનાને ડામવા માટે અને તેને વધતો રોકવા માટે મોદી સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. દેશભરમાં લોકડાઉન દરમિયાન ઘરથી બહાર નિકળવાના મામલે મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી દીધી હતી. મુંબઈના પશ્ચિમી ઉપનગરીય કાંદિવલીમાં પોતાના નાનાભાઈની કથિત રીતે હત્યા કરવાના આરોપમાં 28 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. Web Stories View more IPL […]
કોરોનાને ડામવા માટે અને તેને વધતો રોકવા માટે મોદી સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. દેશભરમાં લોકડાઉન દરમિયાન ઘરથી બહાર નિકળવાના મામલે મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી દીધી હતી. મુંબઈના પશ્ચિમી ઉપનગરીય કાંદિવલીમાં પોતાના નાનાભાઈની કથિત રીતે હત્યા કરવાના આરોપમાં 28 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
પોલીસના જણાવ્યા અનુસાર બુધવારના રોજ લૉકડાઉનની સ્થિતિમાં દુર્ગેશ ઘરની બહાર ગયો હતો. જેથી ઉશ્કેરાયેલા તેના મોટાભાઈ અને આ ઘટનાના આરોપી રાજેશ લક્ષ્મી ઠાકુરે નાનાભાઈ દુર્ગેશની હત્યા કરી દીધી છે. મૃતક પૂણેમાં એક ખાનગી ફર્મમાં કામ કરતો હતો. જે લૉકડાઉનના કારણે ઘરે પરત ફર્યો હતો.
અધિકારીએ જણાવ્યું કે જ્યારે દુર્ગેશ બહાર ફરવા ગયા પછી ઘરે પાછો ફર્યો તો આરોપી અને તેની પત્નીએ તેના ઉપર નારાજગી વ્યક્ત કરી હતી અને પછી તેની સાથે જોરદાર રકઝક થઈ હતી. જેના કારણે આરોપીએ તેની ઉપર ધારદાર વસ્તુથી હુમલો કરી દીધો હતો. પીડિતને નજીકની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આરોપી સામે હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: સિદ્ધપુર બસ સ્ટેન્ડ પાસે બેભાન થયેલા વ્યક્તિનું મોત, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ