Maharashtra: મહારાષ્ટ્રમાં અડધી રાત્રે યોજાઈ બેઠક, આખરે પવાર જૂથને ક્યારે મળશે મંત્રાલય?

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકાર ચલાવી રહ્યા હતા, પરંતુ થોડા દિવસ પહેલા અજિત પવારે તેમાં એન્ટ્રી કરી હતી. અજિત પવારે લગભગ 40 ધારાસભ્યોના સમર્થનની વાત કરી હતી અને 8 ધારાસભ્યો કેબિનેટમાં સામેલ થયા છે.

Maharashtra: મહારાષ્ટ્રમાં અડધી રાત્રે યોજાઈ બેઠક, આખરે પવાર જૂથને ક્યારે મળશે મંત્રાલય?
Eknath Shinde - Ajit Pawar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 1:16 PM

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ અટકવાનું નામ લઈ નથી રહી. અજિત પવાર (Ajit Pawar) અને તેના સમર્થક ધારાસભ્યો સરકારમાં જોડાયા બાદ એનસીપીમાં (NCP) લડાઈ ચાલી રહી છે અને બીજું યુદ્ધ સરકારમાં પણ ચાલી રહ્યું છે. આ લડાઈ સરકારના મંત્રાલયોની વહેંચણીની છે. હજુ સુધી અજિત પવાર જૂથના મંત્રીઓને કોઈ વિભાગની ફાળવણી કરવામાં આવી નથી. આ મુદ્દે ગઈકાલે એટલે કે સોમવારે રાત્રે એકનાથ શિંદે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસની મહત્વપૂર્ણ બેઠક થઈ હતી.

મીટિંગ રાત્રે 12 વાગ્યે શરૂ થઈ હતી

રીપોર્ટ્સ અનુસાર સોમવારે મોડી રાત્રે મુખ્યમંત્રી એકનાથ શિંદેના નિવાસસ્થાન પર આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં કેબિનેટ વિસ્તરણ અને વિભાગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગ રાત્રે 12 વાગ્યે શરૂ થઈ હતી. લગભગ દોઢ કલાક બાદ અજિત પવાર અહીંથી પરત ફર્યા હતા. પરંતુ દેવેન્દ્ર ફડણવીસ ત્યાર પછી પણ અડધો કલાક શિંદેના ઘરે રોકાયા હતા.

17 જુલાઈથી વિધાનસભાનું ચોમાસુ સત્ર

અજિત પવાર અને તેમના સમર્થક ધારાસભ્યો સરકારમાં જોડાયાને લગભગ એક સપ્તાહ થઈ ગયું છે, પરંતુ કયો વિભાગ કોને મળશે તે હજુ નક્કી થયું નથી. આગામી 17 જુલાઈથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે, તેથી આ પહેલા કેબિનેટનું વિસ્તરણ થવાની શક્યતા છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

એક વર્ષથી કેબિનેટનું વિસ્તરણ થયું નથી

કહેવામાં આવી રહ્યું હતું કે સરકારમાં અજિત પવારના જૂથના પ્રવેશને કારણે એકનાથ શિંદે જૂથ નારાજ છે. કારણ કે NCPના ખાતામાં મોટા મંત્રાલયો જઈ શકે છે, જેનો શિંદે જૂથના ધારાસભ્યોએ વિરોધ કર્યો છે. છેલ્લા એક વર્ષથી કેબિનેટનું વિસ્તરણ થયું નથી, શિંદે જૂથના ધારાસભ્યોને મહત્વપૂર્ણ મંત્રાલયો મળવાની અપેક્ષા હતી.

આ પણ વાંચો : Maharashtra Politics: હવે પાર્ટીઓની થઈ રહી છે ‘ચોરી’, શિંદે જૂથને શિવસેના-પ્રતિક સોંપવા પર ઉદ્ધવ ઠાકરેએ કહી મોટી વાત

અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ અને તેમના 8 સમર્થક ધારાસભ્ય મંત્રી બન્યા અને ત્યારબાદ તણાવ વધ્યો છે. સરકારના ત્રણેય પક્ષો તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે બધું બરાબર છે અને કોઈ સમસ્યા નથી.

મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણ બદલાયું

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ સરકાર ચલાવી રહ્યા હતા, પરંતુ થોડા દિવસ પહેલા અજિત પવારે તેમાં એન્ટ્રી કરી હતી. અજિત પવારે લગભગ 40 ધારાસભ્યોના સમર્થનની વાત કરી હતી અને 8 ધારાસભ્યો કેબિનેટમાં સામેલ થયા છે. હાલમાં મહારાષ્ટ્રમાં એક સીએમ અને બે ડેપ્યુટી સીએમ છે. અજિત પવાર સરકારમાં જોડાયા બાદ એનસીપી બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. અજિત પવાર જૂથ અને શરદ પવાર જૂથ વચ્ચે પાર્ટીને કબજે કરવા માટે લડાઈ ચાલી રહી છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">