AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MSRTC Strike : મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની હડતાળ ગેરકાયદેસર, લેબર કોર્ટના નિર્ણયથી 65 હજાર કર્મચારીઓને આંચકો

રાજ્ય વાહનવ્યવહાર નિગમના કર્મચારીઓની છેલ્લા અઢી મહિનાથી શરૂ થયેલી આ હડતાળના કારણે સામાન્ય લોકોને ખાનગી બસો, મેક્સી કેબ અને જીપમાં ગેરવ્યાજબી ભાડા ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે.

MSRTC Strike : મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની હડતાળ ગેરકાયદેસર, લેબર કોર્ટના નિર્ણયથી 65 હજાર કર્મચારીઓને આંચકો
MSRTC strike (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 5:27 PM
Share

મુંબઈની લેબર કોર્ટે (Labor Court) મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ના કર્મચારીઓની હડતાળને (MSRTC Strike) ગેરકાયદેસર જાહેર કરી છે. એમએસઆરટીસી/એસટી કર્મચારીઓ રાજ્ય સરકારની સેવામાં વિલીનીકરણની માંગણી સાથે છેલ્લા 83 દિવસથી હડતાળ પર છે. કોર્ટના આ નિર્ણયથી રાજ્ય પરિવહન નિગમના 65 હજારથી વધુ કર્મચારીઓને આંચકો લાગ્યો છે. આ હડતાલને ગેરકાયદેસર જાહેર કરવાની અપીલ કરતાં, કોર્પોરેશને વિવિધ મજૂર અદાલતોમાં ફરિયાદ દાખલ કરી અને કર્મચારીઓના તમામ યુનિયનોને પ્રતિવાદી તરીકે રાખ્યા હતા. આ અંગે સોમવારે મુંબઈના બાંદ્રા સ્થિત લેબર કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ઔદ્યોગિક વિવાદોને લગતા કાયદા હેઠળ, જાહેર સેવાના કર્મચારીઓ જો હડતાળ પર જવા માંગતા હોય તો છ અઠવાડિયા પહેલા નોટિસ આપવી જરૂરી છે. પરંતુ હાલ જે હડતાળ ચાલી રહી છે, તેમાં કોઈ પુર્વ સુચના આપવામાં આવી ન હતી. આ સુનાવણીમાં MSRTC વતી એડવોકેટ ગુરુનાથ નાઈકે દલીલો રજૂ કરી હતી જ્યારે કર્મચારીઓના વકીલો ગેરહાજર રહ્યા હતા.

કર્મચારીઓ! ગેરકાયદે હડતાળ તોડો, કામ પર હાજર થાવ – MSRTC

MSRTC વતી, કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે હડતાલને લેબર કોર્ટ દ્વારા ગેરકાયદેસર જાહેર કર્યા પછી પણ હડતાળ ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. આથી કર્મચારીઓના હિતમાં છે કે તેઓ વહેલી તકે કામ પર આવે અને ગેરકાયદેસર હડતાળમાં ભાગ ન લે. આ માહિતી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર શેખર ચેન્નાઈના નામે જાહેર કરવામાં આવી છે.

આ થયુ હડતાળ બાદ, અત્યાર સુધી 3862 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા

આ દરમિયાન હડતાળ પર જવાની સજા કર્મચારીઓને મળી રહી છે. સોમવારે પણ કોર્પોરેશને 304 કર્મચારીઓને છૂટા કર્યા હતા. અત્યાર સુધીમાં કુલ 3862 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે તેમજ 11 હજાર 24 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ માહિતી MSRTC દ્વારા આપવામાં આવી છે. રાજ્ય પરિવહન નિગમમાં કુલ 92 હજાર 266 કર્મચારીઓ છે. તેમાંથી 26 હજાર 619 કર્મચારીઓ કામ પર પરત ફર્યા છે જ્યારે 65 હજાર 647 કર્મચારીઓ હડતાળમાં સામેલ છે. છેલ્લા અઢી મહિનાથી શરૂ થયેલી આ હડતાળના કારણે સામાન્ય લોકોને ખાનગી બસો, મેક્સી કેબ અને જીપમાં ગેરવાજબી ભાડા ચૂકવીને મુસાફરી કરવી પડી રહી છે.

આ પણ વાંચો :  Maharashtra: ભાજપ નેતા રામકદમે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે પર FIR દાખલ કરવાની કરી માંગ, PM મોદી પર આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">