AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai : લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, આજે આ લાઇન પર રહેશે મેગા બ્લોક

સેન્ટ્રલ રેલવે દ્વારા હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇન પર 13 ફેબ્રુઆરીના રોજ મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલ અને વેસ્ટર્ન કે મેઈન લાઈનમાં કોઈ મેગા બ્લોક નથી.

Mumbai : લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર, આજે આ લાઇન પર રહેશે મેગા બ્લોક
Mumbai Local Train Mega Block (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 1:17 PM
Share

Mumbai Local Train Mega Block : મુંબઈ લોકલ ટ્રેનમાં (Mumbai Local Train) મુસાફરી કરનારાઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. સેન્ટ્રલ રેલવે દ્વારા હાર્બર અને ટ્રાન્સહાર્બર લાઇન પર 13 ફેબ્રુઆરીના રોજ મેગા બ્લોક (Mega Block) રાખવામાં આવ્યો છે. જો કે સેન્ટ્રલ અને વેસ્ટર્ન કે મેઈન લાઈનમાં કોઈ મેગા બ્લોક નથી. સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી થાણે-વાશી, નેરુલ અને ટ્રાન્સહાર્બર રોડ પર સમારકામ માટે આ મેગા બ્લોક રાખવામાં આવ્યો છે. સેન્ટ્રલ રેલવેના જનસંપર્ક વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ સાથે જ સેન્ટ્રલ રેલવેએ(Central Railway)  મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો છે.

 મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે

આ મેગા બ્લોકમાં ખાસ કરીને નવી મુંબઈમાં રહેતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. થાણેથી વાશી/નેરુલ/પનવેલની રેલ સેવા સવારે 10.35 વાગ્યાથી સાંજે 4.19 વાગ્યા સુધી અને થાણેથી વાશી/નેરુલ/પનવેલ માટે સવારે 10.15 વાગ્યાથી સાંજે 4.09 વાગ્યા સુધી રેલવે સેવા બંધ રહેશે.

હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇન પર ટ્રેન સેવાને અસર થશે

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-ચુના ભટ્ટી/બાંદ્રા ડાઉન હાર્બર લાઇન પર સવારે 11.40 થી 4.40 વાગ્યા સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા-છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ હાર્બર લાઇન પર સવારે 11.10 થી સાંજે 4.10 વાગ્યા સુધી ટ્રેન સેવા સ્થગિત રહેશે.જ્યારે હાર્બર લાઇન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ/વડાલા રોડ પર સવારે 11.16 થી સાંજે 4.47 વાગ્યા સુધી વાશી/બેલાપુર/પનવેલ અને હાર્બર લાઇન પર સવારે 9.55 થી સાંજે 4.43 વાગ્યા સુધી બાંદ્રા/ગોરેગાંવ ટ્રેન સેવા બંધ રહેશે.

હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇનના આ રૂટ પર પણ ટ્રેન સેવા રહેશે બંધ

પનવેલ/બેલાપુર/વાશીથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે સવારે 9.53 થી બપોરે 3.20 વાગ્યા સુધી હાર્બર લાઇન અને ગોરેગાંવ/બાંદ્રાથી સવારે 10.06 થી સાંજે 5.13 વાગ્યા સુધી હાર્બર લાઇન બંધ રહેશે. જો કે આ મેગા બ્લોક દરમિયાન પનવેલથી કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ સેવા ચલાવવામાં આવશે.હાર્બર લાઇનના મુસાફરોને આજે સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધી મેઇન લાઇન અને વેસ્ટર્ન રેલવે દ્વારા મુસાફરી કરવાની છૂટ છે.

આ પણ વાંચો : Maharashtra Car Accident: અહમદનગરમાં ગમખ્વાર અકસ્માત, શેરડી ભરેલા ટ્રેલર સાથે અથડાઈ કાર, ત્રણ મિત્રોના થયા મોત

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">