Mumbai kurla accident : બસ 40 વાહનો સાથે અથડાઈ, 7ના મોત અને 49 ઈજાગ્રસ્ત, ડ્રાઈવર નશામાં હતો કે બ્રેક ફેઈલ થઈ ગઈ? જુઓ વીડિયો

Mumbai kurla accident : મુંબઈના કુર્લામાં ગઈકાલે રાત્રે એક ભયાનક બસ અકસ્માત થયો હતો. સ્પીડમાં આવતી બસે 100 મીટરની ત્રિજ્યામાં 40 વાહનોને ટક્કર મારી હતી. 25થી વધુ લોકોને કચડી નાખ્યા. સમગ્ર ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 49 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

Mumbai kurla accident : બસ 40 વાહનો સાથે અથડાઈ, 7ના મોત અને 49 ઈજાગ્રસ્ત, ડ્રાઈવર નશામાં હતો કે બ્રેક ફેઈલ થઈ ગઈ? જુઓ વીડિયો
Mumbai kurla bus accident
Follow Us:
| Updated on: Dec 10, 2024 | 9:44 AM

Mumbai Bus Accident : મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં સોમવારે રાત્રે એક દુ:ખદ બસ અકસ્માત સર્જાયો હતો. મુંબઈના ગીચ વસ્તીવાળા વિસ્તાર કુર્લામાં એક સરકારી બસ તેજ ગતિએ પ્રવેશી હતી. આ દરમિયાન સ્પીડમાં આવતી બસે ઘણા લોકોને કચડી નાખ્યા હતા.

આખરે બસ એક બિલ્ડીંગના આરસીસી કોલમ સાથે અથડાઈને થંભી ગઈ. પરંતુ બિલ્ડિંગની બાઉન્ડ્રી વોલ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન બસે 100 મીટરની ત્રિજ્યામાં 40 વાહનોને ટક્કર મારી હતી. આ ભયાનક દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 49 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
આ IAS ના ખભા પર છે મહાકુંભ 2025 ની જવાબદારી, જાણો કોણ છે વિજય આનંદ ?
રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો

બસ ડ્રાઈવર નશામાં કે બ્રેક ફેલ થઈ હતી?

સવાલ એ છે કે આટલા મોટા અકસ્માત પાછળનું કારણ શું છે? ડ્રાઈવર નશામાં હોવાને કારણે આ અકસ્માત થયો કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ? આ અકસ્માતનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના સમયે હાજર સ્થાનિક લોકોનું કહેવું છે કે બસ ડ્રાઈવર નશામાં હતો. દરમિયાન DCP ઝોન 5 ગણેશ ગાવડેએ જણાવ્યું હતું કે આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લીધો છે. મામલાની તપાસ ચાલુ છે.

સમગ્ર ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી

આ ઘટના સોમવારે રાત્રે 9.50 કલાકે બની હતી. આ અકસ્માત મુંબઈના પશ્ચિમ કુર્લા વિસ્તારમાં એલ વોર્ડની સામે આવેલી અંજુમ-એ-ઈસ્લામ સ્કૂલ પાસે એસજી બારવે રોડ પર થયો હતો. સ્પીડમાં આવતી બસ અનિયંત્રિત હાલતમાં ભીડભાડવાળા વિસ્તારમાં ઘૂસી જતાં લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.

બસે 100 મીટરના અંતરે અલગ-અલગ 30-40 વાહનોને ટક્કર મારી હતી. જેના કારણે રસ્તા પર અને વાહનોમાં બેઠેલા કેટલાક લોકોને ઈજા થઈ હતી. ચારેબાજુ ચીસો પડી રહ્યા હતા.

(credit Source : @tv9gujarati)

સરકારી બસનો નંબર MH-01, EM-8228 છે. તે બેસ્ટની ઇલેક્ટ્રિક બસ હતી. જે કુર્લા સ્ટેશનથી અંધેરી તરફ જઈ રહી હતી. ભીડવાળા વિસ્તારમાં 100 મીટર સુધી બસ લોકો અને અન્ય વાહનોને અથડાતી રહી. જેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા અને રસ્તા પર પડી ગયા. આખરે બસ એક બિલ્ડીંગને ટક્કર માર્યા બાદ થંભી ગઈ. સમગ્ર ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી રહ્યા હતા.

ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ખાનગી વાહનોમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે 25થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને ખાનગી વાહનોમાં તેમજ 108 એમ્બ્યુલન્સમાં નજીકની કુર્લા ભાભા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કુર્લા ભાભા હોસ્પિટલના ડો. પદ્મશ્રી આહીરેના જણાવ્યા અનુસાર 4 ઇજાગ્રસ્તોના સારવાર દરમિયાન મોત થયા હતા. બાકીના તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે.

ડ્રાઈવર નશામાં હતો કે બ્રેક ફેઈલ થઈ ગઈ!

DCP ઝોન 5 ગણેશ ગાવડેએ જણાવ્યું કે, બસ ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બસને સ્થળ પરથી હટાવી લેવામાં આવી છે. બસની આરટીઓ તપાસ કરશે. તેમણે જણાવ્યું કે આ મામલે કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. બસ ચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે DCP ગાવડેએ ડ્રાઈવર નશામાં હોવા અંગે કંઈ કહ્યું ન હતું. તેમણે કહ્યું કે, આ ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તપાસ ચાલુ છે.

શિવસેનાના વિધાનસભ્ય દિલીપ લાંડેનું કહેવું છે કે, બ્રેક ફેઈલ થવાને કારણે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ડ્રાઈવર નર્વસ થઈ ગયો જેના કારણે તેણે બ્રેક દબાવવાને બદલે એક્સીલેટર દબાવ્યું અને બસની સ્પીડ વધી ગઈ. જો કે આ ઘટના પાછળનું કારણ અંગે હજુ સુધી પોલીસ તરફથી કોઈ જવાબ મળ્યો નથી. તેમજ ડ્રાઈવર નશામાં હતો કે નહીં તે અંગે પોલીસે સ્પષ્ટતા કરી નથી.

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">