Maharashtra : શિવાજી મહારાજનું હિંદવી સ્વરાજ ખરેખર તો હિંદુ રાષ્ટ્રનો વિચાર, સરસંઘચાલક મોહન ભાગવતનું નિવેદન

મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, આપણા પૂર્વજો અહીંના હતા. શા માટે આપણે આ વાસ્તવિકતાને સ્વીકારી શકતા નથી? જેઓ આક્રમણ કરનારા હતા તેઓ તેમના મૂળ સ્થાનો પર પાછા ફર્યા છે. હવે ભારતમાં ઇસ્લામ સૌથી વધુ સુરક્ષિત છે.

Maharashtra : શિવાજી મહારાજનું હિંદવી સ્વરાજ ખરેખર તો હિંદુ રાષ્ટ્રનો વિચાર, સરસંઘચાલક મોહન ભાગવતનું નિવેદન
Mohan Bhagwat (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 1:13 PM

છત્રપતિ શિવાજી મહારાજનો હિંદવી સ્વરાજ વાસ્તવમાં હિંદુ રાષ્ટ્રનો વિચાર હતો. હિન્દવી સ્વરાજથી હિંદુ રાષ્ટ્ર એટલે શિવાજી મહારાજ. મોહન ભાગવતે (Mohan Bhagwat) આ વાત છત્રપતિ શિવાજી મહારાજના (Chhatrapati Shivaji Maharaj) 350માં રાજ્યાભિષેક દિવસના એક દિવસ પહેલા એટલે કે ગઈકાલ ગુરુવારે કહી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રીજા વર્ષના સંઘ શિક્ષા કાર્યક્રમમાં નાગપુરના રેશિમબાગ મેદાનમાં તેમના ભાષણ દરમિયાન સરસંઘચાલકે આ વાત કહી. તો બીજીબાજુ શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) મોહન ભાગવતના નિવેદન પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

સંજય રાઉતે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજના અંગરક્ષક મુસ્લિમ હતા, તેમની આર્ટિલરીનો ચીફ મુસ્લિમ માણસ હતો. છત્રપતિ શિવાજી મહારાજે ક્યારેય કોઈ ‘દ્વેષપૂર્ણ ભાષણ’ આપ્યું નથી. તેમનું હિંદવી સ્વરાજ આજે જે હિંદુ રાષ્ટ્રની કલ્પના કરવામાં આવે છે તેનાથી અલગ હતું. સંજય રાઉતની પ્રતિક્રિયાથી સ્પષ્ટ છે કે તેમણે મોહન ભાગવતનું સમગ્ર ભાષણ ધ્યાનથી સાંભળ્યું નથી. તેમણે આકસ્મિકપણે એક પત્રકારના પ્રશ્નનો જવાબ આપ્યો કે મોહન ભાગવતે શિવાજી મહારાજના હિંદવી સ્વરાજની તુલના હિન્દુ રાષ્ટ્રની કલ્પના સાથે કરી હતી.

જે મુસલમાન આક્રમણકારો આવ્યા, ચાલ્યા ગયા; જેઓ દેશમાં છે તે આપણા છે

વાસ્તવમાં મોહન ભાગવત તેમના ગઈકાલના ભાષણમાં હિન્દુ-મુસ્લિમ એકતાની વાત કરી રહ્યા હતા. મોહન ભાગવતે કહ્યું કે આજે વિવાદ કરતાં સંવાદ વધુ મહત્વપૂર્ણ છે. આપણી વિવિધતાને ક્યારેય વિભાજનનું કારણ ન બનવા દો, પરંતુ એકતાનું કારણ બનીએ. ભારતમાં ઈસ્લામ સુરક્ષિત છે. કેટલાક સંપ્રદાયો બહારથી આવ્યા હતા. તેમને લાવનારા બહારના લોકો સાથે અમારે ઝઘડા થયા. બહારથી આવેલા આક્રમણકારો ગયા છે. હવે જેઓ દેશમાં છે તે બહારના નથી, આપણા પોતાના છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

‘દેશના વિકાસ માટે હિંદુ-મુસ્લિમ એકતા જરૂરી છે, અંતર નહીં, નિકટતા વધારવી’

મોહન ભાગવતે કહ્યું કે દેશના મુસલમાનોને પોતાના ગણીને આપણે તેમની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ. તેઓએ બહારના સંબંધો ભૂલીને અહીં જ રહેવું જોઈએ. મોહન ભાગવતે કહ્યું કે જો તેમના વિચારોમાં કોઈ ખામી હોય તો તેને સમજાવવાની અને પ્રબુદ્ધ કરવાની જવાબદારી આપણી છે. આપણો અહંકાર અને ભૂતકાળનો બોજ આપણને એક થવામાં ભયભીત કરે ​​છે.

‘જો તમે અલગ ઓળખના પગલે ભારતને ભૂલી જશો તો તમે શાંતિથી જીવી શકશો નહીં’

સરસંઘચાલે કહ્યું કે, તેમને લાગે છે કે જો આપણે આ રીતે ભળીશું તો આપણી ઓળખ અને સંસ્કૃતિ ભૂંસાઈ જશે. કોને અલગ ઓળખની જરૂર છે? અહીં કોઈ સ્વતંત્ર ઓળખ નથી. ભારતમાં સ્વતંત્ર ઓળખ સુરક્ષિત છે. પરંતુ જો તમે બહાર જાવ ત્યારે તમારા દેશની મૂળ ઓળખ ભૂલી જશો તો તમારા માટે સુખી જીવન જીવવું મુશ્કેલ બનશે. વિવાદને બદલે સંવાદને મહત્વ આપીએ.આપણી વિવિધતા વિભાજનનું કારણ નહીં પણ એકતાનું કારણ બનીએ.

‘પ્રાર્થનાની પદ્ધતિ અલગ હોઈ શકે છે, પરંતુ આ આપણો દેશ છે, તે સ્પષ્ટ થવા દો’

મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, આપણી પ્રાર્થનાની પદ્ધતિ અલગ હોઈ શકે છે, પરંતુ આપણે આ દેશના છીએ. આપણા પૂર્વજો અહીંના હતા. શા માટે આપણે આ વાસ્તવિકતાને સ્વીકારી શકતા નથી? છેલ્લી સદીઓથી હિન્દુ-મુસ્લિમો વચ્ચે શાંતિ અને એકતા જળવાઈ રહી છે. જેઓ આક્રમણ કરનારા હતા તેઓ તેમના મૂળ સ્થાનો પર પાછા ફર્યા છે. હવે ભારતમાં ઇસ્લામ સૌથી વધુ સુરક્ષિત છે.

આ બધા સિવાય મોહન ભાગવતે રાજકીય પક્ષોને એવી સલાહ પણ આપી હતી કે, ભારતમાં લોકશાહીને કારણે રાજકીય મતભેદ થશે, સત્તા માટે સ્પર્ધા થશે, એકબીજા પર ટીપ્પણી થશે, પરંતુ સત્તા મેળવવા માટે લોકો વચ્ચે ભાગલા ના પાડો, આ વિવેક હંમેશા જાળવી રાખવો જોઈએ.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">