મહારાષ્ટ્રમાં ફલોર ટેસ્ટ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું ‘આવતીકાલે થશે ફ્લોર ટેસ્ટ’
હારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને 30 જૂને વિધાનસભાના વિશેષ સત્રમાં બહુમત સાબિત કરવા કહ્યું છે. દરમિયાન, શિવસેના રાજ્યપાલના ફ્લોર ટેસ્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી, જેની સુનાવણી આજે એટલે કે બુધવારે કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રમાં (Maharashtra) છેલ્લા કેટલાક દિવસથી હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે. ત્યારે ફ્લોર ટેસ્ટને લઈને હવે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો સામે આવી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં 4 કલાક સુધી ત્રણેય પક્ષો દ્વારા દલીલ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટમાં એડવોકેટ અભિષેક મનુ સંઘવી દ્વારા મોટી દલીલો કરવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં ફલોર ટેસ્ટ (Floor Test) અંગે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય આપતા કહ્યું કે ‘આવતીકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટ થશે.’ સુપ્રીમ કોર્ટે રાજ્યપાલના નિર્ણય પર મહોર મારી છે અને આવતીકાલે એટલે કે 30 જૂને ફ્લોર ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે.
Supreme Court gives go ahead to the floor test in the Maharashtra Assembly tomorrow; says we are not staying tomorrow’s floor test. pic.twitter.com/neYAIftfWe
— ANI (@ANI) June 29, 2022
મહારાષ્ટ્રનું રાજકીય સંકટ વધુ તીવ્ર બન્યું છે. આ દરમિયાન, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને 30 જૂને વિધાનસભાના વિશેષ સત્રમાં બહુમત સાબિત કરવા કહ્યું છે. દરમિયાન, શિવસેના રાજ્યપાલના ફ્લોર ટેસ્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી, જેની સુનાવણી આજે એટલે કે બુધવારે કરવામાં આવી હતી. લગભગ 4 કલાક એટલે કે સાંજે 5થી 9 વાગ્યા સુધી સુપ્રીમ કોર્ટે દરેકની દલીલો સાંભળી. જે બાદ કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હવે ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે. શિવસેનાના ચીફ વિપ, શિંદે જૂથ અને રાજ્યપાલ વતી કોર્ટમાં દલીલો રજૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે સોલિસિટર જનરલ તુષાર મહેતા રાજ્યપાલ વતી વાત કરવા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. બળવાખોર ધારાસભ્યોના વરિષ્ઠ વકીલે કહ્યું ’21 જૂને ઠાકરે સરકાર લઘુમતીમાં આવી ગઈ’
બીજી બાજુ વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહ પણ બળવાખોર ધારાસભ્યો માટે હાજર થયા અને કહ્યું કે કોર્ટ હંમેશા ફ્લોર ટેસ્ટ કરાવવા માટે છે અને તેને મુલતવી રાખવા માટે નથી. વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે કહ્યું કે તેમણે દલીલ કરી હતી કે રાજ્યપાલે મંત્રીઓની મદદ અને સલાહ વગર કામ કર્યું હતું. ફ્લોર ટેસ્ટ માટે મંત્રીઓની મદદની જરૂર નથી. સિંહે કહ્યું કે, બહુમત સાબિત કરવા માટે ફ્લોર ટેસ્ટ લેવો એ કુદરતી ન્યાયનો સિદ્ધાંત છે. તેમણે કહ્યું કે, 21 જૂને જ્યારે ધારાસભ્યો અસંતુષ્ટ થઈ ગયા અને અંતર બનાવ્યું ત્યારે સરકાર લઘુમતીમાં આવી ગઈ. સ્પીકરે 55માંથી માત્ર 16 ધારાસભ્યોની વાત સાંભળી.
SCના નિર્ણય બાદ હવે ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેશે દેવેન્દ્ર ફડણવીસ
સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા ભાજપના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ. દેવેન્દ્ર ફડણવીસે હજુ સુધી આ બેઠકમાં ભાગ લીધો નથી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દેવેન્દ્ર ફડણવીસ સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે દેવેન્દ્ર ફડણવીસ બેઠકમાં હાજરી આપશે.