AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના તાંડવ વચ્ચે મુંબઈ સતર્ક: એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે લાગુ કર્યા કડક નિયમો, જાણો સમગ્ર વિગત

BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા સોમવારથી અમલમાં આવી છે. આ આદેશમાં જણાવાયું છે કે, "તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એરપોર્ટ પર જ રેપિડ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે."

કોરોનાના તાંડવ વચ્ચે મુંબઈ સતર્ક: એરપોર્ટ પર તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે લાગુ કર્યા કડક નિયમો, જાણો સમગ્ર વિગત
Mumbai International Airport (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 11:30 AM
Share

Mumbai Corona Alert : કોરોનાની બીજી લહેર બાદ ફરી એકવાર મુંબઈમાં કોરોના કેસમાં (Corona Case in Mumbai) ઉછાળો આવ્યો છે.ત્યારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને BMC દ્વારા કડક નિયમો કરવામાં આવ્યા છે.બોમ્બે મ્યુનિસિપલ કોર્પરેશન (Bombay Municipal Corporation) દ્વારા લાગુ કરાયેલા નવા નિયમો અનુસાર હવેથી એરપોર્ટ પર તમામ આંતરાષ્ટ્રીય મુસાફરોનુ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે ઉપરાંત જો કોઈ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તો તેને નિયત કરાયેલી હોસ્પિટલમાં જ ક્વોરોન્ટાઈન કરવામાં આવશે.

BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા અઠવાડિયે જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકા(Corona Guidelines)  સોમવારથી અમલમાં આવી છે. આ આદેશમાં જણાવાયું છે કે, “તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોએ એરપોર્ટ પર જ રેપિડ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે.” ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યુ છે જેને પગલે તંત્ર હાર સતર્ક જોવા મળી રહ્યુ છે.

રિપોર્ટ નેગેટિવ આવે છતા મુસાફરોને 7 દિવસ સુધી રહેવુ પડશે હોમ ક્વોરેન્ટાઇનમાં

તમને જણાવી દઈએ કે,અગાઉ RT-PCR ટેસ્ટ ફક્ત ‘જોખમવાળા દેશો’માંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ (International Passenger) માટે જ ફરજિયાત હતો. પરંતુ વધતા સંક્રમણને પગલે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આ નિયમો લાદવામાં આવ્યા છે.BMC અધિકારીએ જણાવ્યું હતુ કે, રેપિડ RT-PCR ટેસ્ટ કરવનાર મુસાફરનો રિપોર્ટ જો નેગેટિવ આવશે તો પણ તેણે 7 દિવસ સુધી ફરજિયાત હોમ ક્વોરોન્ટાઈનમાં રહેવુ પડશે.

પોઝિટિવ આવતા મુસાફરો માટે આ હોસ્પિટલોમાં વ્યવસ્થા કરવામાં આવશે

જ્યારે એરપોર્ટ પર RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવેલા તમામ મુસાફરોને સેવન હિલ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે, જ્યારે એસિમ્પટમેટિક મુસાફરોને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (BKC) અથવા કાંજુરમાર્ગ માં દાખલ કરવામાં આવશે. માર્ગદર્શિકા અનુસાર જો કોઈ કોરોના લક્ષણવાળા પેસેન્જર ખાનગી હોસ્પિટલ પસંદ કરે છે, તો તેને બોમ્બે હોસ્પિટલ અથવા બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં જ સારવાર લેવાની રહેશે.આમ, વધતા કોરોના અને નવા વેરિઅન્ટ ઓમિક્રોનને પગલે તંત્ર સતર્ક જોવા મળી રહ્યુ છે.

આ પણ વાંચો : Mumbai: કોર્ડેલિયા ક્રૂઝ ગોવાથી મુંબઈ પરત આવી, 66 સંક્રમિત લોકોને રિચાર્ડસન અને ક્રુડાસ કોવિડ કેર સેન્ટરમાં કરવામાં આવ્યા શિફ્ટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">