AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai: ઘાટકોપરમાં MNS કાર્યાલયમાં લાઉડસ્પીકર પર વગાડવામાં આવી હનુમાન ચાલીસા, રાજ ઠાકરેએ ગઈકાલે આપી હતી ચેતવણી

રાજ ઠાકરેએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કહી રહ્યા હતા કે દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યપ્રધાન બનવાના છે. ઉદ્ધવ ઠાકરે મંચ પર હાજર હતા પરંતુ તેમણે ક્યારેય સીટ શેરિંગ ફોર્મ્યુલાનો ઉલ્લેખ કર્યો ન હતો.

Mumbai: ઘાટકોપરમાં MNS કાર્યાલયમાં લાઉડસ્પીકર પર વગાડવામાં આવી હનુમાન ચાલીસા, રાજ ઠાકરેએ ગઈકાલે આપી હતી ચેતવણી
Hanuman Chalisa played over loudspeaker at MNS office in Ghatkopar
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 9:21 PM
Share
મુંબઈના (Mumbai) ઘાટકોપરમાં (Ghatkopar)  મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યાલયમાં લાઉડસ્પીકરથી (Loudspeaker) હનુમાન ચાલીસા વગાડવામાં આવી. મનસે ચીફ રાજ ઠાકરેએ ગઈકાલે કહ્યું હતું કે હું હવે ચેતવણી આપી રહ્યો છું… લાઉડસ્પીકર હટાવો નહીંતર મસ્જિદની સામે લાઉડસ્પીકર મૂકીને હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. મનસે પ્રમુખ રાજ ઠાકરેએ શનિવારે મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની માગ કરી હતી. ઠાકરેએ શિવાજી પાર્કમાં રેલી દરમિયાન કહ્યું હતું કે મસ્જિદોમાં આટલા મોટા અવાજે લાઉડસ્પીકર કેમ વગાડવામાં આવે છે? જો આને રોકવામાં નહીં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.
તેમણે કહ્યું હતું કે હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધ નથી. મને મારા ધર્મ પર ગર્વ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડાએ NCPના વડા શરદ પવારની પણ ટીકા કરી હતી અને તેમના પર સમયાંતરે જાતિનો મુદ્દો ઉઠાવવાનો અને સમાજમાં વિભાજન કરવાનો આરોપ મૂક્યો હતો. ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે પર પણ કટાક્ષ કર્યો, જેમની પાર્ટી શિવસેનાએ 2019 માં મુખ્યપ્રધાન પદને લઈને ભાજપથી છેડો ફાડ્યો હતો.

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહી રહ્યા હતા કે દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે મંચ પર હાજર હતા પરંતુ તેમણે ક્યારેય સીટ શેરિંગ ફોર્મ્યુલાનો ઉલ્લેખ કર્યો ન હતો. ઉદ્ધવે આ મુદ્દો ત્યારે જ ઉભો કર્યો જ્યારે તેમને સમજાયું કે ભાજપ તેમની મદદ વિના (2019ની ચૂંટણી પછી) સરકાર બનાવી શકશે નહીં. MNS નેતાએ આરોપ લગાવ્યો કે સરકારમાં ત્રણ પક્ષો (શિવસેના, NCP અને કોંગ્રેસ) એ લોકોના આદેશની અવગણના કરી છે.

શરદ પવારે આપ્યો આ જવાબ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી પર જાતિનું રાજકારણ રમવાના રાજ ઠાકરેના આરોપને નકારી કાઢતા, પાર્ટીના વડા શરદ પવારે રવિવારે કહ્યું કે MNS પ્રમુખ ક્યારેય કોઈ મુદ્દા પર અભિપ્રાય શેર કરતા નથી અને વર્ષમાં ત્રણથી ચાર મહિના સુષુપ્ત સ્થિતિમાં રહે છે. જે તેમની ખાસિયત છે.
શનિવારે મુંબઈના શિવાજી પાર્ક ખાતેની રેલીમાં રાજ ઠાકરેએ શરદ પવારની ટીકા કરી, તેમના પર સમયાંતરે જાતિનું કાર્ડ રમવાનો અને સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવ્યો. તેનાથી વિપરીત, એનસીપીએ તમામ જાતિના લોકોને એક કર્યા છે, એમ પવારે જણાવ્યું હતું. રાજ ઠાકરેએ ટિપ્પણી કરતા પહેલા એનસીપીનો ઈતિહાસ વાંચવો જોઈએ.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">