Maharashtra: ઉદ્ધવ ઠાકરેના શિંદે-ફડણવીસ પર પ્રહાર, કહ્યુ- મારી સરકાર પડી નથી, કરચલાઓએ જ ડેમ તોડ્યો

ગયા વર્ષે મહારાષ્ટ્રમાં શિવસેનાના એક નેતાએ પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો અને ભાજપની સાથે ગયા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર પડી હતી.

Maharashtra: ઉદ્ધવ ઠાકરેના શિંદે-ફડણવીસ પર પ્રહાર, કહ્યુ- મારી સરકાર પડી નથી, કરચલાઓએ જ ડેમ તોડ્યો
Uddha Thackeray
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 5:36 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) છેલ્લા ઘણા સમયથી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. આ બધા વચ્ચે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ (Uddha Thackeray) આપેલા ઈન્ટરવ્યુનો કેટલોક ભાગ સામે આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેએ તેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પર આકરા પ્રહારો કર્યા છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં તેમની સરકાર પડી નથી, પરંતુ કરચલાઓએ ડેમ જ તોડી નાખ્યો છે.

લોકશાહીને દેશના સામાન્ય નાગરિક બચાવશે

ઉદ્ધવ ઠાકરેનો ઈન્ટરવ્યુ તેમની જ પાર્ટીના નેતા સંજય રાઉતે લીધો છે. રાઉતે જ્યારે તેમને પૂછ્યું કે, તમે લોકશાહી કેવી રીતે બચાવશો તો તેના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે, લોકશાહીને દેશના સામાન્ય નાગરિક બચાવશે. બાબરી વખતે તે (ભાજપ) જવાબદારી લેવા તૈયાર નહોતું. તમે રામ મંદિરનો નિર્ણય લીધો નથી, તો પછી તમે રામ મંદિરનો શ્રેય કેવી રીતે લઈ રહ્યા છો. મારો દેશ મારો પરિવાર છે અને આ મારું હિન્દુત્વ છે.

મારી સાથે ઉભેલી જનતા અને તેમની તાકાત જોઈશું

તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ આજે મારી વિરુદ્ધ છે, છતાં તે ઉદ્ધવ ઠાકરેથી કેમ ડરે છે? ઉદ્ધવ ઠાકરે માત્ર એક વ્યક્તિ નથી પણ બાળાસાહેબનો વિચાર છે. જો તમને મને હટાવીને આનંદ મળતો હોય તો કરો. મારી સાથે ઉભેલી જનતા અને તેમની તાકાત જોઈશું. સંજય રાઉતે પૂછ્યું કે, દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે ઉદ્ધવ ઠાકરેએ અમારી પીઠમાં ખંજર ભોક્યુ છે?

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

તેના જવાબમાં ઉદ્ધવે કહ્યું કે, રાષ્ટ્રવાદીએ શું કર્યું, જેને રાષ્ટ્રવાદીએ તોડી નાખ્યું. ઉઠો અને દિલ્હીમાં મુજરા કરો, આ મહારાષ્ટ્રની સંસ્કૃતિ નથી. ચૂંટણી પંચ શિવસેનાના ફૈબા નથી કે કાનમાં આવીને નામ બતાવશે. ઉદ્ધવ ઠાકરેનો આ સંપૂર્ણ ઈન્ટરવ્યુ આવતીકાલે એટલે કે બુધવારે રિલીઝ થશે.

મહા વિકાસ આઘાડી સરકાર પડી ભાંગી

ગયા વર્ષે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ હતી જ્યારે શિવસેનાના એક નેતાએ પાર્ટીના કેટલાક ધારાસભ્યો સાથે બળવો કર્યો હતો અને ભાજપની સાથે ગયા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ રાજ્યમાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકાર પડી ભાંગી હતી. એકનાથ શિંદે ઉદ્ધવથી અલગ થયા અને શિવસેના પાર્ટી પર પોતાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો : અજિત પવાર મહારાષ્ટ્રના CM નહીં બને, કેટલાક નેતાઓ ભ્રમ ફેલાવી રહ્યા છે: દેવેન્દ્ર ફડણવીસ

એક વર્ષ બાદ શરદ પવારની આગેવાનીવાળી NCP સાથે પણ આવું જ થયું. NCP નેતા અને શરદ પવારના ભત્રીજા અજિત પવાર પાર્ટીમાં બળવો કરીને શિંદે સરકારમાં જોડાયા હતા. તેઓ ઘણા ધારાસભ્યોને પણ પોતાની સાથે લઈ ગયા હતા. તેમની સાથે ગયેલા ઘણા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">