AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવી મુંબઈમાં છત ધરાશાયી થતા ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી, 7 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા

નવી મુંબઈના (Navi Mumbai) નેરુલ વિસ્તારના સેક્ટર 17માં શનિ મંદિર પાસે જીમી પાર્ક નામની ઈમારત છે. આ બિલ્ડીંગના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટના હોલમાં ફ્લોરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ દરમિયાન આ મકાનનો સ્લેબ પડી ગયો હતો.

નવી મુંબઈમાં છત ધરાશાયી થતા ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી, 7 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા
બિલ્ડિંગની છત ધરાશાયી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 7:12 PM
Share

નવી મુંબઈમાં (Navi Mumbai) એક ઈમારતના છઠ્ઠા માળની છત તૂટી પડી છે. છઠ્ઠા માળની આ છત ગ્રાઉન્ડ ફ્લોર પર પડી (Building Collapsed). સાત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આ અકસ્માત નવી મુંબઈના નેરુલના સેક્ટર 17માં આવેલી જીમી પાર્ક નામની ઈમારતમાં થયો હતો. આ ઈમારતના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટના હોલમાં ફ્લોરિંગનું કામ ચાલુ હતું. આ દરમિયાન છત નીચે આવી ગઈ હતી. રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં અત્યાર સુધી કોઈનું મોત થયું નથી. આ ઈમારત નેરુલ વિસ્તારના શનિ મંદિર પાસે છે. અકસ્માતની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. નેરુલ, બેલાપુર અને કોપરખૈરણેની ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર હાજર છે.

ફાયર બ્રિગેડના જવાનોએ ઝડપથી બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. ઇમારતમાંથી અત્યાર સુધીમાં 4 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. હાલમાં પણ આ ઈમારતમાં કેટલાક લોકો ફસાયા હોવાના સમાચાર છે. રેસ્ક્યુ દ્વારા તેમને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. આખી ઈમારત ખાલી કરાવવામાં આવી છે.

છત કેવી રીતે પડી?

દુર્ઘટના સંદર્ભે પ્રાપ્ત માહિતી અનુસાર, નવી મુંબઈના નેરુલ વિસ્તારના સેક્ટર 17માં શનિ મંદિર પાસે જીમી પાર્ક નામની ઈમારત છે. આ બિલ્ડીંગના છઠ્ઠા માળે આવેલા એક ફ્લેટના હોલમાં ફ્લોરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ કામ દરમિયાન આ મકાનનો સ્લેબ પડી ગયો હતો. ઉપરથી પડેલા ભારે સ્લેબને કારણે નીચેના માળના સ્લેબ પણ પડી ગયા હતા.

7 લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ચાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

માહિતી મળતાં જ નેરુલ, કોપરખૈરણે અને બેલાપુરથી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. સાત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બિલ્ડિંગમાંથી અત્યાર સુધીમાં ચાર લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

હજુ પણ કેટલાક લોકો અંદર ફસાયેલા છે, બચાવ કામગીરી ચાલુ છે

હાલમાં પણ કેટલાક લોકો અંદર ફસાયા હોવાના સમાચાર છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તેમને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. હોસ્પિટલમાં દાખલ લોકોની સારવાર શરૂ કરવામાં આવી છે. રાહતની વાત એ છે કે હજુ સુધી એક પણ મોત નોંધાયું નથી.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">